ધોરણ 12
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન (નવો અભ્યાસક્રમ-પ્રકરણ 1 / જૂનો અભ્યાસક્રમ-પ્રકરણ 2)
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|પરાગનયન|NCERT short note| Best biology short note | ધોરણ 12
Note 8
>> વ્યાખ્યા:
->પરાગરજ (પરાગાશયમાંથી મુક્ત) નું સ્ત્રીકેસર પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે.
>> પરાગનયનનો હેતુ
-> બંને જન્યુઓ , નર જન્યુ (પરાગરજમાં સર્જાયેલ) અને માદા જન્યુ (ભ્રુણપુટમાં સર્જાયેલ), બંને અચલિત છે.
-> ફલન માટે બંને જન્યુઓ એકબીજા સાથે જોડાવા ખૂબ જ જરૂરી છે. તેથી પરાગનયન નર જન્યુને માદા જન્યુ સુધી પહોંચાડવામાં મદદ કરે છે.
> પરાગનયન માટે સપુષ્પી વનસ્પતિઓમાં વિવિધ અનુકુલનો જોવા મળે છે.
> તેઓ પરાગનયન માટે બાહ્ય વાહકો (કારકો) નો ઉપયોગ કરે છે.
> ત્રણ પ્રકારના પરાગનયન જોવા મળે છે:
1) સ્વફલન
2) ગેઇટોનોગેમી
3) પરવશ
>> સ્વફલન :
> તે જ પુષ્પમાં પરાગનયન થાય છે.
> પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાસન પર સ્થળાંતર થાય છે.
> આ પ્રકારના પુષ્પોને સ્વ-પરાગનયની પુષ્પો કહેવાય.
> આ પ્રકારના પરાગનયન માં કોઈ પ્રકારના વાહકની જરૂર નથી હોતી.
![]() |
સ્વ-પરાગનયની પુષ્પ |
> સ્વફલન માટેની 2 જરૂરિયાતો -
--> (i) તાલમેલ :
-------> પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતમાં તાલમેલ સાધવો જરૂરી - બંને ઘટનાઓ એક સમયે થવી જોઈએ
-------> જો પરાગરજ મુક્ત થઈ ગઈ, પરંતુ પરાગાસન હજુ એટલું પુખ્ત નથી કે તે પરાગરજનું ગ્રહણ કરી શકે - તો સ્વફલન સફળ ન થઈ શકે.
--> (ii) નજીક રહેવું :
--------> પરાગાશય અને પરાગાસન નજીક નજીક ગોઠવાયેલા હોવા જોઈએ - જેથી મુક્ત થતી પરાગરજ સહેલાઈથી પરાગાસન પર આવી શકે
> 2 પ્રકારના પુષ્પ હોય છે:
--> (i) હવાઈ પુષ્પો -
--------> આ પ્રકારના ફૂલો આપણે આસપાસમાં જોતા હોઈએ છીએ,
--------> પુખ્ત થતાં આ પુષ્પો ખીલે છે.
--------> પરાગાશય અને પરાગાસન વાતાવરણમાં ખુલ્લા હોય છે
--------> તેનો મતલબ એમ થાય, કે પરાગરજ મુક્ત થઈને બીજા કોઈ પુષ્પના પરાગાસન પર પહોંચી શકે, અથવા એ જ રીતે આ પુષ્પના પરાગાસન પર અન્ય પુષ્પમાંથી મુકત થયેલી પરાગરજ આવી શકે છે.
--------> તેથી આવા પુષ્પોમાં સંપૂર્ણપણે સ્વફલન શક્ય નથી
--> (ii) સંવૃત્ત પુષ્પો -
--------> આ પ્રકારના પુષ્પો હંમેશા બંધ j રહે છે - ક્યારેય ખીલતા નથી.
--------> પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ નિકટતમ હોય.
--------> પરાગાશયનું સ્ફોટન (પરાગરજની મુક્તિ) એ પુષ્પકલિકામાં જ થઈ જાય છે
--------> પરાગરજ પાસે આ જ પુષ્પના પરાગાસન પર જવા સિવાય કોઈ અન્ય રસ્તો હોતો નથી - અને આમ પરાગનયન થાય છે.
--------> તેથી, સંવુત્ત પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે છે, કારણકે અહીં પર-પરાગરજની પરાગાસન પર સ્થાપિત થવાની કોઈ તક જ નથી - કારણકે અન્ય પરાગરજ આ પુષ્પના પરાગાશયની નજીક આવી શકતા જ નથી
--------> સંવૃત પુષ્પોમાં પરાગવાહકની સંપૂર્ણ ગેરહાજરીમાં પણ નિશ્ચિતપણે બીજ સર્જન થાય છે.
--> કોમેલીના, અબુટી, વાયોલા - તેમાં બંને પ્રકારના પુષ્પો સર્જાય છે (હવાઈ અને સંવૃત્ત)
>> ગેઈટોનોગેમી
> પરાગાશયમાંથી પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા
> આમાં પરાગવાહકો ભાગ લે છે
> કાર્યાત્મક રીતે , આ પરપરાગનયન છે.
> જનીનિક દ્રષ્ટિ એ, તે સ્વફલન સાથે સમાનતા ધરાવે છે - તે જ વનસ્પતિની પરાગરજ હોય છે
> તેથી નર અને માદા જન્યુઓ એક જ વનસ્પતિના હોય અને તેમનું ફલન થાય - આમ નિર્માણ પામતું બીજ સ્વફલન જેવું જ હોય
![]() |
પર-પરાગનયની પુષ્પો |
>> પરવશ:
> પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપન થવાની ક્રિયા
> પરાગવાહકોની જરૂર પડે
> આ એક પ્રકારનું પર-પરાગનયન છે
> આ એકમાત્ર એવા પ્રકારનું પરાગનયન છે કે જેમાં પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે
Thank you for reading!
Happy learning!
Manish Mevada
Urvi Bhanushali
Please do not enter any spam link or word in the comment box