Type Here to Get Search Results !

Board Most IMP Question-2021 | પ્રકરણ - 14 - નિવસનતંત્ર | 3 માર્ક થિયરી

0


NEET Biology Concept Material

NEET Biology Examination 

NEET Biology Tips

NEET Biology Study Material

Board Exam Most IMP theory


નમસ્તે મિત્રો પ્રકરણ - 14 - નિવસનતંત્ર  જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય  છે એમાંથી 2 અને 3  માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક  મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.


3 માર્કસ ની થિયરી


1. તફાવત આપો કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક ઉત્પાદકતા ( નોંધ - પરીક્ષામાં આ પ્રશ્ન તફાવત સ્વરૂપે લખવો )
  • કુલ પ્રાથમિક ઉત્પાદકતા
  • નિવસનતંત્રના બધા ઉત્પાદક સજીવો દ્વારા થતા કુલ પ્રકાશસંશ્લેષણને કુલ પ્રાથમિક ઉત્પાદકતા ( GPP ) કહે છે .
  • તે હરિતદ્રવ્યના પ્રમાણ પર આધારિત છે .
  • GPP = NPP + શ્વસન ક્રિયામાં થયેલી ઘટ
  • તેનો દર હરિતદ્રવ્યના જથ્થાની રીતે હરિતદ્રવ્ય / ગ્રામ , શુષ્ક વજન / એકમ ક્ષેત્રફળમાં અથવા પ્રકાશસંશ્લેષણની માત્રાની રીતે સ્થાપિત  CO2  નું પ્રમાણ / ગ્રામ હરિતદ્રવ્ય / કલાકમાં માપી શકાય છે .
  • વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા
  • ચોક્કસ સમયગાળા બાદ વનસ્પતિઓ દ્વારા વપરાશ બાદ ઉપભોગીઓ માટે બાકી રહેતી પ્રાપ્ત ઊર્જાને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા ( NPP ) કહે છે .
  • તે ઉત્પાદકોના ચયાપચય પર આધારિત છે .
  • NPP = GPP - શ્વસન ક્રિયામાં થતી ઘટ
  • તે વાનસ્પતિક જૈવભારરૂપે ઉપભોગી સજીવોના આહારમાં ઉપયોગમાં આવે છે .
2. વિઘટન પર અસર કરતા પરિબળો વિશે નોંધ લખો
  • વિઘટન એ ખૂબ જ ઑક્સિજન આવશ્યક હોય એવી એક પ્રક્રિયા છે .
  • વિઘટનનો દર મૃત અવશેષીય ઘટકો અને પર્યાવરણીય કારકોનાં રાસાયણિક સંઘઠનો દ્વારા નિયંત્રિત હોય છે .
  • એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષીય ઘટકો લિગ્નીન અને કાઈટિનસભર હોય ત્યારે વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે
  • જો મૃત અવશેષીય ઘટકો નાઇટ્રોજન તથા શર્કરા જેવા જલદ્રાવ્ય પદાર્થોસભર હોય ત્યારે તે ખૂબ જ ઝડપી હોય છે .
  • તાપમાન અને ભૂમિનો ભેજ ખૂબ જ મહત્ત્વના પર્યાવરણીય કારકો છે જે ભૂમિના સૂક્ષ્મજીવોની ક્રિયાઓ પર તેમની અસર દ્વારા વિધટનનું નિયમન કરે છે .
  • હૂંફાળું અને ભેજયુક્ત  પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે . જ્યારે ઓછું તાપમાન અને અજારક જીવન
  • વિઘટનને અવરોધે છે તેના પરિણામ સ્વરૂપ કાર્બનિક દ્રવ્યોના ભંડાર રચાય છે .
3. તફાવત આપો પ્રાથમિક અનુક્રમણ અને દ્રિતીયક અનુક્રમણ (નોંધ - પરીક્ષામાં આ પ્રશ્ન તફાવત સ્વરૂપે લખવો)
  • પ્રાથમિક અનુક્રમણ
  • જ્યાં ક્યારેય કોઈ સજીવોનું અસ્તિત્વ ન રહ્યું હોય તેવા કોઈ વિસ્તારમાં અનુક્રમણ શરૂ થાય તો તેને પ્રાથમિક અનુક્રમણ કહે છે .
  • નવો ઠંડો પડેલો લાવી , ખુલ્લા ખડક , નવસર્જિત તળાવ જળાશય વગેરે વિસ્તારોમાં પ્રાથમિક અનુક્રમણ શરૂ થાય છે .
  • આ વિસ્તારોમાં નવા જૈવિક સમાજના સ્થાપનની ક્રિયા ઘણી ધીમી હોય છે .
  • વિવિધ સજીવોના જૈવિક સમાજની સંસ્થાપના થાય તે પહેલાં , ત્યાં ભૂમિ હોવી આવશ્યક છે .
  • મહદંશે આબોહવા પર આધારિત , ખુલ્લા ખડક પર ફળદ્રુપ જમીનના નિર્માણની પ્રાકૃતિક પ્રક્રિયાઓમાં સદીઓથી હજારો વર્ષો લાગે છે .
  • દ્વિતીયક અનુક્રમણ
  • જ્યાં અગાઉ અસ્તિત્વ ધરાવતાં પ્રાકૃતિક જૈવિક સમાજ નાશ પામ્યા હોય એવા વિસ્તારોમાં થતા અનુક્રમણને દ્વિતીયક અનુક્રમણ કહે છે .
  • પૂર્ણપણે ત્યજાયેલી ખેતીલાયક જમીન , સળગી ગયેલા કે કાપી નાખેલા જંગલો , પૂરથી પ્રભાવિત જમીન વગેરે વિસ્તારો પર દ્વિતીયક અનુક્રમણ થાય છે .
  • પ્રાથમિક અનુક્રમણ કરતાં દ્વિતીયક અનુક્રમણ ઝડપી હોય છે .
  • દ્વિતીયક અનુક્રમણમાં ભૂમિની સ્થિતિ , પાણીની ઉપલબ્ધિ , પર્યાવરણ તથા બીજ કે તેમાં રહેલા પ્રાંકુરો પર જાતિનું આક્રમણ આધારિત છે .
  • જો ભૂમિ પહેલેથી હાજર હોય તો અનુક્રમણનો દર ખૂબ ઝડપી હોય છે અને ચરમાવસ્થા ખૂબ જ ત્વરિત રીતે પ્રાપ્ત થઈ જાય છે .
4. નોંધ લખો જલ આરંભી અનુક્રમણ
  • નવસર્જિત તળાવ કે જળાશયમાં શરૂ થતા પ્રાથમિક અનુક્રમણને જલ - આરંભી અનુક્રમણ કહે છે .
  • તે દરમિયાન વનસ્પતિ - સમાજમાં ફેરફારો જોવા મળે છે .
  • પાયાની જાતિઓ તરીકે નાના વનસ્પતિપ્લવકો અનુક્રમિત થાય છે
  • સમય જતાં મૂળધારી નિમસ્જિત વનસ્પતિઓ સ્થાપિત થાય છે .
  • ત્યારબાદ , મુક્ત રીતે તરતી વનસ્પતિઓ દ્વારા તેને અનુસરીને મૂળધારી તરતી આવૃત બીજધારીઓ પ્રતિસ્થાપિત થાય છે
  • ત્યારબાદ નરકૂલ અવસ્થા , ઘાસમય ભીની જમીન , ઝાડી - ઝાંખરામય અવસ્થા અને અંતે વૃક્ષો પ્રતિસ્થાપિત થાય છે .
  • ચરમાવસ્થા સમાજ જંગલ હોઈ શકે છે .
5. તફાવત આપો કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર ( નોંધ - પરીક્ષામાં આ પ્રશ્ન તફાવત સ્વરૂપે લખવો )
  • કાર્બનચક્ર
  • તેમાં સજીવોના શ્વસન દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ રૂપે કાર્બન મુક્ત થાય છે .
  • કાર્બનના કુદરતી સંચયસ્થાન મહાસાગરો અને અશ્મી બળતણ કાર્બનચક્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે .
  • વરસાદ દ્વારા કાર્બનનો વાતાવરણમાં અંત : પ્રવેશ વધારે હોય છે .
  • સજીવો અને પર્યાવરણ વચ્ચે કાર્બનનો વાયુવિનિમય ખૂબ વધારે હોય છે .
  • ફોસ્ફરસ ચક્ર 
  • સજીવોના શ્વસન દ્વારા વાતાવરણમાં ફૉસ્ફરસ મુક્ત કરી શકાતો નથી .
  • ફૉસ્ફરસને ફૉસ્ફટ સ્વરૂપે સંગ્રહ કરતાં ખડકો ફૉસ્ફરસના કુદરતી સંચયસ્થાન છે .
  • કાર્બનની સરખામણીમાં વરસાદ દ્વારા ફૉસ્ફરસનો વાતાવરણમાં અંતઃપ્રવેશ ખૂબ જ ઓછો હોય છે .
  • સજીવો અને પર્યાવરણ વચ્ચે ફૉસ્ફરસનો વાયુવિનિમય એકદમ નહિવત્ હોય છે .


મિત્રો  આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે.

========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad