Type Here to Get Search Results !

Board Most IMP Question-2021 | પ્રકરણ - 7- ઉદ્દવિકાસ | 3 માર્ક થિયરી

0


NEET Biology Concept Material

NEET Biology Examination 

NEET Biology Tips

NEET Biology Study Material

Board Exam Most IMP theory


નમસ્તે મિત્રો પ્રકરણ - 7- ઉદ્દવિકાસ  જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય  છે એમાંથી 2 અને 3 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક  મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.


3 માર્કસ ની થિયરી


1. નોંધ લખો - ડ્રાયોપિથેક્સ તથા રામાપિથેક્સ, હોમો ઈરેક્ટસ અને હોમો હેબિલસ

  • ડ્રાયોપિથેક્સ તથા રામાપિથેક્સઃ
  • આ પ્રાઇમેટ 15 મિલિયન વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવ્યા .
  • તેઓ વાળ ધરાવતા હતા . ગોરીલા અને ચિમ્પાન્ઝીની જેમ ચાલતા હતા  .
  • ડ્રાયોપિથેક્સ વધુ એપ જેવા જ્યારે રામાપિથેક્સ વધુ માનવ જેવા હતા .
  • હોમો ઇરેટ્સ:
  • આશરે 1.5 મિલિયન વર્ષ પૂર્વે અસ્તિત્વ ધરાવતા હતા .
  • ( તેને જાવા મૅન કે પૅકિંગ મૅન પણ કહે છે . )
  • 1891 માં તેમના અશ્મિ જાવામાંથી શોધાયા છે .
  • -મગજની ક્ષમતા લગભગ 900 CC હતી . - સંભવતઃ માંસ ખાતા હતા .
  • હોમો હેબિલિસ :
  • શોધવામાં આવેલા અસ્થિઓમાં કેટલાંક અસ્થિઓ ભિન્ન હતા .
  • આ જીવને પ્રથમ માનવ જેવા કહેવાયા .
  • મગજની ક્ષમતા 600 – 800 CC હતી .
  • તે સંભવતઃ માંસ ખાતા નહોતા .
2. હાર્ડી અને વેઈનબર્ગ ને અસર કરતા પરિબળો સમજાવો
  • હાર્ડી અને વેઈનબર્ગ ને અસર કરતા પરિબળો નીચે પ્રમાણે છે
  • 1. જનીન - સ્થળાંતરણ ( જનીન - પ્રવાહ ) :
  • જ્યારે વસતિના કોઈ ભાગનું અન્ય ભાગની વસતિમાં સ્થળાંતર થાય છે , ત્યારે મૂળભૂત અને નવી વસતિની જનીન આવૃત્તિ ફેરફાર પામે છે .
  • નવા જનીનો ( વૈકલ્પિક કારકો ) નવી વસતિમાં ઉમેરાય છે અને મૂળ વસતિમાંથી દૂર થાય છે .
  • વારંવાર થતી આ ઘટનાને જનીન - સ્થળાંતરણ કે જનીન - પ્રવાહ કહે છે .
  • 2. જનીનિક વિચલનઃ
  • વસતિના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં થતા મોટા ફેરફારને જનીનિક વિચલન કહે છે . -
  • તેના કારણે ભિન્ન જાતિ વિકસે છે . મૂળભૂત વિચલિત વસતિ સ્થાપક બને છે . આ અસરને સ્થાપક અસર કરે છે .
  • ૩. વિકૃતિ :
  • વસતિના લક્ષણમાં આવતા એકાએક મોટા ફેરફારને વિકૃતિ કહે છે .
  • ઉદ્વિકાસ માટે વિકૃતિ કારણભૂત છે , કારણ કે તે ભિન્નતા સર્જે છે .
  • 4. જનીનિક પુનઃસંયોજન :
  • જનનકોષોના નિમણિ દરમિયાન પુનઃસંયોજનને કારણે સર્જાતી ભિન્નતા ભવિષ્યની પેઢીમાં જનીનોની તેમજ વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર સર્જે છે ,
  • 5. પ્રાકૃતિક પસંદગી :
  • પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભદાયક વિકૃતિ જ્યારે પસંદગી પામે ત્યારે તેના પરિણામે નવા સ્વરૂપ પ્રકારો જોવા મળે છે .
  • નવા સ્વરૂપ પ્રકાર ( ભિન્નતા ) વારસાગમન પામી અસ્તિત્વ ટકાવે છે .
  • વધુ પ્રજનનક્ષમ બની મોટી સંખ્યામાં સંતતિ સર્જે છે .
  • આ કોઈ પણ ધટકને કારણે સર્જાતી ભિન્નતા ભવિષ્યની પેઢીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિના ફેરફારમાં પરિણમે છે અને હાર્ડવેઇનબર્ગ સમતુલાને અસર કરે છે .
3. ઉદ્દવિકાસ માટે ડાર્વિન અને હ્યુગો દ વ્રિશ ના વિચારોની તુલના કરો
  • ડાર્વિન
  • તેણે જણાવ્યું કે ઉદ્વિકાસ માટે પ્રાકૃતિક પસંદગી કારણભૂત છે
  • તેણે સૂચવ્યું કે ભિન્નતા નાની અને દિશાસૂચક છે .
  • તેણે ભિન્નતાના ઉદ્ભવને અવગણી છે .
  • તે ભિન્નતાનું વારસાગમન સમજાવી શક્યા નહીં .
  • હ્યુગો- વ્રિશ
  • તેણે જણાવ્યું કે ઉદ્વિકાસ માટે વિકૃતિ કારણભૂત છે .
  • તેણે સૂચવ્યું કે વિકૃતિ યાદચ્છિક અને દિશાવિહીન છે .
  • તેણે ભિન્નતાના ઉદ્ભવ માટે વિકૃતિને જવાબદાર ગણી .
  • તેણે ભિન્નતાનું વારસાગમન સમજાવ્યું .
4. યોગ્યતા અને અનુકૂલન ક્ષમતા એ પ્રાકૃતિક પસંદગી સાથે સંલગ્નતા સમજાવતું ઉદાહરણ આપી નોંધ લખો.
  • ઉદ્વિકાસ અંગે ડાર્વિનવાદનો મુખ્ય સાર પ્રાકૃતિક પસંદગી છે .
  • નવા સ્વરૂપો પ્રગટ થવાનો દર જીવનકાળ સાથે સંકળાયેલો હોય છે
  • સૂક્ષ્મ જીવો ઊંચી ગુણનક્ષમતા ધરાવે છે અને કલાકોમાં લાખોની સંખ્યા પ્રાપ્ત કરે છે .
  • આપેલા માધ્યમમાં ધારો કે વૃદ્ધિ પામતી બૅક્ટરિયાની વસાહત A ખાદ્ય ઘટકોનો ઉપયોગ કરવાની ક્ષમતાના સંદર્ભમાં વિવિધતા ધરાવે છે .
  • માધ્યમના બંધારણમાં ફેરફાર કરવામાં આવે તો વસતિનો ફક્ત તે જ ભાગ બાકી રહેશે , જે નવી બદલાયેલી પરિસ્થિતિમાં ટકી રહે .
  • આ ભાગ ધારો કે B છે . એક નિશ્ચિત સમય દરમિયાન આ ભિન્નરૂપ વસતિનું કદ વધશે અને નવી જાતિ તરીકે અસ્તિત્વમાં આવશે .
  • નવી પરિસ્થિતિ હેઠળ B ની યોગ્યતા A કરતાં વધુ સારી છે તેમ કહી શકાય .
  • પ્રકૃતિ યોગ્યતમને જ પસંદ કરે છે અને યોગ્યતાઓ વારસાગત લાક્ષણિકતાઓ ઉપર આધારિત છે . - પસંદગી અને ઉદ્વિકાસ પામવા માટે જનીનિક આધાર હોવો જોઈએ .
  • કેટલાક સજીવો બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે વધુ સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે . આથી યોગ્યતા એ અનુકૂલન પામવાની ક્ષમતા અને પ્રકૃતિ દ્વારા પસંદગી પામવા માટેનું અંતિમ પરિણામ છે .
5. પ્રાકૃતિક પસંદગી ફુદાના ઉદાહરણ દ્વારા સમજાવો
  • પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસનું સમર્થન ઇંગ્લેન્ડમાં ફૂદાં Moth ) પરના અવલોકન પરથી આપી શકાય છે .
  • 1850 માં ઔદ્યોગિકીકરણ પહેલાં એકત્રિત કરવામાં આવેલાં ફૂદાં પૈકી સફેદ પાંખોવાળાં ફૂદાં ઘેરી પાંખોવાળાં ( મેલેનાઇઝડ ) ફૂદાં કરતાં વધારે પ્રમાણમાં મળતા હતા .
  • 1920 માં ઔદ્યોગિકીકરણ બાદ આ જ વિસ્તારમાં ઘેરી પાંખવાળાં ફૂદાં વધુ જોવા મળ્યા , એટલે કે અગાઉના અવલોકન કરતાં પ્રમાણ વિપરીત મળ્યું .
  • વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં શિકારીઓ ફૂદાની જગ્યા શોધે છે .
  • ઔદ્યોગિકીકરણ પછીના સમયગાળામાં ધુમાડા અને મેશને કારણે વૃક્ષના થડ ઘેરા કાળા રંગના બને છે .
  • આ પરિસ્થિતિની અસર હેઠળ શિકારીઓ સફેદ પાંખવાળા ફૂદાંને સરળતાથી શોધી ખોરાક તરીકે ઉપયોગ કરતા હોવાથી , તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યા નહિ .
  • પરંતુ ઘેરી પાંખવાળા ( મેલેનાઇઝડ ) ફૂદાં ટકી રહ્યા . -
  • ઔદ્યોગિકીકરણ પહેલાં વૃક્ષના થડ પર સફેદ રંગની લાઇકેનની ગીચ વૃદ્ધિ હતી .
  • આ પૃષ્ઠભૂમિમાં સફેદ પાંખવાળાં ફૂદાં અસ્તિત્વ ટકાવી શક્યા , પરંતુ શિકારીઓ દ્વારા ઘેરી પાંખવાળા ફૂદાં ખવાઈ ગયા .
  • ઔદ્યોગિકીકરણ પછી પ્રદૂષિત વિસ્તારમાંથી લાઇકેન નષ્ટ થઈ ગઈ . આમ , જે ફૂદાં રંગઅનુકૂલન ધરાવતા હતા તેઓ તેમનું અસ્તિત્વ ટકાવી શક્યા .
  • જ્યાં ઔદ્યોગિકીકરણ થયું નથી તેવા વિસ્તારોમાં મેલેનિક ફૂદાંની સંખ્યા ઓછી છે .

મિત્રો  આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે.

========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad