Type Here to Get Search Results !

NEET | GUJCET TEST | STD -12 | ટેસ્ટ - 77 | CHAPTER - 9

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો -30 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -120 3) ટેસ્ટ સમય - 30 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

NEET | GUJCET  TEST  | STD -12  | ટેસ્ટ - 77| CHAPTER - 9


1. ઢોરમાં થતા મેડ કાઉ રોગ ( Mad cow disease ) માટે જવાબદાર રોગકારક ધરાવે છે .
A. પ્રોટીન આવરણ વગર મુક્ત DNA
B. પ્રોટીન આવરણ વગર મુક્ત RNA
C. સઘન સ્ફટિકમય બંધારણ
D. વિકૃત ગડીમય પ્રોટીન

2  મગમાં યલો મોઝેઇક વાઇરસ અને પાવડરી મીલ્ડ્યું સામે તેના દ્વારા પ્રતિકારકતા પ્રેરી શકાઈ .
A. સંકરણ અને પસંદગી
B. ઉત્પરિવર્તન સંવર્ધન
D. પેશી - સંવર્ધન
C. જૈવિક રક્ષણાત્મકતા

3. ખોટું વિધાન કયું છે ?
A. અંતઃસંવર્ધન સમયુગ્મતા વધારે છે .
B. કોઈ પણ પ્રાણીમાં શુદ્ધ વંશક્રમ માટે અંતઃસંવર્ધન જરૂરી છે .
C. અંતઃસંવર્ધન હાનિકારક પ્રચ્છન્ન જનીન પસંદ કરે છે , જે ફળદ્રુપતા અને ઉત્પાદકતા ઘટાડે છે .
D. અંતઃસંવર્ધન શ્રેષ્ઠ જનીનોને એકત્ર કરવા અને ઓછા ઉત્કૃષ્ટ ( અનૈચ્છિક ) જનીનોને દૂર કરવામાં મદદ કરે છે .

4. અંતઃસંવર્ધન સંબંધિત અસંગત વિધાન શોધો
A. અંતઃસંવર્ધન દબાણ બહિર્સકરણથી દૂર થઈ શકતું નથી .
B. તે વસતિમાંથી નુકસાનકારક પ્રચ્છન્ન જનીન બહાર લાવે છે
C. કોઈ પ્રાણીમાં શુદ્ધ જાત માટે અંતઃસંવર્ધન જરૂરી છે . D. સતત અંતઃસંવર્ધન ફળદ્રુપતા ઘટાડી અંતઃસંવર્ધન દબાણ ઊભું કરે છે .

5. નીચેના પૈકી કયું ઉત્પરિવર્તન સંવર્ધનને અનુલક્ષીને સાચું નથી ? 
A. સોમાક્લોનલ વિભિન્નતા ઉત્પન્ન થાય છે .
B. સતત સમવિભાજનથી મૃદૂતક પેશી
C. અર્ધીકરણ વિભાજન વારંવાર થાય છે .
D. તેને સૂક્ષ્મ - પ્રવર્ધનમાં વાપરી શકાય છે .

6. MOET તકનિક આમાં સુપર ઓવ્યુલેશન ( વધુ અંડસર્જન ) માટે વપરાય છે .
A. માછલી  B. ઢોર 
C. મરઘાઓ  D. હાથી 

7. સાચો સંવર્ધિત છોડ.....
A. અસંબંધિત વનસ્પતિ વચ્ચે પરપરાગનયન દ્વારા ઉત્પન્ન થાય છે .
B. સમયુગ્મી અને પોતાના જેવી જ સંતતિત ઉત્પન્ન કરતો હોય .
C. તેના જનીનિક બંધારણમાં હંમેશાં સમયુગ્મી પ્રચ્છન્ન હોય .
D. જે પોતાની મેળે સંકરણ / પ્રજનન કરે

8. આંતરજાતીય સંકરણમાં સમાગમ કરાવવામાં આવે છે .
A. બે ભિન્ન સંબંધિત જાતિઓ વચ્ચે
B. ભિન્ન જાતના શ્રેષ્ઠ નર અને માદા વચ્ચે
C. એક જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4– 6 પેઢી સુધી
D. એક જાતના સમાન પૂર્વજ ન ધરાવતાં પ્રાણીઓ વચ્ચે.

9. ભૂમિ - બંધારણ અને ફળદ્રુપતા સુધારવા પાકને કઠોળ 
અથવા ઘાસ સાથે વારાફરતી ઉગાડવામાં આવે તેને શું કહે છે ?
A. પાક - ફેરબદલી   B. સ્તરીય કૃષિ 
C. પરિરેખા કૃષિ       D. પટ્ટા કૃષિ

10. પેશી - સંવર્ધન દ્વારા રોગિષ્ઠ વનસ્પતિ છોડમાંથી વાઇરસ મુક્ત છોડ મેળવવા રોગિષ્ઠ છોડના કયા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે ?
A. અગ્રીય અને કક્ષીય વર્ધનશીલ પ્રદેશ
B. ફક્ત અધિસ્તર પ્રદેશ
C. ફક્ત અગ્રીય વર્ધનશીલ પ્રદેશ
D. લંબોતક મૃદૂતક

11.  વનસ્પતિ - સંવર્ધન કાર્યક્રમમાં એક પાક માટે બધા જ જનીનોના વૈકલ્પિક કારકોના સંગ્રહને શું કહે છે ?

A. ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી    B. પસંદ કરેલા પિતૃઓ વચ્ચે ૫૨ - સંગ્રહણ

C. પિતૃનું મૂલ્યાંકન અને પસંદગી               D. જનનરસ સંગ્રહણ

12. બીકાનેરી ઘેટી અને મિરનો ઘેટાં વચ્ચેના સંકરણથી પ્રાપ્ત થતી હિસારડેલ કયા પ્રકારનું સંવર્ધન છે ?
A. અંતઃસંવર્ધન  B. બહિર્સકરણ  C. પર - સંવર્ધન D. આંતરજાતીય સંવર્ધન

13. પાક અને તેની જાત માટે અસંગત વિકલ્પ કર્યો છે ?
A. રાઈ – પુસા સ્વર્ણિમ      B. ભીંડા – પુસા સવાની
C. મરચું – પુસા સદાબહાર D. ઘઉં – પુસા ગૌરવ

14. જોડકાં જોડો :
કૉલમ I                                                  કૉલમ II .

આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાન          p . ફિલિપીન્ઝ
2. ઘઉં અને મકાઈ આંતરરાષ્ટ્રીય સુધારણા   q . ન્યૂ દિલ્લી કેન્દ્ર
3. ભારતીય કૃષિ - સંશોધન સંસ્થા s .         r. તાઇવાન
                                                             s. મેક્સિકો
A. ( 1 - s ) , ( 2 - r ) , ( 3 - q ) .
B. ( 1 - p ) , ( 2- s ) , ( 3 - q ) .
C. ( 1 - r ) ,  ( 2 - p) , ( 3 - q ) .
D. ( 1 - r ) ,  ( 2 - s ) , ( 3 - q ) .

15. ખોટું વિધાન કયું છે ?
A. પેશી - સંવર્ધન દ્વારા ટામેટાં , કેળા , સફરજન વગેરે ખાદ્યપેદાશોનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે .

B. વૈજ્ઞાનિકોને કેળાં , શેરડી અને બટાટાના વર્ધનશીલ પ્રદેશને સંવર્ધિત કરવામાં સફળતા મળી છે .
C. IARI દ્વારા વિટામિન C થી ભરપૂર ગાજર , પાલક , કોળું , વટાણા વગેરે પાકો બહાર પાડ્યા છે .
D. સૂર્યમુખી , રાઈ , સફરજન , નાસપતિ વગેરે ઘણા પાક માટે મધમાખી પરાગવાહક તરીકે વર્તે છે .

16. પર - સંવર્ધન માટે ખોટું વિધાન કયું છે ?
A. તેના દ્વારા બે ભિન્ન જાતનાં ઇચ્છિત લક્ષણોનો સમન્વય સાધી શકાય .
B. તે અસંબંધિત જાતિઓના નર અને માદા વચ્ચેના સમાગમનું પરિણામ છે .
C. આ અભિગમ દ્વારા વિકસાવાતી નવી સ્થાયી જાત વર્તમાન જાતોથી શ્રેષ્ઠ હોઈ શકે .
D. આ રીતે મળતી સંતતિ સીધી જ વ્યવસાયિક ઉત્પાદનમાં ઉપયોગી થઈ શકે .

17. રોગ અને તેની પ્રતિકારક વનસ્પતિજાતની સાચી જોડ કઈ છે
A. બૅક્ટેરિયલ સુકારો – પુસા કોમલ
B. ઘેરો કાળો સડો – પુસા સ્વર્ણિમ
C. કાળો સુકારો – હિમગિરિ
D. પુસા શુભ્રા – સફેદ ગેરુ

18. નીચેના પૈકી યો ફૂગજન્ય રોગ નથી ?

A. ઘઉંનો ભૂરો ગેરુ      B. કુસીફરનો કાળો ગેરુ
C. શેરડીનો લાલ સડો   D. બટાટાનો પાછોતરો સુકારો

19. દૈહિક સંકરણ સંદર્ભે નીચે આપેલાં વિધાનો પૈકી કયાં સાચાં છે ?
( 1 ) એક જ છોડના ભિન્ન કોષોના જીવરસનું સંયોજન કરવામાં આવે છે .
( 2 ) ભિન્ન જાતિના છોડના કોષોના જીવરસનું સંયોજન કરવામાં આવે છે .
( ૩ ) કોષોને સેલ્યુલેઝ અને પૅક્ટિનેઝની સારવાર આપવી જરૂરી છે .
( 4 ) સંકર જીવરસ ફક્ત એક પિતૃના જીવરસના લક્ષણ ધરાવે છે .
A. ( 1 ) અને ( ૩ )  B. ( 1 ) અને ( 2 )
C. ( ૩ ) અને ( 4 )  D. ( 2 ) અને ( ૩ )

20.નિવેશ્ય એટલે

A. મૃત છોડ  
B. ચોક્કસ ઇચ્છિત લક્ષણ દર્શાવતો વનસ્પતિ - ભાગ
C. પેશી - સંવર્ધનમાં ઉપયોગમાં લેવાતો વનસ્પતિ - ભાગ
D. ચોક્કસ જનીન અભિવ્યક્તિ દર્શાવતો વનસ્પતિ - ભાગ

21. સોમાક્લોનલ ભિન્નતા તેના ઉપયોગ દ્વારા મેળવી શકાય છે .
A. કોલ્ચીસીન B. સંકરણ C. ગામા - વિકિરણો D. પેશી - સંવર્ધન

22. પાક - સંવર્ધનમાં પ્રેરિત વિકૃતિના ઉપયોગને શું કહે છે?

A. સોમાક્લોનલ વેરિયન્સ    B. ઉત્પ્રરિવર્તન સંવર્ધન    D. જનનરસ તારવણી   C. સૂક્ષ્મ - સંવર્ધન

23. માદાની વધુ દૂધ આપતી જાતોના સફળતાપૂર્વક સંવર્ધન માટે ઉપયોગી ...
A. વધુ અંડસર્જન
B. ભાડૂતી માતા
C. કૃત્રિમ વીર્યસેચન
D. આપેલ તમામ

24.લોક - તંદુરસ્તીમાં સુધારો કરવા સંવર્ધિત પાકોમાં કયા ઘટકો વિપુલ માત્રામાં હોવા જરૂરી છે ?
A. કાર્બોદિત , પ્રોટીન , લિપિડ     B. સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન , વિટામિન , ખનીજ તત્ત્વો
C. કાર્બોદિત , વિટામિન , પ્રોટીન  D. લિપિડ , વિટામિન , ખનીજ તત્ત્વો

25. સંકરણના કયા અભિગમમાં મળતી સંતતિ સીધી સંકર જાત તરીકે લેવામાં આવે છે ?
A. અંતઃસંકરણ              B. બહિર્સકરણ
C. આંતરજાતીય સંકરણ D. આંતરપ્રજાતીય સંકરણ

26. દરિયાઈ ખાદ્ય મત્સ્યનું જૂથ કયું છે ?
A. કટલા , રોહુ , મેજર કાર્પ , હિલ્સા
B. હિલ્સા , રોહુ , મેકરલ , મ્રિગલ
C. મ્રિગલ , મેકરલ , મેજર કાર્પ , સારડીન
D. સારડીન , હિલ્સા , મેકરલ , પોસ્ફેટ

27.એક જાતનો શ્રેષ્ઠ નર અને બીજી ( અન્ય ) જાતની શ્રેષ્ઠ માદા વચ્ચે કરવામાં આવતી પ્રાણી - સંવર્ધન પદ્ધતિ કઈ છે ?
A. અંતઃસંકરણ
B. આંતરજાતીય સંકરણ
C. બહિર્રકરણ
D. સાદું સંકરણ

28. નીચેનામાંથી એકકોષજન્ય પ્રોટીન માટે શું સાચું નથી ?
A. તે પ્રદૂષણનો વધારો કરે છે .
B. તેમાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોય છે .
C. એકકોષજન્ય પ્રોટીનના ઉત્પાદનમાં મશરૂમનો ઉપયોગ થાય છે .
D. તેના ઉત્પાદનમાં નીલહિરત લીલનો ઉપયોગ થાય છે .

29. અસંગત જોડ અલગ પાડો :
A. અંતઃસંકરણ – એક જ જાતના નર અને માદા વચ્ચે થતું પ્રજનન
B. બહિર્રકરણ – એક જ જાતના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે કરાવાતું પ્રજનન
C. આંતરજાતીય સંકરણ – બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે કરાવાતું પ્રજનન
D. બહિર્સકરણ – એક જાતના શ્રેષ્ઠ નર અને અન્ય જાતની શ્રેષ્ઠ માદા વચ્ચે કરાવાતું પ્રજનન

30. કયા પ્રાણી - સંવર્ધનમાં બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે પ્રજનન કરાવવામાં આવે છે ?
A. આંતરજાતીય સંકરણ  B. બહિર્સકરણ  C. અંતઃસંકરણ   D. અંતઃજાતીય સંકરણ



                      ÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================



ANSWER KEY

જવાબો

1. D, 2. B, 3  C, 4. A,  5. C, 6.  B, 7. B, 8. A, 9. A, 10. A, 11. D, 12. C, 13. D,
14. B, 15. C,  16. B, 17  A, 18. B, 19. D, 20.C,  21.D,  22. B,  23. D, 24.B,  25.B,  26. D,  27. C, 28. A, 29. B, 30. A

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad