Type Here to Get Search Results !

Daily Practice Paper For Neet | DPP -2

0



Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test

neet ug exam

neet exam


Daily Practice Paper For Neet | DPP -2


1. નીચે આપેલ પૈકી એક જોડ ખોટી છે અને બાકીની ત્રણ સાચી છે કઈ જોડ ખોટી છે ?
(a) પેનિસિલિયમ – કણીબીજાણુ
(b) જળકુંભી – ભૂસ્તારી
(c) પાનફૂટી – પર્ણની કલિકાઓ
(d) રામબાણ/કેતકી – પ્રકલિકા

2. વાનસ્પતિક પ્રજનન અને અસંયોગીજનન વચ્ચે સામાન્ય શું છે ?
(a) બંને માત્ર દ્વિદળી વનસ્પતિઓમાં થાય છે.
(b) બંને પુષ્પસર્જનનો બાયપાસ છે.
(c) બંને સમગ્ર વર્ષમાં થાય છે.
(d) બંને પિતૃ જેવી સમાન સંતતિ ઉત્પન્ન કરે છે.

3. કારાનો છોડ એકસદની છે. તે કોના દ્વારા નક્કી થાય છે ?
(a) એક જ વનસ્પતિ છોડ પર ઉપરની તરફ પુંજન્યુધાની અને નીચેની તરફ માદાજન્યુધાની હોય છે.
(b) એક જ વનસ્પતિ છોડ પર ઉપરની તરફ માદાજન્યુધાની અને નીચેની તરફ પુંજન્યુધાની હોય છે.
(c) એક જ વનસ્પતિ છોડ પુંજન્યુધાની અને માદાજન્યુધાની બંને ધરાવે છે.
(d) એક જ વનસ્પતિ છોડ પુંકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે છે.

4. લિંગી પ્રજનનને કારણે શું ઉત્પન્ન થાય છે ?
(a) બીજની લાંબી સુષુપ્તતા
(b) જનીનિક વિવિધતા અને ભિન્નતા
(c) વધારે જૈવભાર
(d) બીજની લાંબી ઉતરજીવિતા

5. નીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય નથી ?
(a) સૂક્ષ્મદર્શી, ચલિત અલિંગી પ્રજનનીય રચનાઓ અચલ બીજાણુઓ કહેવાય છે.
(b) બટાટા, કેળા અને આદુમાં રોપાનું નિર્માણ અનુકૂલિત પ્રકાંડની આંતરગાંઠોમાંથી થાય છે.
(c) સ્થગિત પાણીમાં ઊગતી વનસ્પતિ જળકુંભી પાણીમાંથી ઑક્સિજન મેળવે છે. જેથી માછલીઓ મૃત્યુ પામે છે,
(d) અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન કહેવાય છે.

6. વિધાન A : ઘણી વનસ્પતિઓ વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે અને બીજ પણ ઉત્પન્ન કરે છે.
કારણ R : બટાટા કલમ દ્વારા અને સફરજન કલમ પદ્ધતિ દ્વારા ગુણન પામે છે.
(a) વિધાન A અને કારણ R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
(b) વિધાન A અને કારણ R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
(C) વિધાન A સાચું છે અને કારણ R ખોટું છે.
(d) વિધાન A અને કારણ R બંને ખોટાં છે.

7. અલિંગી પ્રજનન માટે સુસંગત વિધાન કયું છે ?
(a) અર્ધીકરણ અને સમભાજન દ્વારા સંતતિ નિર્માણ થાય છે.
(b) એક જ પિતૃમાંથી અર્ધીકરણ દ્વારા સંતતિ નિર્માણ થાય છે.
(c) જન્યુઓનું નિર્માણ થઈ અને અર્ધીક૨ણ દ્વારા સંતતિ નિર્માણ થાય છે.
(d) એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ થયા વગર સંતતિ નિર્માણ થાય છે.

8. માતૃકોષમાં અસંખ્ય એકકોષી એકકોષકેન્દ્રી સંતતિ સર્જાય તેને કયા પ્રકારનું અલિંગી પ્રજનન કહેવાય ?
(a) અસંયોગીજનન
(b) બહુભાજન
(c) બીજાણુનિર્માણ
(d) અવખંડન

9. નીચે પૈકી ખોટું વાક્ય પસંદ કરો :
(a) અસમજન્યુઓ રચના, કાર્ય અથવા વર્તણૂકમાં જુા પડે છે.
(b) સમજન્યુઓ રચના, કાર્ય અને વર્તણૂકમાં સરખા હોય છે.
(c) ક્લેમિડોમોનાસ સમજન્યુતા અને અસમજત્યુતા બંને દર્શાવે છે અને ફ્યુકસ વિષમજન્યતા દર્શાવે છે.
(d) વિષમજન્યુઓમાં માદા જન્યુ નાનું અને ચલિત હોય છે, જ્યારે નરજન્યુ મોટું અને અચલિત હોય છે.

10. સાચાં વિધાનો પસંદ કરો :
(1) વાનસ્પતિક પ્રજનનમાં વનસ્પતિના જનીન બંધારણ પર કોઈ અસર થતી નથી.
(2) આદુમાં ગાંઠામૂળી પ્રકાંડ તે વાનસ્પતિક પ્રજનન, અંગ દ્વારા દર્શાવેલ છે.
(3) વનસ્પતિમાં સૂક્ષ્મ પ્રજનન દ્વારા કોષો સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે.
(a) વિધાન (1) અને (2) બંને સાચાં છે.
(b) વિધાન (2) અને(3) બંને સાચાં છે.
(c) માત્ર વિધાન (2) સાચું છે.
(d) (1), (2) અને (3) ત્રણય સાચાં છે.


÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================


ANSWER KEY

જવાબો
1.B,  2.D, 3.B,  4.B,  5.B, 6.A, 7.D,  8.B,  9. D,  10. D, 


Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for ugc neet Examination 

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad