NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો પ્રકરણ - 16 - પર્યાવરણીય સમસ્યાઓ જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 3 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
3 માર્કસ ની થિયરી
- અવાજ ઉત્પન્ન કરતાં ન હોય તેવાં મશીનોનો ઉપયોગ કરવો .
- ઉદ્યોગોમાં ધ્વનિશોષક સામગ્રીનો ઉપયોગ કરવો .
- કાનમાં રૂનાં પૂમડાં ભરાવવાં જોઈએ કે ઘોંઘાટને રોકી રાખવાના સાધનો દ્વારા ઘોંઘાટનું અસરકારક નિયંત્રણ કરી શકાય .
- વસવાટ એકમોથી ફેક્ટરીઓને દૂર સ્થાપવી .
- સામાન્ય સંજોગોમાં હૉર્ન ( ભૂંગળું ) વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ .
- દવાખાના કે શાળાઓની આસપાસ હૉર્નમુક્ત વિસ્તારોની સીમિતતા , ફટાકડા અને મોટા અવાજવાળા સ્પીકર્સ માટે અનુકૂળ પરવાનગીમય ધ્વનિસ્તર તથા ચોક્કસ સમય પછી ધ્વનિ વિસ્તારક યંત્રો ( લાઉડ સ્પીકર્સ ) વગાડવા પર પ્રતિબંધ તથા તેનું જવાબદારીપૂર્વક પાલન કરી અવાજના પ્રદૂષણનું નિયંત્રણ કરી શકાય .
- દ્રાવ્ય ઑક્સિજનની માત્રામાં તીવ્ર ઘટાડો :
- વાહિત મળમાં રહેલા કાર્બનિક દ્રવ્યોના વિઘટનમાં સંકળાયેલા સૂક્ષ્મ જીવો ઘણી માત્રામાં દ્રાવ્ય ઑક્સિજનનો વપરાશ કરે છે .
- તેના પરિણામે વાહિત મળ વિસર્જનના સ્થળે અનુપ્રવાહિત પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનની માત્રામાં તીવ્ર ઘટાડો જોવા મળે છે .
- તેના કારણે માછલી તથા અન્ય જલીય જીવોનો મૃત્યુદર વધી જાય છે .
- લીલ પ્રસ્ફુટન :
- વાહિત મળમાં રહેલા નાઇટ્રેટ , એમોનિયા , ફૉસ્ફટ વગેરે પોષક તત્ત્વોની વધુ માત્રામાં હાજરીને કારણે પ્લવકીય ( મુક્ત તરતી ) લીલની અતિશય વૃદ્ધિ થાય છે , તેને પ્રફુટન કહે છે .
- તેથી પાણીનો રંગ અને ગુણવત્તા બદલાય છે . માછલીઓનું મૃત્યુ થાય છે .
- કેટલીક પ્રસ્ફુટનકારી લીલ મનુષ્યો અને પ્રાણીઓ માટે અતિશય ઝેરી હોય છે .
- વાહિત મળમાં રહેલા રોગકારક સૂક્ષ્મ જીવો નદીના પાણીમાં ઉમેરાતાં , આ પ્રદૂષિત પાણીના ઉપયોગથી મરડો , થઇફોઇડ , કૉલેરા , કમળો વગેરે રોગો ફેલાય છે .
- અનુક્રમિત પોષક સ્તરોએ વિષ ( ઝેરી પદાર્થોની સાંદ્રતામાં થતા વધારાને જૈવવિવર્ધન ( જૈવિક વિશાલન ) કહે છે .
- ઉદ્યોગોના નકામા પાણીમાં રહેલા કેટલાક ઝેરી પદાર્થો જલીય આહારશૃંખલામાં જૈવવિવર્ધન પ્રેરી શકે છે .
- આ ઘટનાને કારણે સજીવોમાં ઝેરી ઘટકો એકત્રિત થાય છે .
- આવાં દ્રવ્યોનું ચયાપચય થતું નથી કે તેનો નિકાલ થતો નથી .
- પરંતુ તેનું વહન ઉપલા પોષક સ્તરમાં થાય છે .
- આ ઘટના મરક્યુરી અને DDT માટે નોંધાયેલી છે . દા . ત . , DDT . એક વાર તે સજીવના દેહમાં પ્રવેશે પછી તેનું વિઘટન શક્ય હોતું નથી .
- પાણીમાં મચ્છરના નાશ માટે DDT નો છંટકાવ થાય છે .
- પાણીમાંથી તે વનસ્પતિમાં તૃણાહારી વિવિધ ક્રમનાં માંસાહારી પ્રાણીઓમાં ખોરાક સાથે પ્રવેશે છે .
- તે શરીરના મેદમાં સંચિત થતું જાય છે .
- તેનું ઊંચું સંકેન્દ્રણ ઉચ્ચ સ્તરનાં માંસાહારી પ્રાણીઓમાં ઘાતક અસરો પ્રેરે છે . આકૃતિ દર્શાવે છે કે પાણીમાં DDT નું શરૂઆતમાં પ્રમાણ 0.003 ppb ( પાર્ટ પર બિલિયન ) થી શરૂ થાય છે અને જૈવિક વિશાલન દ્વારા માછલી ખાનારાં પક્ષીઓમાં વધીને તે 25 ppm ( પાર્ટ પર મિલિયન ) સુધી પહોંચી શકે છે .
- DDT ની ઊંચી સાંદ્રતા પક્ષીઓમાં કેલ્શિયમના ચયાપચયને ખલેલ પહોંચાડે છે .
- તેના કારણે અંડકવચ પાતળું થઈ જાય છે અને પરિપક્વતા પહેલાં તૂટી જાય છે .
- આથી પક્ષીઓની વસતિમાં ઘટાડો થાય છે.
- ઘરગથ્થુ કચરો મોટા ભાગે જૈવવિઘટનીય દ્રવ્યો ધરાવે છે .
- આ દ્રવ્યો સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા વિઘટન પામે છે .
- ગૃહવપરાશના પાણીમાં કેટલા પ્રમાણમાં જૈવવિઘટનીય કાર્બનિક દ્રવ્યો ઓગળેલાં છે .
- તેનું પ્રમાણ જૈવરાસાયણિક ઑક્સિજન માંગ ( BOD ) થી માપી શકાય છે .
- પાણીમાંના કાર્બનિક જૈવવિઘટનીય દ્રવ્યોના વિઘટન માટે જરૂરી ઑક્સિજનનું માપન BOD વડે થાય છે .
- કાર્બનિક દ્રવ્યોનું જૈવવિઘટન સૂક્ષ્મ જીવાણુઓ વડે થાય છે .
- આ ક્રિયામાં O2 નો ઘણો દુર્વ્યય થાય છે .
- આથી જળાશયોમાં દ્રાવ્ય O2 ( Do – dissolved O2 ) નો ઘટાડો થાય છે .
- આમ , પાણીમાં BOD વધે તેમ દ્રાવ્ય O2 ઘટે છે .
- પાણીમાં વસતા જે સજીવો O2 ની ઘટતી સાંદ્રતા પ્રત્યે સંવેદનશીલ હોય તેમનું અસ્તિત્વ જોખમાય છે .
- સુપોષકતાકરણ એ તળાવના પાણીમાં પોષક તત્ત્વોના વધારા દ્વારા થતી તેની પ્રાકૃતિક જીર્ણતા છે .
- એક નવનિર્મિત તળાવનું ઠંડું અને સ્વચ્છ પાણી કેટલાક જીવોને આધાર આપે છે .
- સમય સાથે તળાવમાં નાઇટ્રોજન અને ફૉસ્ફરસ જેવાં પોષક તત્ત્વોનો ઉમેરો જલીય સજીવોની વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે .
- તળાવની ફળદ્રુપતામાં વધારા સાથે વનસ્પતિ અને પ્રાણીજીવનની જટિલતા વધે છે અને કાર્બનિક અવશેષો ( મૃત ઘટકો ) તળાવના તળિયે જમા થાય છે .
- કાંપ અને કાર્બનિક અવશેષી પદાર્થોની જમાવટ સાથે લાંબા ગાળે તળાવ છીછરાં અને ગરમ થતા જાય છે . આમ , તળાવના ઠંડા વાતાવરણમાં જીવન જીવતા સજીવોના સ્થાને ગરમ - હુંફાળા પાણીના સજીવો જીવન જીવે છે .
- અંતે , ઘાસમય નીચાણવાળા કળણ ભૂમિવિસ્તારની વનસ્પતિઓ છીછરી જગ્યાએ મૂળ જમાવે છે અને તળાવના મૂળભૂત તટપ્રદેશને ભરી દે છે જ્યારે મોટી સંખ્યામાં તરતી વનસ્પતિઓથી તળાવ ભરાઈ જાય છે .
- ભેજવાળી પોચી જમીન અને છેવટે ભૂમિમાં પરિવર્તિત થઈ જાય છે .
- આબોહવા , તળાવના કદ અને અન્ય પરિબળોને આધારે તળાવની કુદરતી જીર્ણતામાં હજારો વર્ષો લાગી શકે છે .
- ઉદ્યોગો અને ઘરના કચરા જેવી મનુષ્યની ક્રિયાવિધિઓથી તળાવની જીર્ણતાની પ્રક્રિયાની ગતિ ખૂબ ઝડપથી વધતી જાય છે , તેને સંવર્ધિત કે પ્રવેગિત સુપોષકતકરણ કહે છે .
- વાહિત મળ , કૃષિ - વિષયક કે ઔદ્યોગિક નકામા કચરામાં મુખ્ય અશુદ્ધિ તરીકે નાઇટ્રેટ અને ફૉસ્ફટ હોય છે .
- વનસ્પતિઓ માટે તે પોષકો તરીકે વર્તે છે .
- તેઓ લીલ વૃદ્ધિને ઉત્તેજે છે .
- લીલ પ્રફુટનને કારણે તળાવ પર લીલું આચ્છાદન બને છે તેમજ દુર્ગધ સર્જાય છે .
- કચરાથી સુપોષિત તળાવના પાણીમાં જલીય જીવન માટે આવશ્યક દ્રાવ્ય ઑક્સિજન ઘટી જાય છે .
- ઉદ્યોગોના પ્રદૂષકો માછલીઓની વસતિ માટે ઝેરી હોય છે .
- તેના મૃત અવશેષોના વિઘટનથી દ્રાવ્ય ઑક્સિજનની માત્રા વધુ ઘટી જાય છે .
- આમ , સુપોષકતાને કારણે તળાવની જૈવિકતા વાસ્તવિક રીતે ઘૂંટાઈને મૃત્યુ પામે છે .
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે.
========================================
Please do not enter any spam link or word in the comment box