Type Here to Get Search Results !

NEET | GUJCET TEST | STD -11 | ટેસ્ટ - 74 | CHAPTER - 11

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો -60 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -240 3) ટેસ્ટ સમય - 60 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

NEET | GUJCET  TEST  | STD -11  | ટેસ્ટ - 74 | CHAPTER - 11


( 1 ) વનસ્પતિદેહમાં વાયુઓનું વહન શાના દ્વારા થાય છે ? ( a ) પ્રસરણ ( b ) આસૂતિ ( c ) સક્રિયવહન ( d ) સાનૂકૂલિત પ્રસરણ
( 2 ) કોઈપણ પદાર્થનું પ્રસરણ પટલના કયા પદાર્થની દ્રાવ્યતા પર આધાર રાખે છે ? ( a ) પ્રોટીન ( b ) લિપિડ ( c ) કાર્બોદિત ( d ) બધા જ
( 3 ) પોરીન્સ એક પ્રકારનું પ્રોટીન છે જે શાના બાહ્યપટલમાં મોટા કદના છિદ્રોનું નિર્માણ કરતા નથી ? ( a ) રંજકદ્રવ્યકણો ( b ) હરિતકણો ( c ) કણાભસૂત્રો ( d ) રીબોઝોમ
( 4 ) આસૃતિની ઘટના માટે નીચેનામાંથી શું સાચું નથી ? ( a ) પાણી પોતાની ઊંચી સાંદ્રતાથી નીચી સાંદ્રતા તરફ વહન પામે છે . ( b ) ઓછી સાંદ્રતાવાળા દ્રાવણમાંથી પાણીનું વહન વધુ સાંદ્રતાવાળા દ્રાવણ તરફ થાય છે . ( c ) પાણી ઓછી જલક્ષમતા તરફથી વધુ જલક્ષમતા તરફ વહન પામે છે . ( d ) પાણી ઓછા આસુતિદાબવાળા દ્રાવણ તરફથી વધુ આસુતિદાબવાળા દ્રાવણ તરફ વહન પામે છે .
( 5 ) જોડકાં જોડો :             કોલમ -I                                   કોલમ- II
( a ) સમસાંદ્ર દ્રાવણ      ( i ) બહારનું દ્રાવણ કોષરસ કરતાં ઓછું સંકેન્દ્રિત ( b ) અધોસાંદ્ર દ્રાવણ    ( ii ) બહારનું દ્રાવણ કોષરસ કરતાં વધુ સંકેન્દ્રિત ( c ) અધિસાંદ્ર દ્રાવણ    ( iii ) બહારનું દ્રાવણ અને કોષરસ સરખી સાંદ્રતાવાળા

( a ) ( a - iii ) , ( b - i ) , ( c- ii )         ( b ) ( a - iii ) , ( b - ii ) , ( c - i ) ( c ) ( a - ii ) , ( b - i ) , ( c - iii )        ( d ) ( a - i ) , ( b - jii ) , ( c- ii )

( 6 ). કોઈ કોષમાં પાણી અંદર અને બહારની તરફ સમાન રીતે વહેતુ હોય તો તે કોષને શું કહે છે ? ( a ) આશુનકોષ ( b ) રસસંકોચિતકોષ ( c ) શિથિલકોષ ( d ) રસનિઃસંકોચિત કોષ
( 7 ). અંતઃચૂષણ શું છે ? ( a ) એક પ્રકારની આકૃતિ છે .           ( b ) એક પ્રકારનું સક્રિયવહન છે . ( c ) એક પ્રકારનું વિશિષ્ટ પ્રસરણ છે . ( d ) એક પ્રકારની ચયાપચયિક ક્રિયા છે .

( 8 ) ઉસ્વેદન દર માપવા માટે કયું સાધન વપરાય છે ? ( a ) પોરોમીટર ( b ) ઓસ્મોમીટર ( c ) મોલનું સાધન ( d ) પોટોમીટર
( 9 ) સૌથી શકિતશાળી અંતઃચૂષણ ક્રિયા દર્શાવતો ઘટક કયો છે ? ( a ) અગર – અગર ( b ) પ્રોટીન્સ ( c ) સેલ્યુલોઝ ( d ) લિગ્નીન
( 10 ) અંતઃચૂષણ માટે સાચો ક્રમ કયો છે ? ( a ) અગરઅગર > સેલ્યુલોઝ > પ્રોટીન ( b ) પ્રોટીન > સેલ્યુલોઝ > અગરઅગર ( c ) અગરઅગર > પ્રોટીન > સેલ્યુલોઝ ( d ) અગરઅગર – પ્રોટીન < સેલ્યુલોઝ

( 11 ) નીચેનામાંથી કયા પદાર્થના 1 મોલર દ્રાવણમાં મહત્તમ OP હશે . ( a ) NaCI ( b ) ગ્યુકોઝ ( c ) ફુકટોઝ ( d ) સ્ટાર્ચ
( 12 ) ઉર્વેદનના તુલનાત્મક અભ્યાસ માટે શાનો ઉપયોગ થાય છે ? ( a ) કેલ્શિયમ કાર્બોનેટ ( b ) કોબાલ્ટ કાર્બોનેટ ( c ) કોબાલ્ટ કલોરાઈડ ( d ) મરકયૂરીક એસીટેટ

( 13 ) પ્રકાશસંશ્લેષણ દ્વારા નિર્માણ પામતો સુકોઝ ચાલનીનલિકામાં અને તેની નજીકમાં રહેલી જલવાહકમાંથી પાણી અન્નવાહકમાં અનુક્રમે કઈ ક્રિયા દ્વારા દાખલ થાય છે ?

( a ) સક્રિયવહન અને પ્રસરણ ( b ) આસૃતિ અને સક્રિયવહન ( c ) સક્રિયવહન અને આકૃતિ ( d ) સાનુકુલિત પ્રસરણ અને આકૃતિ
( 14 ) X = C4 વનસ્પતિઓ C3 વનસ્પતિઓની તુલનાઓ શર્કરા નિર્માણમાં અથવા કાર્બન સ્થાપનની ક્રિયામાં બમણી રીતે સક્ષમ છે . Y = C4 , વનસ્પતિઓ કાર્બન ડાયોકસાઈડના સંયોગીકરણમાં C3 , વનસ્પતિઓની સાપેક્ષે બમણું પાણી ગુમાવે છે . Z = કોઈ પાતળી નલિકામાં ઉર્ધ્વગમનની ક્ષમતા પૃષ્ઠતાણબળ કહેવાય છે .
( a ) X , Z સાચા , Y ખોટું   ( b ) X , Y સાચા , Z ખોટું
( c ) Y , Z સાચા , X ખોટું   ( d ) X auzi , Y , Z ખોટા
( 15 ) શાની હાજરી વગર પાઈનસના બીજનું અંકુરણ કે સ્થાપન થઈ શકતું નથી ? ( a ) માઈ કોરાઈઝા ( b ) પ્રવાળમૂળ ( c ) મૂળદાબ ( d ) લાઈકેન્સ
( 16 ) માનવ દ્વારા મોટી ચટ્ટાનો તથા પત્થરોને તોડવા માટે અસાધારણ રીતે કયો પ્રયોગ કરવામાં આવે છે ? ( a ) અંતઃચૂષણ ( b ) પ્રસરણ ( c ) બાષ્પોત્સર્જન ( d ) બિંદુસ્ત્રાવ
( 17 ) નીચેનામાંથી એપોપ્લાસ્ટ પથ ( અપદ્રવ્ય પથ ) પર અવરોધનું કાર્ય કરે છે ? ( a ) એપિડર્મિસ ( b ) કોષરસતંતુ ( c ) કાસ્પરિયન પટ્ટી ( d ) મેટાઝાયલમ

( 18 ) કોબાલ્ટ કલોરાઈડ પેપરનો ઉપયોગ વનસ્પતિમાં કઈ ઘટનાના અભ્યાસ માટે કરવામાં આવે છે ? ( a ) આસૃતિ  ( b ) પ્રસરણ ( c ) બાષ્પોત્સર્જન ( d ) બિંદુસ્ત્રાવ
( 19 ) રસારોહણ દરમ્યાન જલવાહિની અને જલવાહિનીકીમાં પાણીની શૃંખલા ન તૂટે છે ન વિખરાય છે તો તે માટેનું કારણ કયું છે ? ( a ) તેમાં લિગ્નીનયુકત જાડી કોષદીવાલ જોવા મળે છે .

( b ) તેમાં ગુરુત્વાકર્ષણ ખેંચાણ ઓછું હોય છે .

( c ) સંલગ્નબળ અને અભિલગ્નબળના કારણે

( d ) બાષ્પોત્સર્જન ખેંચાણના કારણે

( 20 ) આપેલ આકૃતિમાં a , b , c ભાગોને ઓળખી યોગ્ય વિકલ્પ પસંદ કરો . ( a ) a- વાયુરંધ્ર છિદ્ર , b– સહાયકકોષો , c- રક્ષકકોષો ( b ) a– સૂક્ષ્મતંતુકો , b– રક્ષકકોષો , c- વાયુરંધ્ર છિદ્ર ( c ) a- વાયુરંધ્ર છિદ્ર , b- રક્ષકકોષો , c- અધિસ્તરીય કોષ 6 b ( d ) a- વાયુરંધ્ર છિદ્ર , b– રક્ષકકોષો , c– સેલ્યુલોઝના સૂક્ષ્મતંતુક
( 21 ) જયારે શર્કરાઓ ચાલનીનલિકામાં પ્રવેશ કરે છે ત્યારે આસૃતિ દ્વારા પાણીનો પ્રવાહ શાના પરિણામ સ્વરૂપ થાય છે ? ( a ) જલક્ષમતા ( b ) આવૃતિઢોળાંકશ ( c ) આશૂનદાબ ( d ) પ્રસરણદાબ
( 22 ) સરળ રિંગ અને ગ્રિડલિંગ  પ્રયોગને પ્રદશિત કરે છે છાલમાંથી અન્નવાહક દૂર થઈ જાય છે . આ પ્રયોગથી એ સિદ્ધ થાય છે કે અન્નવાહક ખોરાકના સ્થાનાંતરણનો પથ છે ફૂલેલો ભાગ દેખાય છે તેનું કારણ શું છે ? ( a ) રિંગ વિસ્તારની ઉપર ખાદ્ય પદાર્થનો સંચય થાય છે . ( b ) રિંગ વિસ્તારની ઉપર ખનિજ અને પાણીનો સંચય થાય છે . ( c ) રિપેરિંગ પ્રક્રિયાના કારણે ( d ) નુકસાન પામેલા ભાગમાં આશૂનતા પરિવર્તનથી

( 23 ) ગિડલિંગ પ્રયોગમાં વનસ્પતિનો કયો ભાગને દૂર કરવામાં આવે ?
( a ) પર્ણ( b ) પ્રકાંડ ( c ) અન્નવાહક પેશી ( d ) આપેલ તમામ
( 24 ) કઈ રચના એકકોષીય રચના છે ? ( a ) વાયુરંધ્ર ( b ) મૂળરોમ ( c ) હવાદાર છિદ્ર ( d ) મૂલાધિસ્તર
( 25 ) સાય s નું મૂલ્ય જેમ વધે , તેમ દ્રાવણની જલક્ષમતા . … .. … ( a ) વધે ( b ) ઘટે ( c ) વધ - ઘટ થયા કરે ( d ) કોઈ ફેર ન પડે

( 26 ) પાસપાસેના બે વનસ્પતિ કોષ માં x માં સાય s  = -20 બાર અને સાય p = 8 બાર , જયારે માં ય માં  સાય s = - 12 બાર અને સાય p = 2 બાર હોય , તો ( a ) પાણીનું વહન કોષ y થી કોષ x તરફ થાય . ( b ) કોષ x અને કોષ y વચ્ચે પાણીનું ચોખ્ખું પ્રસારણ થતું નથી . ( c ) પાણીનું વહન કોષ x થી કોષ y તરફ થાય . ( d ) કોષ x અને કોષ y વચ્ચે પાણીનો પ્રવાહ અટકી જાય .
( 27 ) શુદ્ધ પાણીમાં સાય s  અને સાય w  નું મૂલ્ય અનુક્રમે ...
( a ) 0 અને 100 ( b ) 0 અને 10 ( c ) 100 અને 0 ( d ) 100 અને 100
( 28 ) ખોટી જોડ પસંદ કરો . ( a ) સીમપોર્ટ – બે પ્રકારના અણુઓનું એક જ દિશામાં વહન ( b ) એન્ટિપોર્ટ – એક પ્રકારના અણુઓનું વિરુદ્ધ દિશામાં વહન ( c ) એન્ટિપોર્ટ –બે પ્રકારના અણુઓનું વિરુદ્ધ દિશામાં વહન ( d ) યુનિપોર્ટ – બે પ્રકારના અણુઓનું એકબીજાથી સ્વતંત્ર રીતે પટલમાંથી વહન
( 29 ) DPD = . ( DPD = પ્રસરણ દાબ તફાવત )
( a ) OP + TP ( b ) OP - TP ( c ) TP - OP . ( d ) OP x TP
( 30 ) રક્ષકકોષોમાં તંતુ શાના બનેલા હોય છે ? ( a ) સેલ્યુલોઝ ( b ) પ્રોટીન ( c ) લીપીડ  ( d ) મેનોઝ
( 31 )પાસપાસેના કોષોનો વરસ શાના દ્વારા એકબીજાના સંપર્કમાં હોય છે ? ( a ) કોષરસ પટલ દ્વારા ( b ) કોષદીવાલ દ્વારા ( c ) કોષરસતંતુ દ્વારા ( d ) પક્ષ્મો કે કશા દ્વારા
( 32 ) બે ભિન્ન સાંદ્રતા ધરાવતાં દ્રાવણોને પાર્શમેન્ટ પેપરથી અલગ પાડવામાં આવે તો શું થાય ? ( a ) મંદદ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવ્યનું વહન થાય . ( b ) મંદદ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકનું વહન થાય . ( c ) સાંદ્રદ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવ્યનું વહન થાય . ( d ) સાંદ્રદ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકનું વહન થાય .
( 33 ) ફકત કોષદીવાલના માર્ગે થતાં પાણીના વહનપથને શું કહે છે ? ( a ) અપદ્રવ્ય પથ ( b ) સંદ્રવ્ય પથ ( c ) પારપટલ વહન ( d ) પ્રસરણ
( 34 ) કઈ ક્રિયા ઉષ્મા મુકત કરે છે ?
( a ) પ્રકાશસંશ્લેષણ ( b ) ઉત્તેદન ( c ) અંતઃચૂષણ ( d ) ૨ સારોહણ
( 35 ) ડેસ્કેન્શિયાના પર્ણના કોષને કયા દ્રાવણમાં મૂકતાં રસસંકોચન થાય . ( a ) અધિસાંદ્ર ( b ) અધોસાંદ્ર ( c ) સમસાંદ્ર ( d ) મંદદ્રાવણ
( 36 ) થિસલ ફનેલના પ્રયોગમાં આસૃતિની ક્રિયા બંધ થયા બાદ બીકમાં ખાંડનું દ્રાવણ ઉમેરતાં શું થાય ?

( a ) બીકરમાંના દ્રાવણની  સપાટી નીચે ઊતરે . ( b ) થિસલ ફનલમાંના દ્રાવણની સપાટી ઊંચે ચઢે . ( c ) બીકરમાંના દ્રાવણની સપાટીમાં કંઈ ફેરફાર ન થાય . ( d ) થિસલ ફનલમાંના દ્રાવણની સપાટી નીચી ઊતરે .
( 37 ) નીચેનામાંથી કયા કોષમાં સાંદ્રતા વધુ હશે ? ( a ) અંતઃસ્તર ( b ) બાહ્યક ( c ) અધિસ્તર ( d ) મૂળરોમ ( d ) મેનોઝ
( 38 ) ચોમાસામાં લાકડાની ફેમ શા કારણે ફૂલી જાય છે ? ( a ) અંતઃઆકૃતિ ( b ) અંતઃચૂષણ ( c ) કેશાકર્ષણ ( d ) આસૃતિ

( 39 ) કોષને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકતા કોષમાં રસસંકોચન પ્રેરાય છે . આ પ્રકારના કોષમાં કોષદિવાલ અને કોષરસપટલ વચ્ચે શું હોય છે ? ( a ) સમસાંદ્ર દ્રાવણ ( b ) અધિસાંદ્ર દ્રાવણ ( c ) હવા ( d ) અધોસાંદ્ર દ્રાવણ
( 40 ) જયારે કોષને મીઠાના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે કોષ શા કારણે સંકોચન પામે છે ? ( a ) કોષરસ વિઘટન પામે છે . ( b ) કોષદિવાલના ખનીજક્ષારો તૂટી જાય છે . ( c ) મીઠાનું સાંદ્ર દ્રાવણ કોષમાં પ્રવેશે છે . ( d ) બહિરાસૃતિના કારણે પાણી બહાર આવે છે .
( 41 ) વનસ્પતિકોષને પાણીમાં મૂકવામાં આવે ત્યારે પાણી , કોષમાં કયાં સુધી પ્રવેશે છે ? ( a ) કોષની અંદર અને બહાર દ્રાવણનું સંકેન્દ્રણ સંતુલન સ્થપાય ત્યાં સુધી ( b ) કોષ ફાટી ન જાય ત્યાં સુધી ( c ) પ્રસરણદાબનું સંતુલન કોષની અંદર અને બહાર સ્થપાય ત્યાં સુધી ( d ) કોષની અંદર અને બહાર પાણીનું સંકેન્દ્રણ સંતુલન સ્થપાય ત્યાં સુધી
( 42 ) ઉત્સવેદન  વધુ કયારે હોય છે ? ( a ) ચોમાસું , વધુ ભેજ ( b ) ઉનાળો ( c ) વધુ તાપમાન ( d ) પવનની ઓછી ગતિ
( 43 ) નીચેનામાંથી કયારે ઉત્સવેદન સૌથી વધુ હશે ? ( a ) ભેજનું પ્રમાણ ઊંચું હોય ત્યારે ( b ) ભૂમિમાં પાણીનું પ્રમાણ વધુ હોય ત્યારે ( c ) ભેજનું પ્રમાણ નીચું , વધુ તાપમાન , રક્ષકકોષો આક્શન ( ખુલ્લા ) હોય , ભેજવાળી જમીન હોય ત્યારે

( d ) પવનની ગતિ ઓછી હોય ત્યારે

( 44 ) નીચેનામાંથી કઈ પ્રક્રિયા પર્ણોમાં થાય છે જેથી પર્ણોમાં તાપમાન નીચું રહે છે ? ( a ) શ્વસન ( b ) પ્રકાશસંશ્લેષણ ( c ) ઉસ્વેદન ( d ) જળવિભાજન
( 45 ) વાયુરંધ્રો ખૂલે છે ત્યારે રક્ષકકોષો કેવા હોય છે ? ( a ) આશુન  હોય છે . ( b ) નરમ હોય છે . ( c ) મોટા હોય છે . ( d ) નાના હોય છે .
( 46 ) ઉત્સવેદન દર શેના પર આધારિત છે ? ( a ) વાયુરંધ્રોની સંખ્યા ( b ) વાયુરંધ્રોના સ્થાન ( c ) વાયુરંધ્રની સ્થિતિ ( d ) બધા જ
( 47 ) વાયુરંધ્રો શાના લીધે ખૂલે છે અને બંધ થાય છે ? ( a ) જનીનીક ઘડિયાળ ( b ) પર્ણમાં રહેલ વાયુદાબ ( c ) રક્ષકકોષોના આશૂનદાબ ( d ) એક પણ નહિ
( 48 ) કોને લીધે પાણી પ્રકાંડમાં ઉપર ચડે છે ? ( a ) સંલગ્નબળ અને ઉત્તેદનદાબ ( b ) આશૂનતા ( c ) આવૃતિદાબ ( d ) એક પણ નહિ
( 49 ) મૂળદાબ સૌથી ઓછું કયારે થાય છે ? ( a ) ઉસ્વેદન વધુ અને શોષણ ઓછું હોય ત્યારે ( b ) ઉસ્વેદન અને શોષણ બંને વધુ હોય ત્યારે ( c ) ઉસ્વેદન ઓછું અને શોષણ વધુ હોય ત્યારે ( d ) ઉસ્વેદન અને શોષણ બંને ઓછાં હોય ત્યારે
( 50 ) મૂળ દ્વારા પાણીના શોષણ દરમિયાન કોષની જલક્ષમતા કોની જલક્ષમતા કરતાં ઓછી હોય છે ?

( a ) શુદ્ધ પાણી અને માટીના દ્રાવણ ( b ) શુદ્ધ પાણી અને માટીના દ્રાવણ બંનેમાંથી એક પણ નહિ
( c ) શુદ્ધ પાણી                            ( d ) માટીના દ્રાવણ
( 51 ) આરુતિ થવા માટે બંને દ્રાવણમાં દ્રાવકનું પ્રમાણ કેટલું હોવું જોઈએ ? ( a ) ગમે તેટલું ( b ) અસમાન ( c ) સમાન ( d ) દ્રાવકના પ્રમાણને આસૃતિ સાથે કોઈ સંબંધ નથી .
( 52 ) પાણીની અંતઃઆકૃતિ થાય છે તે ભરેલા કોષની જલક્ષમતા ……… હોય . ( a ) વધુ  ( b ) સમાન  ( c ) ઓછી ( d ) એક પણ નહિ
( 53 ) આશૂનતા વધવા સાથે કોષદીવાલના દબાણમાં શું ફેરફાર થશે ? ( a ) ઘટશે ( b ) વધશે  ( c ) વધશે અને પછી ઘટશે ( d ) કોઈ જ ફેરફાર થશે નહીં
( 54 ) જો આશૂનતાદાબ અને આસૃતિદાબ સમાન હોય તો તે શું થાય ? ( a ) પાણી કોષમાંથી બહાર આવે છે . ( b ) પાણી કોષમાં પ્રવેશે છે . ( c ) પાણીની કોઈ પણ પ્રકારની આપ - લે ન થાય . ( d ) દ્રાવ્ય કોષની બહાર આવે .
( 55 ) ઉસ્વેદન શેના પર આધારિત છે ? ( a ) બાષ્પદબાણનો તફાવત ( b ) વાયુરંધ્રોના ખુલવાની સ્થિતિ ( c ) ( a ) & ( b ) બંને ( d ) લીલા પ્રકાશની પ્રાપ્તિ
( 56 ) મૂળદાબ શેના કારણે હોય છે ?
( a ) સક્રિય અભિશોષણ ( b ) પરોક્ષ અભિશોષણ ( c ) ઉત્તેદનમાં વધારો ( d ) પ્રકાશસંશ્લેષણમાં વધારો
( 57 ) વાયુરંધ્ર ખુલવામાં નીચેનામાંથી શું જવાબદાર છે ? ( a ) K + આયન ( b ) Ca + આયન ( c ) H + આયન ( d ) CI - આયન
( 58 ) વૃક્ષો વાતાવરણ સાથે પાણીની આપલે કોના દ્વારા કરે છે ? ( a ) રક્ષકકોષો ( b ) મધ્યપર્ણકોષો ( c ) વાયુરંધ્રો ( d ) બધા જ

( 59 ) ઉસ્વેદન દરમિયાન ગુમાવાનું પાણી કેવું હોય છે ? ( a ) શુદ્ધ પાણી ( b ) કાર્બનિક દ્રાવ્ય વધુ હોય તેવું પાણી ( c ) દ્રાવ્યક્ષારો વધુ હોય તેવુ પાણી ( d ) બધા જ
( 60 ) રક્ષકકોષો એ તંતુઓ ધરાવે છે . ( a ) બેલ આકાર ( b ) આયામ ( c ) અરિય ( d ) એક પણ નહિ


            ÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================



ANSWER KEY

જવાબો
1.a, 2.b, 3.d, 4.c, 5.a, 6.c, 7.C, 8.d, 9.a, 10. a, 11.a, 12.C, 13.c, 14.d, 15.a, 16.A, 17.c, 18.c, 19.c, 20.d, 21.a, 22.A, 23.c, 24.B, 25.B, 26.a, 27.b, 28.B, 29.b, 30.A, 31.c, 32.b, 33.a, 34.C, 35.A, 36.D, 37.a, 38.b, 39.B, 40.d, 41.C, 42.c, 43.C, 44.c, 45.A, 46.D, 47.c, 48.a, 49.a, 50.A, 51.d, 52.a, 53.B, 54.c, 55.c, 56.a, 57.a, 58.C, 59.a, 60.c


Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad