Type Here to Get Search Results !

Daily Practice Paper For Neet | DPP -4

0



Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test

neet ug exam

neet exam


DPP -4


1. વેલિસનેરિયામાં કયા પ્રકારનું પરાગનયન જોવા મળે છે?
A. નર પુષ્પો જલપ્રવાહ દ્વારા પાણીની સપાટી પર માદા પુષ્પો સુધી પહોંચે છે.
B. પરાગનયન પાણી દ્વારા નિમગ્ન સ્થિતિમાં થાય છે.
c. પાણીની સપાટીની બહાર પુષ્પો આવે છે અને કીટપરાગનયન થાય છે.
D. પુષ્પો પાણીની સપાટીની બહાર આવે છે અને વાતપરાગનયન થાય છે.

2. સહાયક કોષમાં મુક્ત થતા બે નર જન્યુનું ભાવિ શું છે?
A. એક અંડકોષ સાથે જ્યારે બીજો સહાયક કોષમાં વિઘટન પામે છે.
B. બંને નર જન્યુ અંડકોષ સાથે યુગ્મન પામે છે.
C. એક નર જન્યુ અંડકોષ સાથે અને બીજો નર જન્યુ સહાયક કોષના કોષકેન્દ્ર સાથે યુગ્મન પામે છે.
D. એક નર જન્યુ અંડકોષ સાથે અને બીજો નર જન્યુ મધ્યમાં આવેલા દ્વિતીય કોષકેન્દ્ર સાથે યુગ્મન પામે છે.

3. બેવડું ફલન એટલે ...
A. પરાગનલિકાના બે નર જન્યુઓનું બે જુદા જુદા અંડકો સાથે જોડાવું
B. બે નર જન્યુઓનું એક અંડક સાથે જોડાવું
C. એક નર જન્યુનું બે ધ્રુવીય કોષકેન્દ્રો સાથે જોડાવું
D. સંયુગ્મન અને ત્રિકીય જોડાણ

4. લઘુબીજાણુધાનીના કયા સ્તરના કોષોમાં ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષકેન્દ્રો હોય છે?
A. તંતુમય સ્તર
B. અધિસ્તર
C. મધ્યસ્તર
D. પોષક સ્તર

5. આવૃત બીજધારીના ભ્રૂણપુટને અનુલક્ષીને કયું સાચું નથી?
A. તે અંડકની અંદર આવેલું હોય છે.
B. તે માદા જન્યુજનક દર્શાવે છે.
C. તેના નિર્માણ પહેલાં અર્ધીકરણ થાય છે.
D. ફલન દરમિયાન તેનામાં એક નર જન્યુ છૂટું પડે છે.

6. લઘુબીજાણુધાનીનો કર્યો ભાગ પોષણ, પરાગરજના નિર્માણ અને પરાગાશયના સ્ફોટનમાં અનુક્રમે મદદરૂપ થાય છે?
A. પોષક સ્તર, બીજાણુજનક પેશી, એન્ડોથેસિયમ
B. બીજાણુજનક પેશી, એન્ડોથેસિયમ, પોષક સ્તર
C. બીજાણુજનક પેશી, પોષક સ્તર, એન્ડોથેસિયમ
D. પોષક સ્તર, એન્ડોથેસિયમ, બીજાણુજનક પેશી

7. મોટા ભાગની આવૃત બીજધારીમાં ...
A. ઘણા પ્રતિધ્રુવકોષો હોય છે.
B. મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે.
C. ભ્રૂણપુટમાં નાનો કેન્દ્રસ્થ કોષ હોય છે.
D. અંડકોષ તંતુમય ઘટકો ધરાવે છે.

8. નીચેનાં પૈકી કયું વિધાન સાચું નથી?
A. પ્રવાહી નાઇટ્રોજનમાં સંગૃહીત પરાગરજ પાક-સંવર્ધન કાર્યક્રમમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
B. પોષક સ્તર પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે.
C. પરાગરજનું બાહ્યાવરણ સ્પોરોપોલીનીનનું બનેલું
D. ઘણી જાતિઓની પરાગરજ તીવ્ર ઍલર્જી પ્રેરે છે.

9. તંતુમય ઘટકનું કાર્ય …….
A. મધુરસ ઉત્પન્ન કરવાનું
B. પરાગનલિકાના પ્રવેશ માટે માર્ગદર્શન આપવાનું
C. પરાગાસનને સંગત પરાગરજ ઓળખવાનું
D. જનનકોષના વિભાજનને ઉત્તેજવાનું

10. નીચેનાં પૈકી કયું વિધાન સાચું છે?
A. પરાગરજના બાહ્ય સખત આવરણને ઇન્ટિન (Intine) કહે છે.
B. બીજાણુજનક પેશી એકકીય હોય છે.
C. એન્ડોથેસિયમ લઘુબીજાણુઓ ઉત્પન્ન કરે છે.
D. વિકાસ પામતી પરાગરજને પોષક સ્તર પોષણ પૂરું પાડે છે.



÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================


ANSWER KEY

જવાબો
1.A,  2.D, 3.D,  4.D,  5.D, 6.A, 7.B,  8.B,  9. B,  10. D, 


Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for ugc neet Examination 

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad