Type Here to Get Search Results !

Board Most IMP Question-2021 | પ્રકરણ - 16 - પર્યાવરણીય સમસ્યાઓ | 3 માર્ક થિયરી ( ભાગ -2 )

0


NEET Biology Concept Material

NEET Biology Examination 

NEET Biology Tips

NEET Biology Study Material

Board Exam Most IMP theory


નમસ્તે મિત્રો પ્રકરણ - 16 - પર્યાવરણીય સમસ્યાઓ  જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય  છે એમાંથી  3  માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક  મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.


3 માર્કસ ની થિયરી


6. નોંધ લખો - કિરણોત્સર્ગી કચરો
  • શરૂઆતમાં કેન્દ્રીય ઊર્જા ને વીજળી ઉત્પન્ન કરવા માટે એક અપ્રદૂષિત રીત માનવામાં આવતી હતી .
  • પછી એ વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો કે કેન્દ્રીય ઊર્જાના ઉપયોગમાં બે સૌથી ખતરનાક અને સહજ રીતે જન્મજાત સમસ્યાઓ રહેલી છે .
  • પહેલી સમસ્યા આકસ્મિક ઝરણ  ની છે જેમ કે થ્રિ માઇલ આઇલૅન્ડ  તથા ચર્લોબીલ  ઘટનાઓ અને બીજી સમસ્યા કિરણોત્સર્ગી ( radio active ) કચરાના સુરક્ષિત નિકાલની છે .
  • કિરણોત્સર્ગી કચરાથી નીકળતાં વિકિરણો સજીવો માટે ખૂબ જ નુકસાનકારક હોય છે કારણ કે તેના કારણે અતિશય ઊંચા દરે વિકૃતિઓ થાય છે .
  • કિરણોત્સર્ગીની ખૂબ જ વધારે માત્રા જીવલેણ ( ધાતક ) હોય છે પરંતુ તેની ઓછી માત્રાને કારણે પણ વિવિધ વિકારો થાય છે .
  • તેનો સૌથી વધુ વારંવાર થતો વિકાર કૅન્સર છે .
  • તેથી કેન્દ્રીય વિકિરણોનો કચરો અત્યંત શક્તિશાળી પ્રદૂષક છે અને તેની કાર્યવાહીમાં અત્યંત સાવચેતી રાખવાની જરૂર પડે છે .
  • એ ભલામણ કરવામાં આવી છે કે ન્યુક્લિયર કચરાને પૂર્વ - ઉપચાર ( પૂર્વ - સારવાર ) આપ્યા પછી , તેને યોગ્ય રીતે કવચ ધરાવતા સંગ્રાહકોમાં સંગ્રહ કરી , પૃથ્વીની સપાટી નીચે લગભગ 500 મીટર ઊંડાઈએ ખાડો ખોદીને પથ્થરોથી દબાવી દેવા જોઈએ .
  • તેમ છતાં નિકાલની આ પદ્ધતિ માટે પણ લોકો તરફથી સખત વિરોધ થાય  છે.
7. ગ્રીનહાઉસ અસર સમજાવો
  • પૃથ્વીની સપાટી તથા વાતાવરણ ગરમ થવા માટે જવાબદાર ગ્રીનહાઉસ અસર એક કુદરતી ઘટના છે .
  • ગ્રીનહાઉસ અસરને કારણે પૃથ્વીની સપાટીનું વર્તમાન સરેરાશ તાપમાન 15 ° સે છે . અન્યથા તે -18 સે જેટલું નીચું હોત .
  • પૃથ્વી તરફ આવતા સૌરવિકિરણોના લગભગ તે ભાગ વાદળો તથા અન્ય વાયુઓથી પરાવર્તન થાય છે અને બીજો  ભાગ તેમના દ્વારા શોષણ પામે છે .
  • સૌરવિકિરણોનો લગભગ છે ભાગ વાતાવરણમાં પ્રવેશી પૃથ્વીની સપાટી પર પડી , તેને ઉષ્ણ કરે છે ,
  • જ્યારે થોડાક પ્રમાણમાં સપાટી પરથી પરાવર્તિત થઈ પાછા અવકાશમાં જાય છે .
  • પૃથ્વીની સપાટી લાંબી તરંગલંબાઈ ધરાવતા પારરક્ત વિકિરણોના સ્વરૂપમાં ઉષ્માને પુનઃઉત્સર્જિત કરે છે .
  • આ ભાગ અવકાશમાં છટકી જતો નથી , પરંતુ વાતાવરણમાં રહેલા કાર્બન ડાયૉક્સાઈડ , મિથેન વગેરે વાયુઓ દ્વારા શોષણ પામે છે .
  • આ વાયુઓના અણુઓ ઉષ્મા ઊર્જાનો ફેલાવો કરે છે .
  • આ વાયુઓ દ્વારા પારરક્ત વિકિરણોનો મોટો ભાગ પૃથ્વી તરફ ઉત્સર્જિત થાય છે અને પૃથ્વીને પુનઃ ગરમ કરે છે .
  • આ ચક્રનું પુનરાવર્તન થતું રહે છે .
  • આમ , પૃથ્વીની સપાટી અને તેનું વાતાવરણ ઉષ્ણ થવાની આ ઘટનાને ગ્રીનહાઉસ અસર કહે છે.
8. વનવિનાશ ની અસરો જણાવો
  • વનવિનાશની અસરો નીચે મુજબ છે :
  • વનવિનાશ પ્રાદેશિક તેમજ વૈશ્વિક આબોહવાકીય ફેરફાર પ્રેરે છે .
  • વનોના નાશથી વરસાદનું પ્રમાણ ઘટે છે .
  • જલચક્ર અસંતુલિત થાય છે .
  • વન દૂર થવાથી ભૂમિનું ધોવાણ થવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે તથા તેને રણપ્રદેશ તરફ દોરી શકે છે .
  • વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધતાં ઉષ્ણતામાનનો વધારો થાય છે .
  • તેના પરિણામે ગ્રીનહાઉસ અસર સર્જાય છે .
  • વનવિનાશને કારણે નિવસનતંત્રની સમતુલા ખોરવાય થાય છે .અને જૈવ ભૂ - રાસાયણિક ચક્રોના સંચાલનમાં અનિયમિતતા ઊભી
  • ઘણા વન્ય જીવો પોતાના કુદરતી વસવાટો ગુમાવે છે અને નાશપ્રાયઃ અથવા લુપ્ત થવાથી જૈવવિવિધતાને નુકસાન થાય છે.
9. વન સંરક્ષણ માં લોકોની ભાગીદારી ના કિસ્સાનું અધ્યયન સમજાવો
  • ભારતમાં જંગલોના સંરક્ષણ અને સુરક્ષામાં લોકોની ભાગીદારીનો લાંબો ઇતિહાસ છે .
  • 1731 માં રાજસ્થાન  જોધપુરના રાજાએ નવો મહેલ બનાવવા માટે પોતાના મંત્રીને લાકડાંની વ્યવસ્થા કરવાનું કહ્યું .
  • રાજાના મંત્રી અને કર્મચારીઓ બીશ્નોઈ  પરિવારની વસાહત  ગામ નજીકના જંગલમાં વૃક્ષો કાપવા માટે ગયા .
  • વૃક્ષો બચાવવા બિશ્નોઈ પરિવારની અમૃતાદેવી , તેમની ત્રણ દીકરીઓ અને બિનોઈ સમુદાયના ઘણા લોકોએ પોતાના પ્રાણ આપી દીધા .
  • આ ઘટનાની કદરરૂપે ગામડાના વિસ્તારોમાં વન્ય જીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને અનન્ય નિષ્ઠા દશવેિ તે માટે વ્યક્તિગત કે સમગ્ર સમાજ માટે ભારત સરકારે અમૃતાદેવી બિશ્નોઈ વન્ય જીવ  સરંક્ષણ પુરસ્કાર  ( Amrita Devi Bishnoi Wildlife Protection Award ) આપવાનું શરૂ ક્યું છે .
  • ચિપકો આંદોલન :
  • પ્રારંભઃ 1974 માં ગઢવાલ હિમાલયની સ્થાનિક સ્ત્રીઓએ કૉન્ટ્રાક્ટરના કુહાડીના પ્રહાર સામે વૃક્ષોને ચીપકી બહાદુરી દર્શાવી હતી .
  • ભારત સરકારે 1980 ના દાયકામાં સંયુક્ત વનવ્યવસ્થાપન ( JFM- Joint Forest Management ) દ્વારા સ્થાનિક સમુદાયોની ભાગીદારી સાથે જંગલોના રક્ષણ અને સંચાલન કાર્ય શરૂ કર્યું .




મિત્રો  આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે.

========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad