ધોરણ 12
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન (નવો અભ્યાસક્રમ-પ્રકરણ 1 / જૂનો અભ્યાસક્રમ-પ્રકરણ 2)
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|પરાગનયન માટેના વાહકો|NCERT short note| Best biology short note | ધોરણ 12
Note 9
2 પ્રકારનાં વાહકો નો ઉપયોગ વનસ્પતિઓ દ્વારા કરવામાં આવે છે :
> 1) જૈવિક:
--> પ્રાણીઓ અને જંતુઓ
--> મોટા ભાગની વનસ્પતિઓ દ્વારા આ વાહકોનો ઉપયોગ થાય છે
--> આ પુષ્પોને પ્રાણી તથા જંતુઓને પોતાની તરફ આકર્ષિત કરવાના હોય - તેથી, આ પુષ્પો રંગીન, આકર્ષક અને મધુદ્રવ્ય ધરાવતા હોય
> 2) અજૈવિક:
--> પવન અને પાણી
--> ખૂબ જ ઓછી માત્રામાં વનસ્પતિઓ આ વાહકો નો ઉપયોગ કરે છે
--> અહીં, અંડકની સંખ્યાની સાપેક્ષે પરાગનયન માટે પુષ્પો ખૂબ મોટી સંખ્યામાં પરાગરજ સર્જે છે - કારણકે આ પ્રકારના પરાગનયનમાં પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની અનિશ્ચિતતા રહે છે
--> પુષ્પો વધુ રંગબેરંગી તથા મધુદ્રવ્ય ધરાવતા હોતા નથી - કારણકે અહીં પુષ્પો એ કોઈ જંતુ કે પ્રાણી ને આકર્ષિત કરવાના હોતા નથી
>> અજૈવિક ઘટકો
> વાત-પરાગનયન:
-> અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા પરાગનયન ઘણું સામાન્ય છે
-> વાત-પરાગનયન માટેની પરાગરજ હલકી અને ચીકાશરહિત હોય છે - જેથી તે પવન ના પ્રવાહ સાથે સરળતાથી વહી શકે
-> પુંકેસરો ખૂબ સારી રીતે ખુલ્લા / મુકત હોય - જેથી પરાગરજ સરળતાથી પવનના પ્રવાહ સાથે વિકિરણ પામી શકે)
-> પરાગાસન- મોટાં અને પીછાંયુક્ત - જેથી વાત-પ્રવાહિત પરાગરજને તે સરળતાથી જકડી શકે
-> ફૂલો -
----> એક બીજાશયમાં એક અંડક
----> અનેક પુષ્પો ધરાવતો પુષ્પવિન્યાસ ધરાવે છે
-> ઉદાહરણ -
-----> મકાઈ - તેના જોવા મળતા ડોડો (tassles) એ પરાગાસન અને પરાગવાહીની છે - તે પવનમાં લહેરાઈને વાત-પ્રવાહિત પરાગરજને જકડી લ છે
-----> ઘાસ - તેમાં વાત-પરાગનયન ખૂબ સામાન્ય છે
![]() |
વાત પરાગનયનીત પુષ્પ |
> જલ પરાગનયન
-> ખૂબ ઓછી માત્રામાં સપુષ્પી વનસ્પતિઓમાં જોવા મળે
-> તે લગભગ 30 પ્રજાતિઓ સુધી મર્યાદિત છે - જે મોટા ભાગની જલીય એકદળી વનસ્પતિ છે
-> નિમ્ન કક્ષાની વનસ્પતિઓ, જેમ કે લીલ, દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ, માં પાણી એ નર જન્યુઓના સ્થળાંતર માટે નું નિયમિત વાહક માધ્યમ છે.
-> દ્વિઅંગીઓ અને ત્રિઅંગીઓનું વિતરણ સીમિત હોય - કારણકે નર જન્યુઓના વહન અને ફલન માટે તેમને પાણીની જરૂરિયાત રહે છે.
-> જલપરાગિત જાતિઓમાં પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેષ્મથી આવરીત હોય છે
-> બધી જલીય વનસ્પતિઓ જલપરાગિત હોતી નથી
-> મોટા ભાગની જલીય વનસ્પતિઓ જેમ કે જળકુંભી અને જલીય લીલીમાં પુષ્પો જલસપાટીની ઉપર તરફ રહે છે - અને મોટા ભાગની સ્થળજ વનસ્પતિની જેમ કીટકો કે પવન દ્વારા પરાગિત થાય છે
-> ઉદાહરણો:
----> હાઈડ્રીલા
----> વેલિસ્નેરિયા
---------> અહીં, માદા પુષ્પો લાંબા વૃન્ત દ્વારા જલીય સપાટી સુધી પહોંચે છે
↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓
---------> નર પુષ્પો કે પરાગરજ પાણીની સપાટી પર મુક્ત થાય છે
↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓
---------> તેઓ નિષ્ક્રિય/પરોક્ષ (પાણીના પ્રવાહની દિશા માં) રીતે જલ પ્રવાહ દ્વારા વહન પામે છે
↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓
---------> કેટલાક નર પુષ્પો કે પરાગરજ માદા પુષ્પોના પરાગાસન સુધી પહોંચે છે
↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓
---------> પરાગનયન અને ફલન થાય છે
![]() |
વેલિસ્નેરિયામાં જલ પરાગનયન |
----> દરિયાઈ ઘાસ (ઝોસ્ટેરા)
---------> આવી જાતિઓમાં પરાગરજ લાંબી, પટ્ટીમય હોય છે અને તે પાણીમાં નિષ્ક્રિય રીતે વાહન પામે છે
--------> માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે
↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓
--------> પરાગરજ પાણીની અંદર મુક્ત થાય છે
↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓
---------> તેમાંની કેટલીક પરાગરજ પરાગાસન સુધી પહોંચે છે અને ફલન થાય છે
>> જૈવિક વાહકો
> પરાગવાહક તરીકે વિવિધ પ્રાણીઓ: મધમાખીઓ, પતંગિયા, માખીઓ, ભૃંગ કીટકો, ભમરીઓ, કીડીઓ, ફુદા, પક્ષીઓ (દેવચકલી & ગુંજન પક્ષી), ચામાચીડિયા
> મધમાખીઓ એ પ્રભાવી જૈવિક પરાગવાહકો છે
> મોટા પ્રાણીઓ જેવા કે પ્રાઈમેટ (લેમૂર), વૃક્ષારોહી તીક્ષ્ણ દાંતવાળા કોતરતાં પ્રાણીઓ અથવા સરીસૃપો (ગેકો ગરોળી અને કાચિંડો) વગેરે
> પ્રાણી દ્વારા પરાગિત વનસ્પતિઓના પુષ્પો મોટે ભાગે પ્રાણીની ચોક્કસ જાતિ માટે વિશિષ્ટ પ્રકારના અનુકુલનો વિકસાવે છે
> પુષ્પો -
---> મોટાં, રંગબેરંગી, સુગંધ અને મધુરસથી સમૃદ્ધ હોય
---> જો પુષ્પો નાના હોય - ઘણાં પુષ્પો એકઠાં થઈ પુષ્પવિન્યાસ બનાવે છે - જેથી તે ધ્યાનાકર્ષક બને
> પ્રાણીઓ પુષ્પોના રંગ અને/અથવા સુગંધ થી આકર્ષિત થાય છે
> માખીઓ અને ભૃંગકીટકોથી પરાગિત પુષ્પો આ પ્રાણીઓને આકર્ષવા દુર્ગંધ સર્જે છે
![]() |
કીટક પરાગિત પુષ્પ |
> પ્રાણીઓની મુલાકાતો નિશ્ચિત કરવા પુષ્પો તેમને પુરસ્કાર આપે છે
> સામાન્ય પુરસ્કાર - મધુદ્રવ્ય & પરાગરજ
---> આ પુરસ્કારની પ્રાપ્તિ માટે મુલાકાતી પ્રાણીઓ પુષ્પો તરફ આવે છે
↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓
---> આમ પ્રાણીઓ પરાગાશય અને પરાગાસનના સંપર્કમાં આવે છે
↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓
---> જ્યારે પ્રાણીઓ પુરસ્કાર ગ્રહણ હોય ત્યારે પરાગરજ પ્રાણીઓના દેહ પર આવરણ બનાવી લે છે - કારણકે પ્રાણી દ્વારા પરાગિત પુષ્પોમાં પરાગરજ ચીકાશયુક્ત હોય છે
↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓
---> શરીર પર પરાગરજ ધરાવતા પ્રાણીઓ પરાગાસનના સંપર્કમાં આવે છે
↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓
---> આમ પરાગનયન અને ફલન થાય
> કેટલીક જાતિઓમાં પુષ્પના પુરસ્કાર સ્વરૂપે ઈંડા મુકવા માટેનું સલામત સ્થાન પૂરું પાડવામાં આવે છે
---> ઉદા: ઊંચા પુષ્પમાં ઈંડા મૂકે - સુરણ (Amorphophallus) નું ઊંચું પુષ્પ (6 ફૂટની ઊંચાઈ ધરાવતું પુષ્પ) heighted flower)
Urvi Bhanushali
Please do not enter any spam link or word in the comment box