Type Here to Get Search Results !

ધોરણ 11| note 12 | વનસ્પતિ સૃષ્ટિ | વનસ્પતિ જીવનચક્ર | એકાંતરજનન | NCERT short note| Best biology short note

0

 

ધોરણ 11 
વનસ્પતિ સૃષ્ટિ




વનસ્પતિ સૃષ્ટિ|વનસ્પતિ જીવનચક્ર |  એકાંતરજનન | NCERT short note| Best biology short note | ધોરણ 11


આર્ટિકલના અંતમાં મેળવો ફ્રી ટેસ્ટ!!


Note 12

વનસ્પતિ જીવનચક્ર | એકાંતરજનન 


વનસ્પતિઓમાં એકકીય કોષો અને દ્વિકીય કોષો બંને દ્વારા સમવિભાજન થઈ શકે છે.

તેથી વિવિધ વાનસ્પતિક દેહોનું નિર્માણ થઈ શકે છે - એકકીય દેહ અને દ્વિકીય દેહ. 

એકકીય વાનસ્પતિક દેહ

  • જન્યુઓ ઉત્પન્ન કરે- સમવિભાજન દ્વારા
  • આ વાનસ્પતિક દેહ - જન્યુજનક છે. 

  • જન્યુઓનું ફલન થાય બાદ - દ્વિકીય ફલિતાંડ ઉત્પન્ન થાય છે

દ્વિકીય વાનસ્પતિક દેહ - 

  • દ્વિકીય ફલિતાંડ સમવિભાજનથી વિભાજિત થાય - દ્વિકીય વાનસ્પતિક દેહ પેદા કરે. 
  • આ બીજાણુજનક વાનસ્પતિક દેહ હોય છે.
  • આ દેહના કોષો વિભાજન પામે છે - અર્ધીકરણ દ્વારા

  •  બીજાણુ ઉત્પન્ન થાય છે - એકકીય બીજાણુ

  • એકકીય બીજાણુ વિભાજન પામે - સમવિભાજન દ્વારા
  • આના દ્વારા એકકીય વાનસ્પતિક દેહ સર્જાય 

તેથી, કોઈ પણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિના જીવનચક્ર દરમિયાન એકાંતરજનન થાય છે

એકાંતરજનનની વ્યાખ્યા :- એક પછી બીજી દેહ અવસ્થા ની ફેરબદલ થાય કરે - જન્યુ ઉત્પન્ન કરતી એકકીય જન્યુજનક અવસ્થા અને બીજાણુ ઉત્પન્ન કરતી દ્વીકીય બીજાણુજનક અવસ્થા.


પણ, વિવિધ પ્રકારના વનસ્પતિમાં વિવિધ ભાતના જીવનચક્ર જોવા મળે:


1. એકવિધ જીવનચક્ર

  • કેટલાક વનસ્પતિ જૂથમાં, બીજાણુજનક અવસ્થા માત્ર એકકોષીય ફલિતાંડ દ્વારા રજૂ થાય
  • મુક્ત-જીવી બીજાણુજનક દેહ હોતો નથી.

  • ફલિતાંડનું અર્ધીકરણ દ્વારા વિભાજન થવાથી એકકીય બીજાણુઓ સર્જાય

  • એકકીય બીજાણુ સમવિભાજન પામે છે - જન્યુજનક દેહ સર્જે છે 
  •  આવી વનસ્પતિમાં પ્રભાવી અને પ્રકાશશંશ્લેશી અવસ્થા એ મુક્તજીવી જન્યુજનક હોય છે.

  • ઉદાહરણ: ઘણી લીલ જેમકે વોલ્વોક્સ, સ્પાયરોગાયરા તેમજ કલેમિડોમોનાસની કેટલીક જાતિઓ.

2. દ્વીવિધ જીવનચક્ર

  • આ ભાતના જીવનચક્રમાં દ્વિકીય બિજાણુજનક અવસ્થા પ્રભાવી હોય છે - તે વનસ્પતિનો પ્રકાસંશ્લેશી તેમજ સ્વતંત્ર તબક્કો છે

  • અહીં જન્યુજનક તબક્કો એકકોષી કે થોડા કોષો ધરાવતા જન્યુજનક દેહ દ્વારા રજૂ થાય છે.
  • ઉદાહરણ : એક લીલ, ફ્યુકસ જાતિ., આ પ્રકારની ભાત રજૂ કરે. 
  • તદુપરાંત, બધી બીજધારી વનસ્પતિ - આવૃત્ત બીજધારી અને અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ પણ આ ભાતને અનુસરે છે - તેના થોડા ફેરફારો હોઈ શકે - જન્યુજનક તબક્કો થોડા કોષો ધરાવતો કે બહુકોષી હોય.

3. એક-દ્વિવિધ જીવનચક્ર 

  • આ એકકીય અને દ્વિકીય જીવનચક્ર ની મધ્યસ્થી સ્થિતિ છે.
  • તેમાં બંને તબક્કાઓ બહુકોષી હોય છે - પણ પ્રભાવી તબક્કાઓથી જુદી પડતી હોય છે .  
  • પ્રકાર 1: એક પ્રભાવી, સ્વતંત્ર, પ્રકાશસંશ્લેશી, સુકાયક કે સીધો(ટટ્ટાર) તબક્કો - એકકીય જન્યુજનક 
  •  તે ટુંકજીવી બહુકોષી બીજાણુજનક તબક્કા દ્વારા એકાંતરિત થાય છે  
  • બીજાણુજનક દેહ સંપૂર્ણ કે આંશિક રીતે જન્યુજનક વાનસ્પતિક દેહ પર આધારિત હોય છે -  જોડાણ તેમજ પોષણ માટે  
  •  બધા દ્વિઅંગી ઉપરના પ્રકારનું જીવનચક્ર ધરાવે છે.
  • પ્રકાર 2: દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી, સ્વતંત્ર, પ્રકાશસંશ્લેશી, વાહકપેશી ધારક વાનસ્પતિક દેહ દ્વારા રજૂ થાય છે.
  • તે બહુકોષી, મૃતોપજીવી કે સ્વયંપોષી, સ્વતંત્ર પરંતુ ટૂંકજીવી એકકીય જન્યુજનક દ્વારા એકાંતરીત થાય છે. આ પ્રકારની ભાતને એક-દ્વિવિધ જીવનચક્ર કહેવાય છે. 
  • બધા ત્રિઅંગીઓ દ્વારા આ પ્રકારની જીવનચક્ર રજૂ થાય છે.
લીલમાં જીવનચક્રની ભાત:  
  • લગભગ મોટે ભાગે, બધી લીલની પ્રજાતિઓ એકવિધ જીવનચક્ર ધરાવે
  • પણ, તેના કેટલાક સદસ્યો એક - દ્વિવિધ પ્રકાર દર્શાવે છે -  જેમકે એક્ટોકારપસ, પોલિસીફોનીયા, કેલ્પ વગેરે
  • ફયુકસ, એક પ્રકારની લીલ- દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે.



જો તમારે એ ચોકસાઈ કરવું હોય કે તમારા આ નોટના કોન્સેપ્ટ ક્લીઅર થઈ ગયા છે કે નહિ, તો આ ટોપિકના સંબંધિત સવાલો - MCQ સોલ્વ કરવાની કોશિશ કરો. 

નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને આ ટોપિક માટેની ફ્રી ટેસ્ટ આપો. 

⬇️⬇️⬇️⬇️⬇️

https://www.indiabiologyneet.com/2023/09/11-12-ncert-short-note-best-biology.html


Free biology test

જો તમને કોઈ પણ તકલીફ હોય તો નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં લખી જણાવો.


Thank you for reading!

Keep learning!

Stay motivated!



Manish Mevada 

Urvi Bhanushali

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad