NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો પ્રકરણ - 16 - પર્યાવરણીય સમસ્યાઓ જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 3 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
3 માર્કસ ની થિયરી
- શરૂઆતમાં કેન્દ્રીય ઊર્જા ને વીજળી ઉત્પન્ન કરવા માટે એક અપ્રદૂષિત રીત માનવામાં આવતી હતી .
- પછી એ વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો કે કેન્દ્રીય ઊર્જાના ઉપયોગમાં બે સૌથી ખતરનાક અને સહજ રીતે જન્મજાત સમસ્યાઓ રહેલી છે .
- પહેલી સમસ્યા આકસ્મિક ઝરણ ની છે જેમ કે થ્રિ માઇલ આઇલૅન્ડ તથા ચર્લોબીલ ઘટનાઓ અને બીજી સમસ્યા કિરણોત્સર્ગી ( radio active ) કચરાના સુરક્ષિત નિકાલની છે .
- કિરણોત્સર્ગી કચરાથી નીકળતાં વિકિરણો સજીવો માટે ખૂબ જ નુકસાનકારક હોય છે કારણ કે તેના કારણે અતિશય ઊંચા દરે વિકૃતિઓ થાય છે .
- કિરણોત્સર્ગીની ખૂબ જ વધારે માત્રા જીવલેણ ( ધાતક ) હોય છે પરંતુ તેની ઓછી માત્રાને કારણે પણ વિવિધ વિકારો થાય છે .
- તેનો સૌથી વધુ વારંવાર થતો વિકાર કૅન્સર છે .
- તેથી કેન્દ્રીય વિકિરણોનો કચરો અત્યંત શક્તિશાળી પ્રદૂષક છે અને તેની કાર્યવાહીમાં અત્યંત સાવચેતી રાખવાની જરૂર પડે છે .
- એ ભલામણ કરવામાં આવી છે કે ન્યુક્લિયર કચરાને પૂર્વ - ઉપચાર ( પૂર્વ - સારવાર ) આપ્યા પછી , તેને યોગ્ય રીતે કવચ ધરાવતા સંગ્રાહકોમાં સંગ્રહ કરી , પૃથ્વીની સપાટી નીચે લગભગ 500 મીટર ઊંડાઈએ ખાડો ખોદીને પથ્થરોથી દબાવી દેવા જોઈએ .
- તેમ છતાં નિકાલની આ પદ્ધતિ માટે પણ લોકો તરફથી સખત વિરોધ થાય છે.
- પૃથ્વીની સપાટી તથા વાતાવરણ ગરમ થવા માટે જવાબદાર ગ્રીનહાઉસ અસર એક કુદરતી ઘટના છે .
- ગ્રીનહાઉસ અસરને કારણે પૃથ્વીની સપાટીનું વર્તમાન સરેરાશ તાપમાન 15 ° સે છે . અન્યથા તે -18 સે જેટલું નીચું હોત .
- પૃથ્વી તરફ આવતા સૌરવિકિરણોના લગભગ તે ભાગ વાદળો તથા અન્ય વાયુઓથી પરાવર્તન થાય છે અને બીજો ભાગ તેમના દ્વારા શોષણ પામે છે .
- સૌરવિકિરણોનો લગભગ છે ભાગ વાતાવરણમાં પ્રવેશી પૃથ્વીની સપાટી પર પડી , તેને ઉષ્ણ કરે છે ,
- જ્યારે થોડાક પ્રમાણમાં સપાટી પરથી પરાવર્તિત થઈ પાછા અવકાશમાં જાય છે .
- પૃથ્વીની સપાટી લાંબી તરંગલંબાઈ ધરાવતા પારરક્ત વિકિરણોના સ્વરૂપમાં ઉષ્માને પુનઃઉત્સર્જિત કરે છે .
- આ ભાગ અવકાશમાં છટકી જતો નથી , પરંતુ વાતાવરણમાં રહેલા કાર્બન ડાયૉક્સાઈડ , મિથેન વગેરે વાયુઓ દ્વારા શોષણ પામે છે .
- આ વાયુઓના અણુઓ ઉષ્મા ઊર્જાનો ફેલાવો કરે છે .
- આ વાયુઓ દ્વારા પારરક્ત વિકિરણોનો મોટો ભાગ પૃથ્વી તરફ ઉત્સર્જિત થાય છે અને પૃથ્વીને પુનઃ ગરમ કરે છે .
- આ ચક્રનું પુનરાવર્તન થતું રહે છે .
- આમ , પૃથ્વીની સપાટી અને તેનું વાતાવરણ ઉષ્ણ થવાની આ ઘટનાને ગ્રીનહાઉસ અસર કહે છે.
- વનવિનાશની અસરો નીચે મુજબ છે :
- વનવિનાશ પ્રાદેશિક તેમજ વૈશ્વિક આબોહવાકીય ફેરફાર પ્રેરે છે .
- વનોના નાશથી વરસાદનું પ્રમાણ ઘટે છે .
- જલચક્ર અસંતુલિત થાય છે .
- વન દૂર થવાથી ભૂમિનું ધોવાણ થવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે તથા તેને રણપ્રદેશ તરફ દોરી શકે છે .
- વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધતાં ઉષ્ણતામાનનો વધારો થાય છે .
- તેના પરિણામે ગ્રીનહાઉસ અસર સર્જાય છે .
- વનવિનાશને કારણે નિવસનતંત્રની સમતુલા ખોરવાય થાય છે .અને જૈવ ભૂ - રાસાયણિક ચક્રોના સંચાલનમાં અનિયમિતતા ઊભી
- ઘણા વન્ય જીવો પોતાના કુદરતી વસવાટો ગુમાવે છે અને નાશપ્રાયઃ અથવા લુપ્ત થવાથી જૈવવિવિધતાને નુકસાન થાય છે.
- ભારતમાં જંગલોના સંરક્ષણ અને સુરક્ષામાં લોકોની ભાગીદારીનો લાંબો ઇતિહાસ છે .
- 1731 માં રાજસ્થાન જોધપુરના રાજાએ નવો મહેલ બનાવવા માટે પોતાના મંત્રીને લાકડાંની વ્યવસ્થા કરવાનું કહ્યું .
- રાજાના મંત્રી અને કર્મચારીઓ બીશ્નોઈ પરિવારની વસાહત ગામ નજીકના જંગલમાં વૃક્ષો કાપવા માટે ગયા .
- વૃક્ષો બચાવવા બિશ્નોઈ પરિવારની અમૃતાદેવી , તેમની ત્રણ દીકરીઓ અને બિનોઈ સમુદાયના ઘણા લોકોએ પોતાના પ્રાણ આપી દીધા .
- આ ઘટનાની કદરરૂપે ગામડાના વિસ્તારોમાં વન્ય જીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને અનન્ય નિષ્ઠા દશવેિ તે માટે વ્યક્તિગત કે સમગ્ર સમાજ માટે ભારત સરકારે અમૃતાદેવી બિશ્નોઈ વન્ય જીવ સરંક્ષણ પુરસ્કાર ( Amrita Devi Bishnoi Wildlife Protection Award ) આપવાનું શરૂ ક્યું છે .
- ચિપકો આંદોલન :
- પ્રારંભઃ 1974 માં ગઢવાલ હિમાલયની સ્થાનિક સ્ત્રીઓએ કૉન્ટ્રાક્ટરના કુહાડીના પ્રહાર સામે વૃક્ષોને ચીપકી બહાદુરી દર્શાવી હતી .
- ભારત સરકારે 1980 ના દાયકામાં સંયુક્ત વનવ્યવસ્થાપન ( JFM- Joint Forest Management ) દ્વારા સ્થાનિક સમુદાયોની ભાગીદારી સાથે જંગલોના રક્ષણ અને સંચાલન કાર્ય શરૂ કર્યું .
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે.
========================================
Please do not enter any spam link or word in the comment box