Type Here to Get Search Results !

બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો | 3 માર્ક થિયરી (ભાગ 2) | પ્રકરણ 2 - સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

0

👉 NEET Biology Concept Material

👉 NEET Biology Examination 

👉 NEET Biology Tips

👉 NEET Biology Study Material 

નમસ્તે મિત્રો તમે પ્રકારણ 2 ના પ્રશ્નો વાંચ્યા હશે જેમાં 2 માર્કસ ની થિયરી વાંચી હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ 2 - સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન જે બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો છે એમાંથી 3 માર્ક્સની પણ થીઅરી પૂછી શકાય છે તો કેટલાક  મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.

3 માર્કસ ની થિયરી

1. લાક્ષણિક આવૃત્ત બીજધારી વનસ્પતિનું  પરાગાશય કેમ દ્વિખંડી કહી શકાય? સમજાવી લઘુબીજાણુ ધાની ની રચના સમજાવો  

  • લાક્ષણિક આવૃત્ત બીજધારી વનસ્પતિનું પરાગાશય દ્વિખંડી હોય છે અને દરેક ખંડ બે ભાગમાં વિભાજિત હોય છે . તેથી તેને દ્વિખંડી ( Dithecous ) કહે છે . ખંડોને જુદી પાડતી લંબ અક્ષે લંબાઈને અનુસરીને ખાંચ જોવા મળે છે . પરાગાશયનો દ્વિખંડી સ્વભાવ ( nature ) છેદમાં સ્પષ્ટ જોઈ શકાય છે . પરાગાશયની રચના ઘણી પેશી વડે થાય છે .
  • લઘુબીજાણુ ધાની ની રચના
  • લઘુબીજાનુધાની તેની બાહ્ય સપાટી ગોળાકાર પ્રદર્શિત કરે છે . તે સામાન્ય રીતે ચાર દીવાલસ્તરોથી આવરિત હોય ( I ) અધિસ્તર ( II ) તંતુમય સ્તર ( એન્ડોથેસિયમ ) ( III ) મધ્યસ્તરો અને ( iv ) પોષક સ્તર
  • અધિસ્તર : અધિસ્તર 3 થી 5 સ્તરોનું બનેલું છે . અધિસ્તરના કોષો ફેલાયેલા કે ખેંચાયેલા અને ચપટાં હોય છે.
  • તંતુમય સ્તર ( એન્ડોથેસિયમ ) : એન્ડોથેસિયમ તંતુમય સ્તર છે અને રક્ષણનું કાર્ય કરે છે તેમજ પરાગાશયનું સ્ફોટન કરવામાં મદદ  કરે છે , જેથી પરાગરજ મુક્ત થાય છે
  • મધ્યસ્તરો : પોષકસ્તરની બહારની બાજુએ આવેલ રક્ષણાત્મક સ્તર છે
  • પોષક સ્તર : દીવાલસ્તરોનું સૌથી અંદરનું સ્તર વિકાસ પામી એકસ્તરીય પોષક સ્તરમાં વિકાસ પામે છે.
  • તે વિકસતી પરાગરરજને પોષણ આપે છે.
  • પોષક સ્તરના કોષો ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષકેન્દ્રો ધરાવે છે.
  • લઘુબીજાણુજનક પેશી : દરેક લઘુબીજાણુધાની મધ્યમાં સઘન રીતે ગોઠવાયેલ સમજાત કોષો ધરાવે છે , જેને લઘુબીજાણુજનક પેશી કહે.
2. પરપરાગનયનને ઉત્તેજવા ની કોઈ પણ ત્રણ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ સમજાવો.
  • સ્વપરાગનયન અટકાવવા માટે પરાગાશયની પ્રયુક્તિઓમાં તે માત્ર એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે .
  • એકગૃહી વનસ્પતિઓ ( દા.ત. , દિવેલા , મકાઈ ) માં સ્વફલન અટકાવી શકાય છે , પરંતુ ગાઇટોનોગેમી અટકાવી શકાતું નથી.
  • જ્યારે દ્વિગૃહી વનસ્પતિઓમાં ( ધ.ત. , પપૈયા ) સ્વફલન અને ગાઇટોનોગેમી એમ બંને અટકાવી શકાય છે
  • સ્વઅસંગતતા - જે અંતઃસંવર્ધનને અટકાવે છે . જે સ્વ - અસંગતતા કહેવાય છે . દા.ત. , માલ્યા.
  • આ એક જનીનિક ક્રિયાવિધિ છે અને સ્વપરાગને રોકીને ( એ જ વનસ્પતિના એ જ પુષ્પ અથવા અન્ય પુષ્પ ) સ્ત્રીકેસરમાં પરાગરજનું અંકુરણ અને પરાગનલિકાના વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે .
  • પૃથક પક્વતા - કેટલીક જાતિઓમાં , પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો એક જ સમય હોતો નથી . ( પૃથક પક્વતા )
  • જ્યારે પરાગરજ મુક્ત થાય તે પહેલા જ પરાગાસન ગ્રહણશીલ બને છે.
  • સૂર્યમુખી અથવા પરાગરજ મુક્ત થાય તેના ઘણાં પહેલાં પરાગાસન ગ્રહણશીલ બની જતાં હોય છે . દા.ત., પામ્સ
3. તફાવત આપો સ્વપરાગનયન અને પરપરાગનયન  (ત્રણ ત્રણ મુદ્દા લખવાં જરૂરી છે)
  • સ્વપરાગનયન
  • એક જ વનસ્પતિના એક પુષ્પના પરાગાશયમાંની પરાગરજા તે જ પુણ્યના પરાગસન પર સ્થળાંતર થાય તેને સ્વપરાગનયન કહે છે
  • આ ક્રિયા દ્રિલિંગી પુષ્યો તેમજ એકલિંગી પુષ્પો જે એક જ વનસ્પતિ ( એકસદની પરિસ્તિતિ ) ઉપર હોય તેમાં થાય છે
  • સ્વપરાગનયને કારણે સંકર જાતિ મળતી નથી .
  • પરપરાગનયન
  • એક વનસ્પતિના પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ બીજી વનસ્પતિના પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતર કરવાની ક્રિયા જો કે વનસ્પતિ તે જ પ્રકારની હોય અથવા ન પણ હોય પરપરાગનયન કહે છે.
  • પરપરાગનયન માત્ર એકલિંગી પુષ્પોમાં જ શક્ય બને છે
  • પરપરાગનયન જુદી - જુદી પ્રજાતિઓ કે જાતિઓમાં થતું હોવા ઉત્પન્ન થતી સંતતિઓ સંકર જાતિ કહે છે.
નોંધ - ઉપર લખેલ જવાબ તફાવત ના સ્વરૂપે પરીક્ષામાં લખવો વચ્ચે લાઇન દોરીને

4. ભ્રુણપોષ એટલે શું એનું નિર્માણ સમજાવી એના પ્રકાર વિશે માહિતી આપો
  • પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્રો ( 3n ) માંથી ભૂણપોષનો વિકાસ થાય છે, જે વારંવાર સમવિભાજનથી વિભાજન પામી ત્રિકીય ભૂણપોષ નિર્માણ કરે છે. તેનો વિકાસ ભૂણના  વિકાસ પહેલાં જ થાય છે.
  • આ પેશીના કોષો સંગૃહીત ખોરાકદ્રવ્યથી ભરેલા હોય છે જે વિકસતા ભૂણને પોષણ પૂરું પાડવામાં ઉપયોગમાં લેવામાં આવે
  • કોષકેન્દ્રીય ભૃણપોષ : સામાન્ય પ્રકારના ભૂણપોષ (કોષકેન્દ્રીય પ્રકાર) ના વિકાસમાં PEN ( પ્રાથમિક ભૂરાપોષ કોષકેન્દ્ર વારંવાર કોષકેન્દ્રીય વિભાજન પામી અને મોટી સંખ્યામાં કોષકેન્દ્રો ઉત્પન્ન કરે છે.
  • આ કોષકેન્દ્રો પરિધ વિસ્તારમાં ગોઠવાય છે અને ભ્રુણપુટના વચ્ચેના વિસ્તારમાં મોટી રસધાની છે. ત્યાર બાદ કોષરસના વિભાજનની શરૂઆત થાય છે.
  • આ પ્રક્રિયા પણ પરિધ વિસ્તારથી શરૂ થઈ કેન્દ્ર વિસ્તાર તરફ આગળ વધે છે. અંતે બહુકોષી ભૃણપોષ અસ્તિત્વમાં આવે છે.
  • કોષીય ભ્રુણપોષ
  • અપરિપક્વ ( કાચા ) નાળિયેરમાં રહેલું નાળિયેરનું પાણી બીજું કશું જ નથી પરંતુ મુક્ત કોષકેન્દ્રીય ભૂરણપોષ (હજારો કોષકેન્દ્રોથી બને છે તેમજ તેની ફરતે આવેલ સફેદ ગર કે માવો એ કોષીય ભ્રુણપોષ છે.
5. સમજાવો અસંયોગીજનન અને બહુભ્રુણતા
  • અસંયોગીજનન
  • સામાન્યતઃ બીજ એ ફલનની અંતિમ નીપજ છે,છતાં એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે છે, જેમાં તેઓ ફલન વગર બીજનું નિર્માણ કરે છે જેને અનિર્ભળતા અસંયોગીજનન ( apomixis / parthenogenesis ) કહે છે .
  • અસંયોગીજનન એ અલિંગી સ્વરૂપે થાય છે.
  • જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય છે.
  • ઘણી જાતિઓમાં, અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે અને ફલન વગર ભૂણમાં વિકાસ પામે છે.
  • બહુભ્રુણતા
  • ઘણું ખરું લીંબુ અને કેરીની ઘણી જાતો જેવી વનસ્પતિઓમાં ભૂણપુટની આસપાસના પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી, ભૂપુટમાં ઊપસી આવે છે અને ભૂણમાં પરિણમે છે.
  • આવી જાતિઓમાં દરેક અંડક ઘણા ભ્રુણ ધરાવે છે . એક બીજમાં એક કરતાં વધુ ભૃણની હાજરી બહુભૂણતા ( polyembryony ) તરીકે ઓળખાય છે. 

મિત્રો  આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા 4 માર્ક ના  પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે

========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad