Type Here to Get Search Results !

PRE-GUJCET 2024 PRACTICE TEST PAPER -4 | Biology

0

  

GUJARAT BIOLOGY NEET PLUS
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
PRE GUJ-CET EXAMINATION PAPER-4







 TIME- 1 HOUR                                     SUBJECT – BIOLOGY        MARKS- 40                      


કુલ 40 પ્રશ્નો છે દરેક પ્રશ્નનો એક માર્ક છે દરેક ખોટા પ્રશ્ન ના 0.25 માર્ક કપાશે 


1. નીચે આપેલ પૈકી વિધાનોમાંથી કયુ એક વિધાન ખોટું છે ?

(a) જ્યારે પરાગરજ દ્વિકોષીય અવસ્થા હોય ત્યારે તે બેવડું ફલનમાં ભાગ લેતા નથી.

(b) વાનસ્પતિ કોષ જનનકોષ કરતાં મોટું હોય છે.

(c) કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ મહિનાઓ સુધી જીવિત રહે છે.

(d) પરાગરજનું અંતઃઆવરણ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે.


2. પ્રદેહ અને ભ્રૂણપોષ વચ્ચેનો ભેદ કયો સાચો છે ?

(a) એકકીય પેશી હોય છે. (b) સંગૃહિત ખોરાક હોતો નથી.

(c) દ્વિકીય પેશી હોય છે. (d) તેનું નિર્માણ દ્વિતીય કોષકેન્દ્ર સાથે નરજન્યુના સંયોજનથી બને છે.


3. પ્લોઇડીનો સાચો ક્રમ પસંદ કરો : પ્રદેહ, મહાબીજાણુ માતૃકોષ, મહાબીજાણુ અંડકોષ, યુગ્મનજ, ભ્રૂણપુટનું એક ધ્રૂવીય કોષકેન્દ્ર, દ્વિતીય કોષકેન્દ્ર અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર

(a) 2n; 2n; n, 2n; n; 2n; 3n; 2n (b) 2n; 2n; n; n; 2n; n; 2n; 3n

(c) 2n; n; n; 2n; 3n; 2n; n; 3n (d) n; 2n; 2n; n; 2n; n; 2n; 2n


4. સસ્તનમાં અંડપાત થયા બાદ અંડપિંડનો કયો ભાગ  અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે ?

(a) ગ્રાફિયન પુટિકા (b) આધારક

(c) જનન અધિચ્છદ (d) Vitelline પટલ (જરદી ઉત્પન્ન કરતા અંગનું પટલ)


5. નીચે આપેલ પૈકી કયું વિધાન માસિક ચક્ર માટે અસત્ય વિધાન છે ?

(a) સ્ત્રીમાં મેનોપોઝ સમયે તેમાં વિશિષ્ટ રીતે ગોનેડોટ્રોપિક હોર્મોન્સનું પ્રમાણ વધે છે.

(b) માસિક ચક્રની શરૂઆતને મેનાર્ચ કહે છે.

(c) માસિક સ્રાવ દરમિયાન લગભગ 40 મિલિ રુધિર ગુમાવાય છે.

(d) માસિક પ્રવાહી ખાસ કરીને જામી જાય છે.


6. મનુષ્યની સ્ત્રીમાં ગર્ભ બહાર નીકળવાની પરાવર્તી ક્રિયાને...........દ્વારા ઉત્તેજિત કરી શકાય છે.

(a) સ્તનગ્રંથિઓમાં વિભેદીકરણથી (b) ઍમ્નિઓટિક પ્રવાહીના ઉત્પન્ન થતા દબાણ

(c) પિટ્યૂટરીમાંથી સ્રાવ થતા ઓક્સિટોસિન (d) પૂર્ણ વિકસિત ગર્ભ, ગર્ભનાળ


7. માનવમાં કયા દિવસે માસિક ચક્ર દરમિયાન LH નો સ્રાવ ઝડપી સ્ત્રવિત થાય છે.

(a) 5 મા દિવસે (b) 11 મા દિવસે (c) 14 મા દિવસે (d) 20 મા દિવસે


8. વિકસિત ભ્રૂણની એમ્નીઓસેન્ટેસિસ પદ્ધતિ દ્વારા પરીક્ષણ કરતાં, નીચે આપેલ પૈકી કયો રોગ ઓળખી શકાતો નથી?

(a) ક્લાઇનફેલ્ટર્સ સિન્ડ્રોમ (b) ભ્રૂણની જાતિ (c) ડાઉન્સ સિન્ડ્રોમ (d) કમળો


9. સાચો વિકલ્પ પસંદ કરો

(a) GIFT અંતર્ગત IVF આવે છે જેમાં, જે સ્ત્રીઓ બાળક ધારણ કરવા અંડકોષ ઉત્પન્ન ન કરી શકતી હોય.

(b) ZIFT અંતર્ગત IVF આવે છે જેમાં, એવી સ્ત્રીઓને મદદ કરે છે જે બાળક ધારણ કરવા અંડકોષ ઉત્પન્ન ન કરી શકતી હોય.

(c) ZIFT અંતર્ગત IVF આવે છે જેમાં, એવી સ્ત્રીઓને બાળક ધારણ કરવા મદદ કરે છે જેમની ફેલોપીયન નલિકાઓ નુકસાન પામેલ હોય છે.

(d) IUI એવી સ્ત્રીઓને બાળક ધારણ કરવા મદદ કરે છે જે સ્ત્રીઓનું મેનોપોઝ પૂર્વ પરિપક્વ હોય છે.


10. નીચે આપેલ પૈકી કઈ એક પદ્ધતિ કાયદાકીય રીતે જન્મદર નિયંત્રણ પદ્ધતિ છે ?

(a) યોગ્ય દવા લઈને ગર્ભપાત દર્શાવવો.

(b) માસિકચક્ર પછી 10 થી 17મા દિવસ સુધી જાતીય સમાગમથી દૂર રહેવું.

(c) અંડપુટિકાના સ્ફોટન સમયથી જાતીય સમાગમ દર્શાવવું.

(d) જાતીય સમાગમ દરમિયાન અપરિપક્વ વીર્યસ્ખલન દ્વારા શુક્રકોષોને દાખલ કરવા.


11. નીચે પૈકી કયું બહુજનીનિક વારસાનું ઉદાહરણ છે ?

(a) ગુલબાસ માં પુષ્પનો રંગ (b) નર મધમાખીનું સર્જન

(c) વટાણામાં શીંગનો આકાર (d) મનુષ્યમાં ત્વચાનો રંગ


12. વટાણાના છોડમાં પીળા રંગના બીજ એ લીલા રંગના બીજ પર પ્રભાવી છે. જો વિષમયુગ્મી પીળા બીજ ધરાવતા છોડનું પરલન લીલા બીજ ધરાવતા છોડ સાથે કરવામાં આવે તો F, પેઢીમાં પીળા અને લીલા બીજ ધરાવતા છોડનું પ્રમાણ કયું હોઈ શકે ? 

(a) 50:5 (b) 9:1 (c) 1:3 (d) 3:1

13. સૌથી વધુ જાણીતું રુધિરજૂથ A B O જૂથ છે. તે A B O છે અને ABC નથી, કારણ તેમાં આવેલ O માટે ગણતરીમાં લેવાય છે.

(a) A અને B સાથે રક્તકણ પર બીજા ઍન્ટિજન

(b) A અને B જનીન પર આ પ્રકારના જનીનની વધુ પ્રમાણમાં પ્રભુતા

(c) ફક્ત એક ઍન્ટિબોડી ઍન્ટિ A અથવા એન્ટિ B રક્તકણ પર

(d) રક્તકણ પર ઍન્ટિજન A કે B ના હોય.


14. કસોટી સંકરણમાં........

(a) બે પ્રચ્છન્ન જનીન પ્રકાર ધરાવતા પિતૃઓ વચ્ચે પરફલન કરાવવાથી

(b) બે F1 સંતતિ વચ્ચે ફ્લન કરાવવાથી

(c) બે F1 સંતતિનું પરફ્લન કરવાથી

(d) બે પ્રભાવી જનીનપ્રકાર ધરાવતા પિતૃઓ વચ્ચે ફ્લન કરાવવાથી


15. DNA ના બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા ?

(a) સમાંતર (b) અસતત (c) પ્રતિસમાંતર (d) અર્ધરૂઢિગત


16. ટ્રાન્સ્ક્રીપ્શન (પ્રત્યાંકન) દરમિયાન RNA પોલીમરેઝ ઉત્સેચક પ્રમોટર જનીન સાથે જોડાય છે અને દંડ જેવી રચના બનાવે છે તેનો DNA જોડાઈ સ્થાનનો ક્રમ કયો છે ?

(a) TTAA (b) AATT (c) CACC (d) TATA


17. જેલ, ઇલેક્ટ્રૉફોરોસિસનો ઉપયોગ માટે થાય છે.

(a) પુનઃસંયોજિત DNAના નિર્માણ માટે ક્લોનિંગ વાહક સાથે જોડાણ દ્વારા

(b) DNA અણુના અલગીકરણ માટે

(c) DNA ના ટુકડાઓ કાપવા માટે

(d) DNA ના ટુકડાઓનું તેના કદ પ્રમાણે અલગીકરણ


18. જ઼નીન સંકેત માટે શું સાચું નથી ?

(a) m-RNA પરનો સંકેત નોન કંટેજિયસ રીતે વંચાય છે. (b) તે લગભગ યુનિવર્સલ છે.

(c) તે અવનત છે. (d) તે અનએમ્બીગીયસ છે.


19. લૅક ઑપેરોનમાં........હોય છે.

(a) ફક્ત ચાર નિયામિકી જનીનો    (b) એક નિયામિકી અને ત્રણ બંધારણીય જનીનો

(c) બે નિયામિકી જનીન અને બે બંધારણીય જનીનો (d) ત્રણ નિયામિકી જનીન અને ત્રણ બંધારણીય જનીનો


20. સજીવનો સ્વરૂપ પ્રકાર તેના કારણે છે?

(a) વિકૃતિ અને સંલગ્નતા (b) કોષરસીય અસર અને પોષણ

(c) વાતાવણના ફેરફારો અને લિંગભેદ (d) જનીન પ્રકાર અને પર્યાવરણીય આંતરક્રિયાઓ


21. મેસોઝોઈક યુગના જુરાસિક સમયની લાક્ષણિકતા..........

(a) અનાવૃત બીજધારીઓ પ્રભાવી હોય છે અને સૌપ્રથમ પક્ષીઓ જોવા મળ્યા. 

(b) સરિસૃપનું વિકિરણ થયું અને સસ્તન જેવાં સરિસૃપનો ઉદ્ભવ.

(c) ડાયનાસોર લુપ્ત થયા અને આવૃત બીજધારીઓ જોવા મળ્યા.

(d) સપુષ્પી વનસ્પતિઓ અને સૌપ્રથમ ડાયનાસોર જોવા મળ્યા.


22. આપણા શરીરમાં ઍન્ટિબોડી કોનું સંયોજન છે ?

(a) સ્ટીરોઇડ (b) લિપોપ્રોટીન (c) ગ્લાયકોપ્રોટીન (d) પ્રોસ્ટાગ્લાયડીન


23. ઍન્ટિહિસ્ટેમાઇનનો અને સ્ટીરોઇડનો ઉપયોગ ઝડપી રાહત આપે છે.

(a) માથાના દુખાવામાં (b) એલર્જીમાં (c) ચક્કર આવવામાં (d) કફમાં


24. કાર્બનિક ખેતીને અનુલક્ષીને નીચે આપેલ વિધાનો દર્શાવેલ  છે.

(1) જનીનિક રૂપાંતરિત પાકોનો ઉપયોગ કેરવો, જેમ કે Bt- કપાસ.

(2) માત્ર કુદરતી રીતે નિર્માણ પામેલ કમ્પોસ્ટનો જ ઉપયોગ કરવો.

(3) કીટનાશક/જંતુનાશક અને યુરિયાનો ઉપયોગ ન કરવો.

(4) વધુ વિટામિન અને ખનીજતત્ત્વો યુક્ત શાકભાજીઓનું નિર્માણ કરે છે.

(a) (2), (3) અને (4) સાચા   (b) (3)અને  (4) સાચા (c) (2) અને (3) સાચા      (d) (1) અને (2) સાચા


25. નીચે આપેલાં ચાર વિધાનો વાંચો :

(1) નવજાત શિશુ માટે કોલોસ્ટ્રમનું સૂચન કરાય છે, કારણમાં કે એ ઍન્ટિજન વધુ માત્રામાં ધરાવે છે.

(2) ગ્રામ નેગેટિવ બૅક્ટેરિયા દ્વારા ચીકનગુનિયા થાય છે.

(3) પેશીસંવર્ધન દ્વારા સાબિત કર્યું કે ઉપયોગી વનસ્પતિને વાઇરસ-મુક્તપણે મેળવી શકાય.

(4) આથવણ પામેલ દ્રાક્ષના રસના નિસ્યંદન દ્વારા બિયર મેળવાય છે.


ઉપર્યુક્ત વિધાનોમાંથી કેટલાં ખોટાં વિધાનો છે?

(a) બે (b) ત્રણ (c) ચાર (d) એક


26. નીચે પૈકી કઈ એક DNA માં પેલિન્ડ્રોમિક ક્રમ સૂચવે છે ?

(a) 5' - GAATTC- 3', 3'- CTTAAG 5' (b) 5' - CATTAG - 3', 3' - GATAAC-5'

(c) 5' - CCAATG 3',  3'- GAATCC 5' (d) 5' - GATACC - 3', 3' - CCTAAG-5'


27. બાયોલિસ્ટિક (જીન-ગન) શેના માટે યોગ્ય છે ?

(a) રોગના વાહકના નિકાલ         (b) વાનસ્પતિક કોષના રૂપાંતરણ માટે 

(c) વાહક સાથે જોડાણ કરનાર પુન:સંયોજિત DNA ના બંધારણમાં       (d) DNA ફિંગરપ્રિન્ટ માટે


28. માનવ શરીરમાં રોગકારક જીવાણુ કે વિષાણુ ને ઓળખવા આ તકનીક વપરાય છે ત્યારે પણ જ્યારે તેમની સાંદ્રતા ખૂબ ઓછી હોય અને રોગ નિદાનની લક્ષણો દેખાતા ન હોય

(a) ELISA (b) કુલ શ્વેતકણ ગણતરી (c) PCR (d) વિભેદી શ્વેતકણ ગણતરી


29. રીસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લીએઝ, આ છે

(a) અંત:પાત્ર DNA સંશ્લેષણ માટે વપરાય તે

(b) જીવાણુ દ્વારા તેમની બચાવ પ્રક્રિયાના ભાગરૂપે સંશ્લેષિત થાય તે

(c) સસ્તોનાના કોષમાં, મૃત્યુ પર્યંત, તેના DNA ના વિઘટન માટે આવેલ હોય તે

(d) જનીન ઈજનેરી વિદ્યામાં, DNA ના બે અણુઓને જોડવા માટે વપરાય તે


30. Cry1 એન્ડોટોક્સિન જે બેસિલસ થુરી-જીનેસિસમાંથી મળે છે. તે........ સામે અસરકારક છે.

(a) ગોળ કૃમિ (b) બોલવૉર્મ (c) મચ્છ૨ (d) ફુદા 


31. હર્બીસાઇડ અવરોધક GM પાકનો મુખ્ય ઉપયોગ/ઉત્પાદન માટેનો હેતુ...

(a) ઇકો-ફ્રેન્ડલી હર્બીસાઇડને ઉત્તેજન આપવું.

(b) તંદુરસ્તીની સલામતી માટે હર્બીસાઇડનું ખોરાકની આઇટમમાં સંગ્રહણ રોકવું.

(c) નીંદણને ખેતરોમાંથી મેન્યુઅલ લેબરના ઉપયોગ સિવાય દૂર કરવું.

(d) હર્બીસાઇડના ઉપયોગ વિના ખેતરોમાંથી નીંદણ દૂર કરવું


32. સમકાલીન જીવવિજ્ઞાનમાં બેસિલસ થુરેન્જિસિસ બૅક્ટેરિયા શેના તરીકે ઉપયોગમાં લેવાય છે ?

(a) ઔદ્યોગિક ઉત્સેચકના સ્રોત (b) જલપ્રદૂષણના સૂચક (c) કીટનાશક      (d) ડેરી ઉત્પાદનના કારક


33. બેસિલસ થુરીન્જેન્સીસ દ્વારા ક્રિસ્ટલ (સ્ફટિકમય) પ્રોટીન નિર્માણ પામે છે કે જે કીટનાશકના પ્રોટીન ધરાવે છે. આ  પ્રોટીન..........

(a) મધ્યાંત્રના અધિચ્છીય કોષો સાથે જોડાઈને છેવટે તેના દ્રાવ્ય સાથે જોડાઈને કીટકને મારી નાંખે છે.

(b) જનીન Cry સાથે કેટલાંક જનીનો દ્વારા સાંકેતિક રૂપે હોય છે.

(c) અગ્રાંત્રના ઍસિડિક pH દ્વારા સક્રિયતા પ્રાપ્ત કરીને કીટક સાથે પુષ્પ જોડાઈ છે.

(d) બૅક્ટેરિયા વાહક મરતા નથી કે જેઓ પોતે આ વિષકારકથી રક્ષાયેલ છે.


34. ચોમાસામાં કીટકોની વસતિ એકદમ વધી જાય છે, ત્યાર બાદ એકદમ અદૃશ્ય થઈ જાય છે. તે શું સૂચવે છે ?

(a) ચોમાસા પછી તેને ખોરાક મળતો નથી. (b) J આકારનો વૃદ્ધિદર

(c) S આકારનો વૃદ્ધિદર (d) કીટકોને ખાનાર વધી જાય છે.


35. જો અનુકૂલનને કારણે ભિન્ન વંશાવળી ધરાવતી બે જાતિઓ  એકબીજા ને મળતી આવતી હોય તો આ ઘટનાને શું કહી શકાય ?

(a) અપસારી ઉદ્વિકાસ (b) સૂક્ષ્મ ઉદ્વિકાસ         (c) સહ-ઉદ્વિકાસ          (d) અભિસારી ઉદ્વિકાસ


36. નીચે પૈકી કઈ સૌથી યોગ્ય વ્યાખ્યા છે ?

(a) પરોપજીવન એ એવા સજીવ છે જે હંમેશાં બીજા સજીવોના શરીરની અંદર વસવાટ કરે છે અને તેને મારી શકે છે.

(b) યજમાન એ એવા સજીવ છે જે બીજા સજીવને ખોરાક આપે છે.

(c) ભક્ષક એ એવા સજીવ છે કે જે બીજા સજીવને પકડીને ખોરાક માટે મારી નાખે છે.

(d) પ્રતિજીવન એ એવો સંબંધ છે જેમાં એક જાતિને ફાયદો થાય છે જ્યારે બીજા સજીવને કોઈ અસર થતી નથી.


37. આહારશૃંખલાને ધ્યાનમાં લઈ સાચાં વાક્યોને પસંદ કરો.

(1) કોઈ એક વિસ્તારમાં 80 % વાઘને દૂર કરતાં વનસ્પતિની વૃદ્ધિમાં વધારો થયો.

(2) માંસાહારીઓને દૂર કરતાં હરણોની સંખ્યા વધી. 

(3) ઊર્જાના વ્યયને લીધે આહારશૃંખલાની લંબાઈ 3 થી 4 પોષક સ્તર સુધી હોય છે.

(4) આહારશૃંખલાની લંબાઈ 2 થી 8 પોષક સ્તર સુધી હોય છે.

(a) 1અને 4 (b) 1 અને 2 (c) 2 અને 3 (d) 3 અને 4


38. કુદરતમાં પડતાં લાકડાંનો ધીમો વિઘટનનો દર............ ને કારણે હોય છે.

(a) તેમની આસપાસના અજારક વાતાવરણને કારણે (b) સેલ્યુલોઝનું ઓછું પ્રમાણ

(c) ભેજનું ઓછું પ્રમાણ (d) નાઇટ્રોજનનું અલ્પ પ્રમાણ


39. નીચે પૈકી સજીવોની કઈ જોડ ભારતમાં દાખલ થયેલી વિદેશી જાતિઓની છે ?

(a) ફાઈકસ રેલીજિઓસા, લેન્ટાના કેમેરા (b) લેન્ટાના કેમેરા, વોટર હાર્યસિન્થ(c) વોટર હાયેસિન્થ, પ્રોસોપિસ સીનેરીયા (d) નાઇલ પર્ચ, ફાઇસ રેલીજિઓસા


40. જૈવવિવિધતા ધરાવતા તાત્કાલિક ધ્યાન ખેંચતા (હોટસ્પોટ) પ્રદેશમાં શું જોવા મળતું નથી ? 

(a) સ્થાનિકતા (b) જાતિસમૃદ્ધિ

(c) ઓછી આંતરજાતીય સ્પર્ધા (d) જાતિઓનો ઝડપી નાશ


=========Best of luck=========


જવાબો 

1. A, 2.C, 3.B, 4.A, 5.B, 6.D, 7.C, 8.D, 9.B, 10.B, 11.D, 12.A, 13.D, 14.C, 15.C, 16.D, 17.D, 18.A, 19.B, 20.D, 21.A, 22.C, 23.B, 24.C, 25.A, 26.A, 27.B, 28.C, 29.B, 30.B, 31.C, 32.C, 33.A, 34.B, 35.D, 36.C, 37.C, 38.C, 39.B, 40.C, 



MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)

GUJARAT BIOLOGY NEET PLUS


Youtube -  @Gujarat Biology NEET PLUS 

                     @ Gujarat Biology Plus Manish Mevada

            @ Gujarat Biology NEET Q & A

Instagram          -  @gujaratbiologyneetplus

Play store App  -  Gujarat Biology NEET PLUS


Website       


www.indiabiologyneet.com

 www.gujaratbiologyneet.com

 

www.manishmevada.com

BOOK          

 LAST DAYS FOR BOARD EXAMINATION – (2021,2022,2023,2024)  

=============================================================


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad