Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -4 | ટેસ્ટ - 35 | ધોરણ -12

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | પ્રકરણ -4  | ટેસ્ટ - 35 | ધોરણ -12

1. વિશ્વનાં કયાં દેશે સૌપ્રથમ સમગ્રગાહી પ્રાજનનિક સ્વાથ્યને એક સામાજિક ધ્યેય તરીકે પ્રાપ્ત કરવા માટેના રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમના અમલીકરણનો સૌપ્રથમ પ્રારંભ કર્યો ?
( a ) ભારત ( b ) અમેરિકા ( c ) ચીન ( d ) ઇંગ્લેન્ડ

2. વસ્તીવૃદ્ધિ નિયંત્રણ માટેનો મુખ્ય ધ્યેય શેનો છે ?
( a ) જન્મદરમાં ઘટાડો ( b ) જન્મદરમાં વધારો ( C ) મૃત્યુદરમાં ઘટાડો ( 1 ) મૃત્યુદરમાં વધારો

3. કઈ સંસ્થાનું મુખ્ય ધ્યેય કુટુંબનિયોજનને માનવના પાયાના અધિકાર તરીકે રજૂ કરવાનો છે ?
( a ) ભારતીય કુટુંબ નિયોજન સંઘ ( b ) ભારતીય કુટુંબ સ્વાથ્ય સંઘ
( c ) ( a ) અને ( b ) બંને             ( d ) આમાંથી એકપણ નહિ

4. અંતઃસ્ત્રાવ મુક્ત કરતો IUDs નો ક્રમ
( a ) તૃતીય ( b ) દ્વિતીય ( c ) પ્રથમ ( d ) ચતુર્થ

5. કઈ કુટુંબનિયોજનની પદ્ધતિમાં શુક્રકોષોને મારી નાખવામાં આવે છે ?
( a ) ભૌતિક ( b ) રાસાયણિક ( c ) અંત : સ્ત્રાવી ( d ) વંધ્યીકરણ

6. માદા ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલ કરીને પણ ગર્ભ અવરોધતા પ્રાપ્ત કરી શકાય છે , આ ઉપાયોને શું કહેવાય છે ?
( a ) વંધ્યીકરણ             ( b ) અંત : સ્ત્રાવી પદ્ધતિ
( c ) રાસાયણિક પદ્ધતિ  ( d ) આંતર ગર્ભાશયના ઉપાય ( IUDs )

7. ભારતમાં કેન્દ્રિય ઔષધ સંશોધન સંસ્થા ( CDRI ) કયા શહેરમાં આવેલી છે ?
( a ) બોમ્બે ( b ) દિલ્લી   ( C ) લખનૌ ( d ) અમદાવાદ

8. સ્ત્રી નસબંધીમાં શું કરવામાં આવે છે ?
( a ) ઉદરમાં નાના કાપા દ્વારા    
( b ) યોનિમાર્ગ દ્વારા અંડવાહિનીનો નાનો ભાગ બાંધવામાં આવે
( c ) યોનિમાર્ગ દ્વારા અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે .
( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય

9. ભારતમાં સૌથી વધુ સ્વિક્ત બનેલ ગર્ભ - નિરોધક ઉપાય
( a ) નિરોધનો ઉપયોગ ( b ) ગળવાની ગોળીઓ
( c ) IUDs નો ઉપયોગ ( d ) વંધ્યીકરણ પદ્ધતિઓ

10. IUDs શેના અવરોધન માટે વપરાતી પદ્ધતિઓ છે ?
( a ) શુક્રકોષનું અંડકોષ સાથેનું મિલન             ( b ) શુક્રકોષનું માદા સાથેનું મિલન
( C ) શુક્રકોષનું શુક્રપિંડમાંથી બહાર નિકળવાને ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય

11. નીચેનામાંથી કઈ પદ્ધતિ યાંત્રિક ગર્ભ - અવરોધક તરીકે ઓળખાય છે ?
( a ) MTS ( b ) કોપર- T ( c ) આંતરપટલ ( d ) ડાલ્કોન સીલ્ડ


12. તે ગળવાની ગર્ભ - નિરોધક ગોળીઓમાં આવેલ રસાયણ છે ?
( a ) પ્રોજેસ્ટેરોન ( b ) ઑક્સિટોસીન ( c ) રિલેક્સિન ( d ) આમાંથી એક પણ નહિ .

13. સંવનન દરમિયાન આંતરપટલ માદા પ્રજનનતંત્રના કયા ભાગ ( અંગ ) ને ઢાંકે છે ?
( a ) ગ્રીવા ( b ) ભગશિગ્નિકા ( c ) યોનિદ્વાર ( d ) ફેલોપિયન નલિકા

14. ગર્ભઅવરોધક ગોળીના બંધારણમાં શું હોય છે ?
( a ) રિલેક્સિન ( b ) પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન ( c ) ઑક્સિટોસિન ( d ) વાસોપ્રેસિન

15. દરરોજ લેવાની ગર્ભનિરોધક ગોળી એટલે ...
( a ) માલા C ( b ) માલા M અને માલા D ( c ) માલા A ( d ) માલા દ

16. ટ્યુબેક્ટોમીમાં ...

( a ) અંડવાહિનીનો નાનો ભાગ કાપવામાં આવે અથવા બાંધવામાં આવે .
( b ) સર્જરી દ્વારા અંડપિંડને દૂર કરવામાં આવે .
( c ) શુક્રવાહિનીનો નાનો ભાગ કાપવામાં આવે અથવા બાંધવામાં આવે .
( d ) સર્જરી દ્વારા ગર્ભાશયને દુર કરવામાં આવે .

17. નીચેના પૈકી કયું અંતઃસ્રાવનો સ્ત્રાવ કરતું IUD આંતરગર્ભાશય સાધન છે ?
( a ) મલ્ટીલોડ -375 ( b ) LNG - 20 ( c ) આંતરપટલ ( d ) કોપર - ટી

18. શસ્ત્રક્રિયા દ્વારા શેને દુર કરવાની ક્રિયાને હિસ્ટરેકટોમી કહે છે ?
( a ) ગર્ભાશય ( b ) પ્રોસ્ટેટ ગ્રંથિ ( c ) શુક્રવાહિની ( d ) સ્તનગ્રંથિ

19. ગર્ભધારણ અટકાવતી કુદરતી પદ્ધતિઓ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે ?
( a ) અંડકોષ અને શુક્રકોષને ભેગા કરવા માટે ( b ) અંડકોષ અને શુક્રકોષને ભેગા થતા વંચિત રાખવા માટે ( c ) અંડકોષને નાશ કરવા માટે                     ( d ) શુક્રકોષને નાશ કરવા માટે

20. MTP માટે કયો કિસ્સો અસંગત છે ?
( a ) સતત ગર્ભધારણ માતા માટે નુકસાનકારક હોય છે .
( b ) જન્મ લેનાર બાળક ઓછા વજનવાળુ હોવાનું નક્કર જોખમ હોય .
( c ) ગર્ભધારણ બળાત્કારનું પરિણામ હોય .
( d ) ગર્ભઅવરોધના નિષ્ફળ જવાને કારણે અનિચ્છનીય ગર્ભધારણ થયું હોય

21. MTP ગર્ભધારણના કેટલા અઠવાડિયા સુધીમાં કરાવવું જોઈએ ?
( a ) 24 ( b ) 36 ( c ) 20 ( d ) 28

22. કયા રોગમાં મૂત્રવહન અથવા મૂત્રત્યાગ દરમિયાન દુ : ખાવો થતો નથી ?
( a ) ગોનોરીયા ( b ) સિફિલિસ ( C ) ટ્રાયકોમોનિએસિસ ( 1 ) જનનાંગીય હર્પિસ

23. રોગો અથવા ચેપ કે જાતિય સમાગમ દ્વારા વહન પામે છે તેને સામૂહિક રીતે શું કહે છે ?
( a ) STDs ( b ) જાતીય રોગો  ( c ) જાતીય સંક્રમિત રોગો ( d ) ( a ) , ( b ) અને ( C ) ત્રણેય

24. ટૂંકા ગાળાની યાદશક્તિનો નાશ થવો એ કયા રોગનું લક્ષણ છે ?
( a ) ગોનારીઆ ( b ) સિફિલિસ ( c ) ટ્રાયકોમોનિએસીસ ( d ) એઇડ્સ

25. નીચેનામાંથી કયા વાઇરસ ચેપી માનવના શુક્રકોષ દ્વારા સ્થળાંતરણ પામતા નથી ?
( a ) હિપેટાઇટીસ- B વાઇરસ ( b ) HIV ( c ) ચીકનગુનિયા વાઇરસ ( d ) ઇબોલા વાઇરસ



જવાબો 

1.A2.A 3.A4.A5.B6.D7.C8.D9.C10.A11.C12.A13.A14.B,
15.B16. A17. B18. A19. B20.B21.C22. B23. D24. D25.C

======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad