Type Here to Get Search Results !

ધોરણ 12| note 5| પરાગરજ ની રચના |સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|short note| NCERT| જીવવિજ્ઞાન

0

 ધોરણ 12

સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન (નવો અભ્યાસક્રમ-પ્રકરણ 1 / જૂનો અભ્યાસક્રમ-પ્રકરણ 2)

 




સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|પરાગરજની રચના| NCERT short note| Best biology short note | ધોરણ 12


Note 5

પરાગરજ

> નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે 
> મતલબ, તે નર જન્યુ ધરાવે
> એકકિય 
> તેમના કદ, આકાર, રંગ અને સંરચના વગેરેમાં ભિન્નતા જોવા મળે



પરાગરજની રચના


>આકાર: ગોળાકાર
>કદ: 25-50 μm (માઇક્રોમિટર) નો વ્યાસ
>દ્વીસ્તરીય દીવાલ: 1) બાહ્યાવરણ    2) અંતઃ આવરણ 

1) બાહ્યાવરણ:
>બહારનું આવરણ
>ત્રૂટક આવરણ (સળંગ ના હોય એવું)
>સખત
>કારણકે તે સ્પોરોપોલેનિનનું બનેલું હોય
->સ્પોરોપોલેનિન:ખૂબ સખત એવું કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય 
-->ખૂબ જ ઊંચા તાપમાન, જલદ એસિડ અને બેઇઝ સામે ટકી શકે
--> હજી સુધી એવો કોઈ ઉત્સેચક મળ્યો નથી - જે સ્પોરોપોલેનિનને અવનત (દૂર) કરી શકે

Q:  બાહ્યાવરણ શા માટે સખત હોવું જરૂરી?
A: - કારણકે પરાગરજ કુદરતમાં મુક્ત થાય છે, 
- પરાગરજને વરસાદ, ભૌતિક/રાસાયણિક પદાર્થો વગેરેથી બચવા કોઈ વધુ સુરક્ષા હોતી નથી
- તેમજ, તે ખૂબ જ નાજુક અને પોતાની જાતિને પર્યાવરણ માં ટકાવી રાખવા ખૂબ જ જરૂરી એવા નર જન્યુઓ ધરાવે છે
- જો બાહ્યાવરણ સખત ના હોય તો પર્યાવરણની કઠિન પરિસ્થિતિઓ સામે ટકી શકે નહિ. 


>જનનછિદ્રો
- પરાગરજના બાહ્યાવરણમાં જોવા મળતા સ્પષ્ટ છિદ્રો
-  બાહ્યાવરણ એ એક સળંગ આવરણ નથી. તેમાં નાના નાના આંતરો જોવા મળે, જેને જનન છિદ્રો કહેવાય 
- ત્યાં સ્પોરોપોલેનીન ગેરહાજર હોય
- જનન છિદ્રો નું કાર્ય: આ માર્ગે પરાગ નલિકાનું સર્જન થાય (પરાગ નલિકા એ પરાગ રજમાંથી નર જન્યુઓને અંડક સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે - જેથી ફલન શક્ય બને)
- જો બાહ્યાવરણમાં બધી જ જગ્યા એ સ્પોરોપોલેનીન હાજર હોય તો પરાગનલિકા બહાર નીકળી શકે નહિ - તેથી ફલન ના થઈ શકે


2) અંતઃ આવરણ:
> અંદરની દીવાલ
> સળંગ આવરણ
> પાતળું 
> સેલ્યુલોઝ અને પેક્ટીનનું બનેલું

પરાગરજનો કોષરસ રસસ્તર(પ્લાઝમા મેમ્બ્રેન) દ્વારા ઘેરાયેલો હોય.


પરાગરજનું પરિપક્વન:



>પરાગરજનું કદ વધે
>કોષકેન્દ્ર પણ કદમાં વધારો પામે
>મોટી રસધાની સર્જાય
>પરાગ રજ ની એક બાજુએ અસમિતિય ત્રાકતંતુ નિર્માણ પામે
>કોષકેન્દ્ર અને કોષરસ વિભાજન પામે -  એક 
પરિપક્વ પરાગરજમાં 2 કોષો નિર્માણ પામે 
1) વાનસ્પતિક કોષ
- કદમાં મોટો 
- વધુ પ્રમાણમાં સંગ્રહિત ખોરાક ધરાવે
- મોટું કોષ કેન્દ્ર
- કોષ કેન્દ્ર નો અનિયમિત આકારના
- helps with survival of pollen grain and gamete

2) જનન કોષ
- કદમાં નાનું
- ત્રાકાકાર
- વાનસ્પતિક કોષમાં તરતું જોવા મળે
- ઘટ્ટ કોષરસ
- નાનું કોષકેન્દ્ર
- લગભગ બધા આવૃત્ત બીજધારી વનસ્પતિમાં નર જન્યુ તરીકે વર્તે

> 60 % થી વધુ આવૃત્ત બીજધારી વનસ્પતિમાં, પરાગરજ દ્વીકોષીય અવસ્થા  એ મુકત થાય
>બાકીની જાતિઓમાં, જનન કોષ હજુ સમવિભાજન કરે 
> અને 2 નર જન્યુઓનું ઉત્સર્જન કરે (પરાગરજના મુકત થવા પહેલા) (ત્રિકોષીય અવસ્થા)




Happy learning!
Thank you for reading!



Manish Mevada
Urvi Bhanushali 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad