Type Here to Get Search Results !

Board Most IMP Question-2021 | પ્રકરણ - 16 - પર્યાવરણીય સમસ્યાઓ | 3 માર્ક થિયરી ( ભાગ -1 )

0


NEET Biology Concept Material

NEET Biology Examination 

NEET Biology Tips

NEET Biology Study Material

Board Exam Most IMP theory


નમસ્તે મિત્રો પ્રકરણ - 16 - પર્યાવરણીય સમસ્યાઓ  જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય  છે એમાંથી  3  માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક  મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.


3 માર્કસ ની થિયરી


1.અવાજ પ્રદુષણ અટકાવવા ના ઉપાયો જણાવો
  • અવાજ ઉત્પન્ન કરતાં ન હોય તેવાં મશીનોનો ઉપયોગ કરવો .
  • ઉદ્યોગોમાં ધ્વનિશોષક સામગ્રીનો ઉપયોગ કરવો .
  • કાનમાં રૂનાં પૂમડાં ભરાવવાં જોઈએ કે ઘોંઘાટને રોકી રાખવાના સાધનો દ્વારા ઘોંઘાટનું અસરકારક નિયંત્રણ કરી શકાય .
  • વસવાટ એકમોથી ફેક્ટરીઓને દૂર સ્થાપવી .
  • સામાન્ય સંજોગોમાં હૉર્ન ( ભૂંગળું ) વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ .
  • દવાખાના કે શાળાઓની આસપાસ હૉર્નમુક્ત વિસ્તારોની સીમિતતા , ફટાકડા અને મોટા અવાજવાળા સ્પીકર્સ માટે અનુકૂળ પરવાનગીમય ધ્વનિસ્તર તથા ચોક્કસ સમય પછી ધ્વનિ વિસ્તારક યંત્રો ( લાઉડ સ્પીકર્સ ) વગાડવા પર પ્રતિબંધ તથા તેનું જવાબદારીપૂર્વક પાલન કરી અવાજના પ્રદૂષણનું નિયંત્રણ કરી શકાય .
2. નદીની કેટલીક મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓ પર વાહિત વિસર્જન ની રેખાકૃતિ દોરી સમજાવો


  • દ્રાવ્ય ઑક્સિજનની માત્રામાં તીવ્ર ઘટાડો :
  • વાહિત મળમાં રહેલા કાર્બનિક દ્રવ્યોના વિઘટનમાં સંકળાયેલા સૂક્ષ્મ જીવો ઘણી માત્રામાં દ્રાવ્ય ઑક્સિજનનો વપરાશ કરે છે .
  • તેના પરિણામે વાહિત મળ વિસર્જનના સ્થળે અનુપ્રવાહિત પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનની માત્રામાં તીવ્ર ઘટાડો જોવા મળે છે .
  • તેના કારણે માછલી તથા અન્ય જલીય જીવોનો મૃત્યુદર વધી જાય છે .
  • લીલ પ્રસ્ફુટન :
  • વાહિત મળમાં રહેલા નાઇટ્રેટ , એમોનિયા , ફૉસ્ફટ વગેરે પોષક તત્ત્વોની વધુ માત્રામાં હાજરીને કારણે પ્લવકીય ( મુક્ત તરતી ) લીલની અતિશય વૃદ્ધિ થાય છે , તેને પ્રફુટન કહે છે .
  • તેથી પાણીનો રંગ અને ગુણવત્તા બદલાય છે . માછલીઓનું મૃત્યુ થાય છે .
  • કેટલીક પ્રસ્ફુટનકારી લીલ મનુષ્યો અને પ્રાણીઓ માટે અતિશય ઝેરી હોય છે .
  • વાહિત  મળમાં રહેલા રોગકારક સૂક્ષ્મ જીવો નદીના પાણીમાં ઉમેરાતાં , આ પ્રદૂષિત પાણીના ઉપયોગથી મરડો , થઇફોઇડ , કૉલેરા , કમળો વગેરે રોગો ફેલાય છે .
3. જૈવિક વિવર્ધન આંકડાકીય માહિતી નો ચાર્ટ દોરી વિસ્તૃત માં સમજાવો

