Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
NEET | GUJCET TEST | STD -12 | ટેસ્ટ - 77| CHAPTER - 9
1. ઢોરમાં થતા મેડ કાઉ રોગ ( Mad cow disease ) માટે જવાબદાર રોગકારક ધરાવે છે .
A. પ્રોટીન આવરણ વગર મુક્ત DNA
B. પ્રોટીન આવરણ વગર મુક્ત RNA
C. સઘન સ્ફટિકમય બંધારણ
D. વિકૃત ગડીમય પ્રોટીન
2 મગમાં યલો મોઝેઇક વાઇરસ અને પાવડરી મીલ્ડ્યું સામે તેના દ્વારા પ્રતિકારકતા પ્રેરી શકાઈ .
A. સંકરણ અને પસંદગી
B. ઉત્પરિવર્તન સંવર્ધન
D. પેશી - સંવર્ધન
C. જૈવિક રક્ષણાત્મકતા
3. ખોટું વિધાન કયું છે ?
A. અંતઃસંવર્ધન સમયુગ્મતા વધારે છે .
B. કોઈ પણ પ્રાણીમાં શુદ્ધ વંશક્રમ માટે અંતઃસંવર્ધન જરૂરી છે .
C. અંતઃસંવર્ધન હાનિકારક પ્રચ્છન્ન જનીન પસંદ કરે છે , જે ફળદ્રુપતા અને ઉત્પાદકતા ઘટાડે છે .
D. અંતઃસંવર્ધન શ્રેષ્ઠ જનીનોને એકત્ર કરવા અને ઓછા ઉત્કૃષ્ટ ( અનૈચ્છિક ) જનીનોને દૂર કરવામાં મદદ કરે છે .
4. અંતઃસંવર્ધન સંબંધિત અસંગત વિધાન શોધો
A. અંતઃસંવર્ધન દબાણ બહિર્સકરણથી દૂર થઈ શકતું નથી .
B. તે વસતિમાંથી નુકસાનકારક પ્રચ્છન્ન જનીન બહાર લાવે છે
C. કોઈ પ્રાણીમાં શુદ્ધ જાત માટે અંતઃસંવર્ધન જરૂરી છે . D. સતત અંતઃસંવર્ધન ફળદ્રુપતા ઘટાડી અંતઃસંવર્ધન દબાણ ઊભું કરે છે .
5. નીચેના પૈકી કયું ઉત્પરિવર્તન સંવર્ધનને અનુલક્ષીને સાચું નથી ?
A. સોમાક્લોનલ વિભિન્નતા ઉત્પન્ન થાય છે .
B. સતત સમવિભાજનથી મૃદૂતક પેશી
C. અર્ધીકરણ વિભાજન વારંવાર થાય છે .
D. તેને સૂક્ષ્મ - પ્રવર્ધનમાં વાપરી શકાય છે .
6. MOET તકનિક આમાં સુપર ઓવ્યુલેશન ( વધુ અંડસર્જન ) માટે વપરાય છે .
A. માછલી B. ઢોર
C. મરઘાઓ D. હાથી
7. સાચો સંવર્ધિત છોડ.....
A. અસંબંધિત વનસ્પતિ વચ્ચે પરપરાગનયન દ્વારા ઉત્પન્ન થાય છે .
B. સમયુગ્મી અને પોતાના જેવી જ સંતતિત ઉત્પન્ન કરતો હોય .
C. તેના જનીનિક બંધારણમાં હંમેશાં સમયુગ્મી પ્રચ્છન્ન હોય .
D. જે પોતાની મેળે સંકરણ / પ્રજનન કરે
8. આંતરજાતીય સંકરણમાં સમાગમ કરાવવામાં આવે છે .
A. બે ભિન્ન સંબંધિત જાતિઓ વચ્ચે
B. ભિન્ન જાતના શ્રેષ્ઠ નર અને માદા વચ્ચે
C. એક જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4– 6 પેઢી સુધી
D. એક જાતના સમાન પૂર્વજ ન ધરાવતાં પ્રાણીઓ વચ્ચે.
9. ભૂમિ - બંધારણ અને ફળદ્રુપતા સુધારવા પાકને કઠોળ
અથવા ઘાસ સાથે વારાફરતી ઉગાડવામાં આવે તેને શું કહે છે ?
A. પાક - ફેરબદલી B. સ્તરીય કૃષિ
C. પરિરેખા કૃષિ D. પટ્ટા કૃષિ
10. પેશી - સંવર્ધન દ્વારા રોગિષ્ઠ વનસ્પતિ છોડમાંથી વાઇરસ મુક્ત છોડ મેળવવા રોગિષ્ઠ છોડના કયા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે ?
A. અગ્રીય અને કક્ષીય વર્ધનશીલ પ્રદેશ
B. ફક્ત અધિસ્તર પ્રદેશ
C. ફક્ત અગ્રીય વર્ધનશીલ પ્રદેશ
D. લંબોતક મૃદૂતક
11. વનસ્પતિ - સંવર્ધન કાર્યક્રમમાં એક પાક માટે બધા જ જનીનોના વૈકલ્પિક કારકોના સંગ્રહને શું કહે છે ?
A. ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી B. પસંદ કરેલા પિતૃઓ વચ્ચે ૫૨ - સંગ્રહણ
C. પિતૃનું મૂલ્યાંકન અને પસંદગી D. જનનરસ સંગ્રહણ
12. બીકાનેરી ઘેટી અને મિરનો ઘેટાં વચ્ચેના સંકરણથી પ્રાપ્ત થતી હિસારડેલ કયા પ્રકારનું સંવર્ધન છે ?
A. અંતઃસંવર્ધન B. બહિર્સકરણ C. પર - સંવર્ધન D. આંતરજાતીય સંવર્ધન
13. પાક અને તેની જાત માટે અસંગત વિકલ્પ કર્યો છે ?
A. રાઈ – પુસા સ્વર્ણિમ B. ભીંડા – પુસા સવાની
C. મરચું – પુસા સદાબહાર D. ઘઉં – પુસા ગૌરવ
14. જોડકાં જોડો :
કૉલમ I કૉલમ II .
આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાન p . ફિલિપીન્ઝ
2. ઘઉં અને મકાઈ આંતરરાષ્ટ્રીય સુધારણા q . ન્યૂ દિલ્લી કેન્દ્ર
3. ભારતીય કૃષિ - સંશોધન સંસ્થા s . r. તાઇવાન
s. મેક્સિકો
A. ( 1 - s ) , ( 2 - r ) , ( 3 - q ) .
B. ( 1 - p ) , ( 2- s ) , ( 3 - q ) .
C. ( 1 - r ) , ( 2 - p) , ( 3 - q ) .
D. ( 1 - r ) , ( 2 - s ) , ( 3 - q ) .
15. ખોટું વિધાન કયું છે ?
A. પેશી - સંવર્ધન દ્વારા ટામેટાં , કેળા , સફરજન વગેરે ખાદ્યપેદાશોનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે .
B. વૈજ્ઞાનિકોને કેળાં , શેરડી અને બટાટાના વર્ધનશીલ પ્રદેશને સંવર્ધિત કરવામાં સફળતા મળી છે .
C. IARI દ્વારા વિટામિન C થી ભરપૂર ગાજર , પાલક , કોળું , વટાણા વગેરે પાકો બહાર પાડ્યા છે .
D. સૂર્યમુખી , રાઈ , સફરજન , નાસપતિ વગેરે ઘણા પાક માટે મધમાખી પરાગવાહક તરીકે વર્તે છે .
16. પર - સંવર્ધન માટે ખોટું વિધાન કયું છે ?
A. તેના દ્વારા બે ભિન્ન જાતનાં ઇચ્છિત લક્ષણોનો સમન્વય સાધી શકાય .
B. તે અસંબંધિત જાતિઓના નર અને માદા વચ્ચેના સમાગમનું પરિણામ છે .
C. આ અભિગમ દ્વારા વિકસાવાતી નવી સ્થાયી જાત વર્તમાન જાતોથી શ્રેષ્ઠ હોઈ શકે .
D. આ રીતે મળતી સંતતિ સીધી જ વ્યવસાયિક ઉત્પાદનમાં ઉપયોગી થઈ શકે .
17. રોગ અને તેની પ્રતિકારક વનસ્પતિજાતની સાચી જોડ કઈ છે
A. બૅક્ટેરિયલ સુકારો – પુસા કોમલ
B. ઘેરો કાળો સડો – પુસા સ્વર્ણિમ
C. કાળો સુકારો – હિમગિરિ
D. પુસા શુભ્રા – સફેદ ગેરુ
18. નીચેના પૈકી યો ફૂગજન્ય રોગ નથી ?
A. ઘઉંનો ભૂરો ગેરુ B. કુસીફરનો કાળો ગેરુ
C. શેરડીનો લાલ સડો D. બટાટાનો પાછોતરો સુકારો
19. દૈહિક સંકરણ સંદર્ભે નીચે આપેલાં વિધાનો પૈકી કયાં સાચાં છે ?
( 1 ) એક જ છોડના ભિન્ન કોષોના જીવરસનું સંયોજન કરવામાં આવે છે .
( 2 ) ભિન્ન જાતિના છોડના કોષોના જીવરસનું સંયોજન કરવામાં આવે છે .
( ૩ ) કોષોને સેલ્યુલેઝ અને પૅક્ટિનેઝની સારવાર આપવી જરૂરી છે .
( 4 ) સંકર જીવરસ ફક્ત એક પિતૃના જીવરસના લક્ષણ ધરાવે છે .
A. ( 1 ) અને ( ૩ ) B. ( 1 ) અને ( 2 )
C. ( ૩ ) અને ( 4 ) D. ( 2 ) અને ( ૩ )
20.નિવેશ્ય એટલે
A. મૃત છોડ
B. ચોક્કસ ઇચ્છિત લક્ષણ દર્શાવતો વનસ્પતિ - ભાગ
C. પેશી - સંવર્ધનમાં ઉપયોગમાં લેવાતો વનસ્પતિ - ભાગ
D. ચોક્કસ જનીન અભિવ્યક્તિ દર્શાવતો વનસ્પતિ - ભાગ
21. સોમાક્લોનલ ભિન્નતા તેના ઉપયોગ દ્વારા મેળવી શકાય છે .
A. કોલ્ચીસીન B. સંકરણ C. ગામા - વિકિરણો D. પેશી - સંવર્ધન
22. પાક - સંવર્ધનમાં પ્રેરિત વિકૃતિના ઉપયોગને શું કહે છે?
A. સોમાક્લોનલ વેરિયન્સ B. ઉત્પ્રરિવર્તન સંવર્ધન D. જનનરસ તારવણી C. સૂક્ષ્મ - સંવર્ધન
23. માદાની વધુ દૂધ આપતી જાતોના સફળતાપૂર્વક સંવર્ધન માટે ઉપયોગી ...
A. વધુ અંડસર્જન
B. ભાડૂતી માતા
C. કૃત્રિમ વીર્યસેચન
D. આપેલ તમામ
24.લોક - તંદુરસ્તીમાં સુધારો કરવા સંવર્ધિત પાકોમાં કયા ઘટકો વિપુલ માત્રામાં હોવા જરૂરી છે ?
A. કાર્બોદિત , પ્રોટીન , લિપિડ B. સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન , વિટામિન , ખનીજ તત્ત્વો
C. કાર્બોદિત , વિટામિન , પ્રોટીન D. લિપિડ , વિટામિન , ખનીજ તત્ત્વો
25. સંકરણના કયા અભિગમમાં મળતી સંતતિ સીધી સંકર જાત તરીકે લેવામાં આવે છે ?
A. અંતઃસંકરણ B. બહિર્સકરણ
C. આંતરજાતીય સંકરણ D. આંતરપ્રજાતીય સંકરણ
26. દરિયાઈ ખાદ્ય મત્સ્યનું જૂથ કયું છે ?
A. કટલા , રોહુ , મેજર કાર્પ , હિલ્સા
B. હિલ્સા , રોહુ , મેકરલ , મ્રિગલ
C. મ્રિગલ , મેકરલ , મેજર કાર્પ , સારડીન
D. સારડીન , હિલ્સા , મેકરલ , પોસ્ફેટ
27.એક જાતનો શ્રેષ્ઠ નર અને બીજી ( અન્ય ) જાતની શ્રેષ્ઠ માદા વચ્ચે કરવામાં આવતી પ્રાણી - સંવર્ધન પદ્ધતિ કઈ છે ?
A. અંતઃસંકરણ
B. આંતરજાતીય સંકરણ
C. બહિર્રકરણ
D. સાદું સંકરણ
28. નીચેનામાંથી એકકોષજન્ય પ્રોટીન માટે શું સાચું નથી ?
A. તે પ્રદૂષણનો વધારો કરે છે .
B. તેમાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોય છે .
C. એકકોષજન્ય પ્રોટીનના ઉત્પાદનમાં મશરૂમનો ઉપયોગ થાય છે .
D. તેના ઉત્પાદનમાં નીલહિરત લીલનો ઉપયોગ થાય છે .
29. અસંગત જોડ અલગ પાડો :
A. અંતઃસંકરણ – એક જ જાતના નર અને માદા વચ્ચે થતું પ્રજનન
B. બહિર્રકરણ – એક જ જાતના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે કરાવાતું પ્રજનન
C. આંતરજાતીય સંકરણ – બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે કરાવાતું પ્રજનન
D. બહિર્સકરણ – એક જાતના શ્રેષ્ઠ નર અને અન્ય જાતની શ્રેષ્ઠ માદા વચ્ચે કરાવાતું પ્રજનન
30. કયા પ્રાણી - સંવર્ધનમાં બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે પ્રજનન કરાવવામાં આવે છે ?
A. આંતરજાતીય સંકરણ B. બહિર્સકરણ C. અંતઃસંકરણ D. અંતઃજાતીય સંકરણ
1. D, 2. B, 3 C, 4. A, 5. C, 6. B, 7. B, 8. A, 9. A, 10. A, 11. D, 12. C, 13. D,
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box