Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -5 | ટેસ્ટ - 39 | ધોરણ -12

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | પ્રકરણ -5 | ટેસ્ટ - 39 | ધોરણ -12

1. બે વૈકલ્પિક કારકો ધરાવતો સજીવ ..
( a ) સમયુગ્મી અને વિષમયુગ્મી
( b ) કારકો માટે વિષમયુગ્મી
( c ) કારકો માટે સમયુગ્મી
( d ) આમાંથી એક પણ નહિ .

2. આનુવંશિકતાના એકમ માટે મેન્ડલે નીચેમાંથી કયો શબ્દ પ્રયોજ્યો હતો ?
( a ) કારક ( નિર્ણાયકો )
( b ) જીનોમ
( c ) જનીનકણો
( d ) આમાંથી એક પણ નહિ .

3. સજીવોની તેના પૂર્વજો સાથેની સમાનતાને.........કહે છે.
( a ) આનુવંશિકતા
( b ) જનીનવિદ્યા
( c ) ઉત્ક્રાંતિ
( d ) આમાંથી એક પણ નહિ .

4. દ્વિસંકરણ પ્રયોગમાં RRYY અને rryy પિતૃમાં RrYy જનીન સ્વરૂપ ધરાવતા છોડની સંખ્યા F2 પેઢીમાં....
( a ) 4
( b ) 3
( c ) 2
( d ) 1

5. 19 મી સદીમાં નીચેનામાંથી ક્યા ત્રણ જીવવિજ્ઞાનીઓએ સ્વતંત્ર રીતે મેન્ડલના સિદ્ધાંતોનું સંશોધન કર્યું ?
( a ) ડી , બ્રીઝ , કોરેન્સ અને ટેશ્માર્ક
( b ) સટન , મોર્ગન અને બ્રીજીસ
( c ) એવરી , મેક્લીઓડ અને મેકકાર્ટિ
( d ) બેટ્સન , પેનેટ અને બ્રીજીસ

6. મેન્ડલનો નિયમ જે પૂર્ણપણે લાગુ પડતો નથી .
( a ) સહપ્રભુતાનો નિયમ
( b ) કારકોના વિશ્લેષણનો નિયમ
( c ) કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ
( d ) પ્રભુતાનો નિયમ

7. નીચેનામાંથી કયો ટેસ્ટ ક્રોસ ( કસોટી - સંકરણ ) દર્શાવે છે ?
( a ) Ww x WW
( b ) Ww X Ww
( c ) Ww X ww
( d ) WW X WW

8. નીચેની ઘટના માટે સાચો ક્રમ કયો છે ?
( 1 ) આનુવંશિકતા માટે રંગસૂત્ર નિર્માણનો સિદ્ધાંત .
( 2 ) પ્રયોગો જેના દ્વારા સાબિત થયું છે કે DNA આનુવંશિક દ્રવ્ય છે .
( 3 ) મેન્ડલના આનુવંશિકતાના નિયમની શોધ
( a ) ( 1 ) , ( 3 ) અને ( 2 )
( b ) ( 1 ) , ( 2 ) અને ( 3 )
( c ) ( 3 ) , (1 ) અને ( 2 )
( d ) ( 2 ) , ( 1 ) અને ( 3 )

9. સજીવનું જનીનબંધારણ તેનું........
( a ) જનીનસ્વરૂપ
( b ) દેખાવ સ્વરૂપ
( c ) હોલોટાઇપ
( d ) આમાંથી એક પણ નહિ .

10. જ્યારે બે સજીવ તેમના બાહ્ય દેખાવમાં સમાનતા ધરાવતા હોય પણ જનીનબંધારણ ભિન્ન હોય , ત્યારે તેઓ.....
( a ) દેખાવ સ્વરૂપ
( b ) જનીન સ્વરૂપ
( c ) સમયુગ્મી
( d ) વિષમયુગ્મી

11. કારકો એટલે........

( a ) જનીનોની જોડ જે ચોક્કસ લક્ષણોનું નિયમન કરે છે , જેવું કે ઊંચાપણું નીચાપણું
( b ) જનીનોના બહુગુણિત સ્વરૂપો
( c ) આંખનાં લક્ષણોનું નિયમન કરતાં જનીનો
( d ) સમયુગ્મી પર આવેલા જનીનો

12. કારક પ્રભાવી ગણાય , જો.......
( a ) તે વિષમયુગ્મી જોડાણમાં પ્રદર્શિત થાય .
( b ) તે સમયુગ્મી જોડાણમાં પ્રદર્શિત થાય .
( c ) તે સમયુગ્મી અને વિષમયુગ્મી પરિસ્થિતિમાં પ્રદર્શિત થાય
( d ) તે બીજી પેઢીમાં પ્રદર્શિત થાય .

13. સંકરિત છોડનું જનીનસ્વરૂપ જાણવાની સામાન્ય કસોટી.........
( a ) F2 સંતતિનું નરપિતૃ સાથે સંકરણ
( b ) F2 સંતતિનું માદા સાથે સંકરણ
( c ) F1 સંતતિની જાતીય લાક્ષણિકતાઓનો અભ્યાસ
( d ) F1 સંતતિ એ નરપિતૃ સાથે સંકરણ

14. જ્યારે વિષમયુગ્મી ઊંચા છોડ સ્વફલન કરે ત્યારે ઊંચા અને નીચા છોડ મળે છે . આ...... વર્ણવે છે .
( a ) જન્યુઓની શુદ્ધતાનો નિયમ
( b ) વિશ્લેષણનો નિયમ
( c ) બીજાણુઓના વિભાજનનો નિયમ
( d ) કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ

15. મેન્ડલના નિયમો....... માટે યોગ્ય છે .
( a ) અલિંગી પ્રજનન
( b ) લિંગી પ્રજનન
( c ) વાનસ્પતિક પ્રજનન
( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય

16. મનુષ્યમાં આંખોનો ભૂરો રંગ , કથ્થઈ આંખ રંગ સામે પ્રચ્છન્ન હોય છે . જો બાળકની આંખો કથ્થઈ અને તેની માતાની ભૂરી આંખો હોય , તો બાળકના પિતાનો દેખાવ સ્વરૂપ શું હશે ?
( a ) કાળી આંખ
( b ) કથ્થઈ આંખ
( c ) લીલી આંખ
( d ) ભૂરી આંખ

17. સમયુગ્મી ઊંચા છોડ સાથે F2 ના નીચા છોડનું સંકરણ કરતા ..... પ્રમાણમાં છોડ મળે છે .
( a ) બધા જ સમયુગ્મી નીચા
( b ) બધા જ વિષમયુગ્મી ઊંચા
( c ) 2 ઊંચા 2 નીચા
( d ) 2 નીચા 2 ઊંચા

18. પુન : સંયોજન કઈ પ્રક્રિયામાં જોવા મળે છે ?
( a ) કોષરસવિજ્ઞાન
( b ) ત્રાકતંતુ નિર્માણ
( c ) વ્યતિકરણ
( d ) રંગસૂત્રનું બેવડાવું

19. ઉચ્ચ કક્ષાના સજીવોમાં થતું વ્યતિકરણ કે જેના પરિણામે જનીનિક પુન : સંયોજન જોવા મળે છે , જે...........ની વચ્ચે થાય છે .
( a ) બે બાળ કોષકેન્દ્રિકાઓ વચ્ચે
( b ) બે જુદા દ્વિસૂત્રી જોડ વચ્ચે
( c ) દ્વિસૂત્રી જોડની એકલસૂત્રી રંગસૂત્રિકાઓ
( d ) દ્વિસૂત્રી જોડની non - sister રંગસૂત્રિકાઓ

20. ખોટું વિધાન પસંદ કરો :
( a ) પ્રભાવીપણાનો નિયમ અને કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ બંને મેન્ડલે આપ્યા હતા .
( b ) સંલગ્નતા અને પુન : સંયોજનની શોધ સટને કરી હતી .
( c ) સન 1990 માં ત્રણ વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે મેન્ડલના નિયમોની ફરીથી શોધ કરી .
( d ) આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ સટને આપ્યો .

21. રંગસૂત્રની આનુવંશિકતા સિદ્ધાંત પર આધારિત છે .

( a ) જનીનોના વિશ્લેષણ
( b ) ડિપ્લોઇડી અને હેપ્લોઇડી
( c ) લિંગ સંલગ્નતા
( d ) લિંગી રંગસૂત્રોની હાજરી

22. મનુષ્યમાં ઊંચાઈમાં ઘણો તફાવત જોવા મળે છે , આ........ નુ  ઉદાહરણ છે .
( a ) બહુવિકલ્પી કારકો
( b ) પ્લીઓટ્રોપિક આનુવંશિકતા
( c ) બહુવિકલ્પી આનુવંશિકતા
( d ) સ્યુડોએલેલ્સ

23. સર્વદાતા............

( a ) O Rh + ve
( b ) O Rh - ve
( c ) AB Rh + ve
( d ) AB Rh - ve

24. જે માણસનું રુધિરજૂથ AB હોય , તો તેમાં ઍન્ટિબોડી અને ઍન્ટિજનની શક્યતા શું હોઈ શકે ?
( a ) ઍન્ટિબોડી A અને B હોય પરંતુ ઍન્ટિજન ન હોય .
( b ) ઍન્ટિજન A માટે ઍન્ટિજન B માટે હોય .
( c ) ઍન્ટિજન A અને B હોય પરંતુ ઍન્ટિબોડી ન હોય .
( d ) ઍન્ટિબોડી અને ઍન્ટિજન બંને A અને B માટે હોય .

25. શ્રેયનું રુધિરજૂથ  O હોય અને તેમની માતા ઈલાબેનનું રુધિરજૂથ B હોય , તો શ્રેયનાં પિતા સંજયભાઈનું રુધિરજૂથ કયું હશે ?
( a ) O અથવા A અથવા B
( b ) O અથવા AB
( c ) A અથવા AB
( d ) O અથવા B અથવા AB



જવાબો 

1.B2.A 3.A4.A5.A6.C7.C8.C9.A10.A11.A12.C13.D14.B,
15.B16. B17. C18. C19. D20.B21.A22. C23. B24. C25.A

======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad