NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો તમે પ્રકરણ 5 ના 2 માર્કની થિયરી ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ 5 - આનુવંશીક્તા અને ભિન્નતા ના સિદ્ધાંતો જે બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો છે એમાંથી 3 માર્ક્સની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
3 માર્કસ ની થિયરી
1. સહ પ્રભાવિતા ઉદાહરણ સહીત સમજાવો
- સહ - પ્રભાવિતા એવી ઘટના છે જેમાં F1 પેઢી બંને પિતૃઓને મળતી આવે છે.
- તેનું એક ઉદાહરણ મનુષ્યમાં ABO રુધિરજૂથનું નિર્ધારણ કરવાવાળા વિભિન્ન પ્રકારના રક્તકણો છે . ABO રુધિરજૂથનું નિયંત્રણ 1 જનીન કરે છે.
- રક્તકણાનાં કોષરસસ્તરની સપાટી પરથી બહાર ઉપસેલ શર્કરા પોલીમર હોય છે અને આ પોલીમરનો પ્રકાર કયો હશે તે બાબતનું નિયંત્રણ જનીન I દ્વારા થાય છે
- આ જનીન (I) ના ત્રણ એલેલ IA, IB અને i હોય છે . એલેલ IA અને એલેલ IB એકબીજાથી થોડીક જ અલગ પડતી શર્કરાનું ઉત્પાદન કરે છે અને i એલેલ કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતું નથી. કારણ કે મનુષ્ય કિકીય સજીવ ( 2n ) છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિમાં આ ત્રણમાંથી બે પ્રકારના જનીન એલેલ હોય છે . IA અને IB એ સંપૂર્ણ રીતે i ઉપર પ્રભાવી હોય છે
- એટલે જ્યારે IA અને i બંને હાજર હોય ત્યારે ફક્ત IA અભિવ્યક્ત થાય છે. (કારણ કે કોઈ પણ શર્કરા ઉત્પન્ન કરતું નથી
- અને જ્યારે IB અને i હાજર હોય ત્યારે IB અભિવ્યક્ત થાય છે પણ જ્યારે IA અને IB બંને સાથે હાજર હોય ત્યારે બંને પોતપોતાની શર્કરાની અભિવ્યક્તિ કરે છે.
- આ ઘટના જ સહ - પ્રભાવિતા છે . આ કારણે રક્તકણોમાં A અને B બંને પ્રકારની શર્કરા હોય છે.
- ભિન્ન પ્રકારના એલેલ હોવાના કારણે 6 સંયોજનો સંભવ બને છે.
- આ પ્રકાર ABO રુધિરજૂથ ના 6 વિભિન્ન જનીન પ્રકાર ( genotypes ) શક્ય બનશે.
2. ક્યારેક એક જનીન એક કરતા વધુ અસર સર્જે ઉદાહરણ સાથે સમજાવો
- ક્યારેક એક જનીન એક કરતાં વધુ અસર સર્જે છે
- ઉદાહરણ તરીકે વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું નિયંત્રણ એક જનીન કરે છે.
- તેમાં બે એલેલ ( B અને b ) હોય છે.
- સામાન્ય રીતે સ્ટાર્સનું સંશ્લેષણ BB સંયુગ્મો દ્વારા થાય છે અને આ પ્રકારે મોટા કદના સ્ટાર્ચ કણો (મંડકણ) ઉત્પન્ન થાય છે
- તેનાથી વિપરીત bb સમયુગ્મી સ્ટાર્ચ સંશ્લેષણમાં ઓછી સક્રિયતા ધરાવે છે અને તેથી નાના કદના સ્ટાર્ચ કણોનું ઉત્પાદન કરે છે
- પરિપક્વતા બાદ BB બીજ ગોળ હોય છે અને bb બીજ ખરબચડાં હોય છે.
- વિષમયુગ્મી ગોળ બીજ ઉત્પન્ન થાય છે, એટલે લાગે છે કે, પ્રભાવી એલેલ છે
- પરંતુ Bb બીજમાં સ્ટાર્ચ કણ કદ મધ્યસ્થી બને છે
- તેથી જો Bb બીજમાં ઉત્પન્ન થતાં સ્ટાર્ચ કણના કદને સ્વરૂપ પ્રકાર માનવામાં આવે, તો આ દૃષ્ટિકોણથી આ એલેલ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે.
- એ કોઈ જનીન કે જે તેની માહિતી ધરાવતું હોય તેથી તેની નીપજનું સ્વાયત્ત લક્ષણ નથી.
- જ્યારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું હોય તેવા કિસ્સામાં તે જનીનની નીપજ તથા નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર તેટલો જ આધાર રાખે છે
- મધમાખીમાં લિંગ - નિશ્ચયન વ્યક્તિગત પ્રાપ્ત કરેલાં રંગસૂત્રોના સમૂહ ની સંખ્યા ઉપર આધારિત છે.
- સંતતિ શુકકોષ અને અંડકોષના જોડાણથી બને તો માદા તરીકે વિકસે અને અફલિત અંડકોષ અસંયોગી જનન દ્વારા નર તરીકે વિકસે
- આનો અર્થ એ થાય કે નરમાં, માદા કરતાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે.
- માદા દ્વિકીય 32 રંગસૂત્રો ધરાવતી અને નર એકકીય એટલે કે 16 રંગસૂત્રો ધરાવતો . જેને એકકીય- દ્વિકીય ( હપ્લોડિપ્લોઇડ ) લિંગ નિશ્ચયન પદ્ધતિ કહે છે
- અને વિશિષ્ટ લક્ષણની લાક્ષણિકતા જેવી કે નર સમવિભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે તેઓને પિતા નથી અને તેથી પુત્રો પણ નથી , પરંતુ તેઓને દાદા અને પૌત્રો છે .
4. લિંગી સંકલિત પ્રછન્ન કોઈ પણ એક રોગના ઉદાહરણ સાથે સમજાવો
- રંગઅંધતા
- આ લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે, જે લાલ અથવા લીલા આંખના શંકુકોષોની ખામી છે,
- જેના પરિણામે લાલ અને લીલા રંગ પારખવામાં નિષ્ફળ જવાય છે.
- આ ખામી X રંગસૂત્ર ઉપર હાજર કેટલાક જનીનોની વિકૃતિને કારણે થાય છે.
- આ આશરે 8 % નરોમાં જ્યારે આશરે 0.4 % માદાઓમાં જોવા મળે છે
- આનું કારણ લાલ લીલા રંગની અંધતા માટેના જનીનો X- રંગસૂત્રો ઉપર આવેલ છે.
- નર ફક્ત એક જ અને માદા બે X- રંગસૂત્ર ધરાવે છે.
- સ્ત્રી કે જે આ જનીન ધરાવે છે તેના પુત્રમાં રંગ અંધ થવાની 50 % શક્યતાઓ છે
- માતા પોતે રંગ અંધ નથી કારણ કે જનીન પ્રચ્છન્ન છે.
- આનો અર્થ એ થાય કે તેની અસરને તેને મળતા આવતા પ્રભાવી સામાન્ય જનીન દ્વારા દબાવી દેવામાં આવે છે.
- સામાન્ય સંજોગોમાં પુત્રી રંગ અંધ હોતી નથી, જ્યાં સુધી તેની માતા વાહક અને તેણીના પિતા રંગ અંધ હોય.
5. હીમોફીલિયા વિશે નોંધ લખો
- હિમોફિલિયા
- આ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગનો વ્યાપક અભ્યાસ થઈ ચૂક્યો છે
- જેમાં સામાન્ય વાહક માદાથી અમુક નર સંતતિમાં રોગનો ફેલાવો થાય છે
- આ રોંગ રુધિર ગંઠાવવાની ક્રિયા સંબંધિત છે જેમાં એકલ પ્રોટીન અસરગ્રસ્ત થાય છે.
- આ પ્રોટીન એક પ્રોટીન શૃંખલાનો અંશ માત્ર હોય છે.
- એના કારણે અસરગ્રસ્ત વ્યક્તિના શરીરમાં નાનો ઘા પડવાથી પણ રુધિરનું નીકળવું બંધ થતું નથી . વિષમયુગ્મી માદા ( વાહક ) દ્વારા આ હિમોફિલિયા રોગ પુત્રોમાં વહન પામે છે.
- માદાની રોગગ્રસ્ત હોવાની સંભાવના નહિવત્ હોય છે ; કારણ કે, આ પ્રકારની માદાની માતા વાહક અને પિતા હિમોફિલિક હોવા જરૂરી છે (.જે વધુ ઉંમર સુધી જીવિત નથી રહેતા ).
- રાણી વિક્ટોરિયાના કુટુંબની વંશાવળી આવા અનેક હિમોફિલિક વારસો ધરાવતાં સંતાનો દર્શાવે છે કારણ કે, રાણી આ રોગના વાહક હતા .
6. તફાવત આપો ટ્રેનર્સ સિન્ડ્રોમ અને ક્લાઈન ફેલ્ટર સિન્ડ્રોમ
- ટર્નર્સ સિન્ડ્રોમ
- આ ખામી સ્ત્રીઓમાં જોવા મળે છે
- આ ખામી લિંગી રંગસૂત્રોની મોનોસોની સ્થિતિને લીધે સર્જાય છે
- આ ખામીમાં સ્ત્રીમાં બે લિંગી રંગસૂત્ર ( XX ) ને બદલે માત્ર એક જ X- લિંગી રંગસૂત્ર ધરાવે છે
- તેના લક્ષણોમાં ઊંચું કદ, લાંબા પડતા પગ, ગળુંટૂંકું , શરીર પર આછી રૂંવાટી હોય છે , માનસિક મંદતા અલ્પવિકસિત શુક્રપિંડ વગેરે.
- ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ
- આ ખામી પુરુષમાં જોવા મળે છે
- આ ખામી પણ લિંગી રંગસૂત્રોની ટ્રાયસોમી સ્થિતિનું કારણ છે
- આ ખામીમાં પુરુષમાં એક x- લિંગી રંગસૂત્ર હોય પરંતુ તેને બદલે બે કે વધારે X- લિંગી રંગસૂત્ર થવાથી થાય છે
- તેના લક્ષણોમાં ઠીંગાણું કદ , ટૂંકું કરચલીયુક્ત ગળું , લગભગ સપાટ છાતી હોય છે , ગર્ભાશય અલ્પવિકસિત હોય છે . વગેરે .
નોંધ -આ પ્રશ્ન પરીક્ષામાં પુછાય તો તફાવત સ્વરૂપ માં લખવો
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા 4 માર્કની થિયરી ના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે
========================================
Please do not enter any spam link or word in the comment box