  • અનુક્રમિત પોષક સ્તરોએ વિષ ( ઝેરી પદાર્થોની સાંદ્રતામાં થતા વધારાને જૈવવિવર્ધન ( જૈવિક વિશાલન ) કહે છે .
  • ઉદ્યોગોના નકામા પાણીમાં રહેલા કેટલાક ઝેરી પદાર્થો જલીય આહારશૃંખલામાં જૈવવિવર્ધન પ્રેરી શકે છે .
  • આ ઘટનાને કારણે સજીવોમાં ઝેરી ઘટકો એકત્રિત થાય છે .
  • આવાં દ્રવ્યોનું ચયાપચય થતું નથી કે તેનો નિકાલ થતો નથી .
  • પરંતુ તેનું વહન ઉપલા પોષક સ્તરમાં થાય છે .
  • આ ઘટના મરક્યુરી અને DDT માટે નોંધાયેલી છે . દા . ત . , DDT . એક વાર તે સજીવના દેહમાં પ્રવેશે પછી તેનું વિઘટન શક્ય હોતું નથી .
  • પાણીમાં મચ્છરના નાશ માટે DDT નો છંટકાવ થાય છે .
  • પાણીમાંથી તે વનસ્પતિમાં તૃણાહારી વિવિધ ક્રમનાં માંસાહારી પ્રાણીઓમાં ખોરાક સાથે પ્રવેશે છે .
  • તે શરીરના મેદમાં સંચિત થતું જાય છે .
  • તેનું ઊંચું સંકેન્દ્રણ ઉચ્ચ સ્તરનાં માંસાહારી પ્રાણીઓમાં ઘાતક અસરો પ્રેરે છે . આકૃતિ દર્શાવે છે કે પાણીમાં DDT નું શરૂઆતમાં પ્રમાણ 0.003 ppb ( પાર્ટ પર બિલિયન ) થી શરૂ થાય છે અને જૈવિક વિશાલન દ્વારા માછલી ખાનારાં પક્ષીઓમાં વધીને તે 25 ppm ( પાર્ટ પર મિલિયન ) સુધી પહોંચી શકે છે .
  • DDT ની ઊંચી સાંદ્રતા પક્ષીઓમાં કેલ્શિયમના ચયાપચયને ખલેલ પહોંચાડે છે .
  • તેના કારણે અંડકવચ પાતળું થઈ જાય છે અને પરિપક્વતા પહેલાં તૂટી જાય છે .
  • આથી પક્ષીઓની વસતિમાં ઘટાડો થાય છે.
4. જૈવ રાસાયણિક ઓક્સિજન આવશ્યકતા વિશે નોંધ લખો
  • ઘરગથ્થુ કચરો મોટા ભાગે જૈવવિઘટનીય દ્રવ્યો ધરાવે છે .
  • આ દ્રવ્યો સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા વિઘટન પામે છે .
  • ગૃહવપરાશના પાણીમાં કેટલા પ્રમાણમાં જૈવવિઘટનીય કાર્બનિક દ્રવ્યો ઓગળેલાં છે .
  • તેનું પ્રમાણ જૈવરાસાયણિક ઑક્સિજન માંગ ( BOD ) થી માપી શકાય છે .
  • પાણીમાંના કાર્બનિક જૈવવિઘટનીય દ્રવ્યોના વિઘટન માટે જરૂરી ઑક્સિજનનું માપન BOD વડે થાય છે .
  • કાર્બનિક દ્રવ્યોનું જૈવવિઘટન સૂક્ષ્મ જીવાણુઓ વડે થાય છે .
  • આ ક્રિયામાં O2 નો ઘણો દુર્વ્યય થાય છે .
  • આથી જળાશયોમાં દ્રાવ્ય O2 ( Do – dissolved O2 ) નો ઘટાડો થાય છે .
  • આમ , પાણીમાં BOD વધે તેમ દ્રાવ્ય O2 ઘટે છે .
  • પાણીમાં વસતા જે સજીવો O2 ની ઘટતી સાંદ્રતા પ્રત્યે સંવેદનશીલ હોય તેમનું અસ્તિત્વ જોખમાય છે .
5. સુપોષકતાકરણ સમજાવો
  • સુપોષકતાકરણ એ તળાવના પાણીમાં પોષક તત્ત્વોના વધારા દ્વારા થતી તેની પ્રાકૃતિક જીર્ણતા છે .
  • એક નવનિર્મિત તળાવનું ઠંડું અને સ્વચ્છ પાણી કેટલાક જીવોને આધાર આપે છે .
  • સમય સાથે તળાવમાં નાઇટ્રોજન અને ફૉસ્ફરસ જેવાં પોષક તત્ત્વોનો ઉમેરો જલીય સજીવોની વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે .
  • તળાવની ફળદ્રુપતામાં વધારા સાથે વનસ્પતિ અને પ્રાણીજીવનની જટિલતા વધે છે અને કાર્બનિક અવશેષો ( મૃત ઘટકો ) તળાવના તળિયે જમા થાય છે .
  • કાંપ અને કાર્બનિક અવશેષી પદાર્થોની જમાવટ સાથે લાંબા ગાળે તળાવ છીછરાં અને ગરમ થતા જાય છે . આમ , તળાવના ઠંડા વાતાવરણમાં જીવન જીવતા સજીવોના સ્થાને ગરમ - હુંફાળા પાણીના સજીવો જીવન જીવે છે .
  • અંતે , ઘાસમય નીચાણવાળા કળણ ભૂમિવિસ્તારની વનસ્પતિઓ છીછરી જગ્યાએ મૂળ જમાવે છે અને તળાવના મૂળભૂત તટપ્રદેશને ભરી દે છે જ્યારે મોટી સંખ્યામાં તરતી વનસ્પતિઓથી તળાવ ભરાઈ જાય છે .
  • ભેજવાળી પોચી જમીન અને છેવટે ભૂમિમાં પરિવર્તિત થઈ જાય છે .
  • આબોહવા , તળાવના કદ અને અન્ય પરિબળોને આધારે તળાવની કુદરતી જીર્ણતામાં હજારો વર્ષો લાગી શકે છે .
  • ઉદ્યોગો અને ઘરના કચરા જેવી મનુષ્યની ક્રિયાવિધિઓથી તળાવની જીર્ણતાની પ્રક્રિયાની ગતિ ખૂબ ઝડપથી વધતી જાય છે , તેને સંવર્ધિત કે પ્રવેગિત સુપોષકતકરણ કહે છે .
  • વાહિત મળ , કૃષિ - વિષયક કે ઔદ્યોગિક નકામા કચરામાં મુખ્ય અશુદ્ધિ તરીકે નાઇટ્રેટ અને ફૉસ્ફટ હોય છે .
  • વનસ્પતિઓ માટે તે પોષકો તરીકે વર્તે છે .
  • તેઓ લીલ વૃદ્ધિને ઉત્તેજે છે .
  • લીલ પ્રફુટનને કારણે તળાવ પર લીલું આચ્છાદન બને છે તેમજ દુર્ગધ સર્જાય છે .
  • કચરાથી સુપોષિત તળાવના પાણીમાં જલીય જીવન માટે આવશ્યક દ્રાવ્ય ઑક્સિજન ઘટી જાય છે .
  • ઉદ્યોગોના પ્રદૂષકો માછલીઓની વસતિ માટે ઝેરી હોય છે .
  • તેના મૃત અવશેષોના વિઘટનથી દ્રાવ્ય ઑક્સિજનની માત્રા વધુ ઘટી જાય છે .
  • આમ , સુપોષકતાને કારણે તળાવની જૈવિકતા વાસ્તવિક રીતે ઘૂંટાઈને મૃત્યુ પામે છે .



મિત્રો  આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે.

========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad